SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કાશી પાઠશાળા ૫૭ તેઓ શિષ્ય થાય. વૃદ્ધિચંદજી મહારાજના બીજા કેટલાક શિષ્યો વિદ્યાની બાબતમાં ધર્મવિજય મહારાજ કરતાં ચડે એવા પણ હતા અને હજી પણ એવા એક વિજય નેમિસૂરીશ્વર હયાત છે. છતાં નવયુગની ભાવનાને અનુરૂપ ગૃહસ્થોમાં પણ વિદ્યાપ્રચાર કરવાનો અને અનેક પ્રકારની પ્રાચીન વિદ્યાઓના સર્વોત્કૃષ્ટ ધામ તરીકે ચિરકાળથી વિખ્યાત એવા હિન્દુસ્થાનના લંડનસમા કાશી શહેરમાંથી વિદ્યાધન મેળવી જૈન સમાજને વિદ્યાસમૃદ્ધ કરવાનો અભૂતપૂર્વ વિચાર આવ્યાનું માન તો શ્રી ધર્મવિજ્ય મહારાજના જ ફાળે જાય છે. અત્યાર અગાઉ વિજ્યાનંદ સૂરીશ્વર, રાજેન્દ્રસૂરિ જેવા પ્રભાવશાળી અને વિદ્વાન સાધુઓ થઈ ગયા હતા, પણ ગૃહસ્થોમાં શાસ્ત્રીય વિદ્યાની નવેસરથી પ્રતિષ્ઠા કરવાનો તેમજ કાશી જેવા સ્થાનનો સદુપયોગ કરી લેવાનો વિચાર કોઈને આવ્યો ન હતો. ધર્મવિજય મહારાજજીના આ વિચારનો વિરોધ કેટલાક ટૂંકી દૃષ્ટિના ગૃહસ્થો તેમ જ સાધુઓએ કરેલો પણ ખરો એમ મેં તેમના જ મુખેથી સાંભળ્યું હતું, પણ સદ્ભાગ્યે તેમણે કોઈની ૫૨વા ન કરી. સાહસ અને સદ્વિચારને અનુયાયી મળી જ આવે છે એ સત્ય તેમની બાબતમાં જલદી સિદ્ધ થયું. તેમને ઘણા સહાયકો મળી આવ્યા. મહારાજીના અદ્ભુત સાહસે મહેસાણાવાળા વેણીચંદ સૂરચંદ જેવા અતિક્રિયાકાંડીને પણ આકર્યાં. પગે ચાલી કેટલાક વિદ્યાર્થીઓ અને છ સાધુઓ સાથે મહારાજજી કાશી પહોંચેલા. આ સહચારી છ સાધુઓમાંથી ચાર એમના પોતાના શિષ્ય અને બે બીજાના શિષ્ય હતા. એમાંથી અત્યારે ત્રણ જ જીવિત છે. ગુજરાતી ટ્રેનિંગ કૉલેજમાં સિનિય૨ થયેલ મોહનવિજ્યજી અત્યારે શિષ્યો સહિત બિરાજે છે ને અતિ वृद्ध છે. ઇન્દ્રવિજ્યજી, જેઓ ધર્મવિજયજી મહારાજના મુખ્ય શિષ્ય થાય તે એકલવિહારી તરીકે વિચરે છે. તેમના તે વખતના લઘુશિષ્ય વલ્લભવિય પણ એકવિહારી થઈ જ્યાં ત્યાં ફરે છે. સાથે આવેલ છ સાધુઓ ઉપરાંત પચ્ચીસેક ગૃહસ્થ વિદ્યાર્થીઓ હશે, જે મોટે ભાગે ગુજરાત-કાઠિયાવાડના હતા. કનૈયાલાલવાળા પાઠશાળાના મકાનમાં ત્રણ માળ હતા. મકાન કાશીના જૂની ઢબનાં મકાનો પૈકી જ હતું. દર્શનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય બંનેની સહનશીલતાની પરીક્ષા કરે એવા એ પાયખાનાને ભિસ્તી આવી મસકથી ધોઈ નાંખે કે તરત જ એમાં પ્રવેશવા ઇચ્છતા ઉમેદવારોની હરીફાઈ ચાલતી. જો હું દાક્ષિણ્યને લીધે કે બીજે કા૨ણે જરાક પાછળ પડી ગયો તો મારી ઘ્રાણેન્દ્રિય મને સહિષ્ણુ થવા ફરમાવતી. જીવન માટે અનિવાર્ય એવી નિહારક્રિયાની વ્યવસ્થા વિષેનો આવો પ્રબંધ હતો, જ્યારે ભોજનવ્યવસ્થાનો પ્રબંધ તદ્દન એથી ઊલટા પ્રકારનો હતો. દૈનિક ભોજન કે પર્વ-ભોજનમાં ઘી, દૂધ, સાક૨ આદિની જૈનોને શોભે એવી ઉદારતા હતી. અમારી પાઠશાળા તો હિન્દુસ્તાનીઓ માટે નિહાર કરતાં આહારની સગવડ જ પ્રથમ દરજ્જો ભોગવે છે. એ પરંપરાનું પ્રતિબિંબ માત્ર પાડતી. બીજે માળે એક રૂમમાં મારે રહેવાનું ઠર્યું. તે જ રૂમમાં પેલા વઢવાણ કેમ્પવાળા ઉજમશી માસ્તર એમના ભાઈ ખીમચંદ સાથે રહેતા એ મને ભાવતું થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy