SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ મારું જીવનવૃત્ત દરમિયાન મને થયું કે લાવોને સ્ટેશન-માસ્તરને જ પૂછીએ. પરાણે નાનાલાલને તૈયાર કરી સાથે લઈ હું માસ્ટર પાસે ગયો અને પૂછ્યું. પહેલાં તો માસ્તરે ટૂંકમાં પતાવ્યું, પણ અમને ગુજરાતીમાં બોલતા જોઈ તેમનો દેશપ્રેમ ઊભરાઈ આવ્યો અને ગુજરાતીમાં જ પૂછ્યું કે કોણ છો અને ક્યાં જાઓ છો ઈત્યાદિ. કાશી જવાની અને તે પણ સંસ્કૃત ભણવા જવા માટેની વાત અમારા મોઢેથી સાંભળતાં જ તેમની વૈષ્ણવતા અમારી વહારે આવી. તેમણે કહ્યું બેસો. હું તમને ગાડીમાં સારા ડબ્બામાં બેસાડી આપીશ અને હમણાં આવતી પહેલી ગાડી જવા દો, ત્યાર બાદ બીજી આવતી ફાસ્ટ ટ્રેનમાં તમને પાયખાનાવાળા ડબ્બામાં જ બેસાડી આપીશ. અમને તો પુરુષોત્તમ ભેટ્યા અને સગવડિયા ડબ્બામાં બેસી આગ્રા પહોંચ્યા. અને આગ્રાથી ટુંડલા થઈ સગવડઅગવડે કાશી-રાજઘાટ સ્ટેશને રાત્રે પહોંચ્યા. પાસેની ધર્મશાળામાં ઊતર્યા, એવા વિચારથી કે રાતે કયાં જવું? વઢવાણ-કેમ્પથી રવાના થયા પહેલાં એક લલ્લુજી નામના મુનિ પાસેથી સાંભળેલું કે વારાણસી ધૂર્તવતુએટલે મારું મન કાશીની ધૂર્તતા વિષે સશક હતું જ, તેવામાં પંડ્યાઓએ અમને ઘેર્યા. લાલચ, પૂર્વજોને સદ્ગતિ પહોંચાડવાનો સદુપદેશ, બીજા ઠગપંડ્યાઓથી સાવધ રહેવાની ચેતવણી વગેરે એમના વિવિધ શાળા છતાં અમે તો ધર્મશાળામાં રહી ગયા. ઊંઘ કોને આવે ! સવાર પડી અને ગાડી કરી. મોઢે માંગ્યા પૈસા આપી ઠરાવ એવો કર્યો કે, તેણે અમને જવાની જગ્યાએ જ પહોંચતા કરવા, પણ ગાડીવાળો તો અમુક જગ્યાએ જઈ કહેવા લાગ્યો કે અહીંથી આગળ ગાડી જતી જ નથી. છેવટે તે વખતે જ્યાં યશોવિજય જૈન-પાઠશાળા ભાડાના મકાનમાં ચાલતી ત્યાં સૂતટોલામાં ઠેકાણાસર પહોંચી ગયા. બજારમાંથી મકાન સુધી પહોંચવા માટે નીચે પોલી અને ઉપર સાવ પથ્થરથી જડેલી એવી જિંદગીમાં કદી નહિ જોયેલી દુર્ગધ ફેંકતી સાંકડી ગલીઓમાંથી પહેલ-વહેલા પસાર થવું પડેલું. કૃતજ્ઞતાપૂર્વક ઉત્સાહમૂર્તિ શ્રી ધર્મવિજય મહારાજજીનાં પ્રથમ દર્શન કર્યા. અને તેમના સ્વાગતપૂર્ણ મધુર આશ્વાસનથી રસ્તાનું બધું દુઃખ ભુલાઈ ગયું. આ વખતે વિ. સં. ૧૯૬૦નો ચૈત્ર માસ હતો. કાશી પાઠશાળામાં પાઠશાળા શરૂ થયે એકાદ વર્ષ વીત્યું હશે. અત્યારે પાઠશાળા કનૈયાલાલ જૈનના ભાડે રાખેલ મકાનમાં તેમ જ પાસે આવેલ બાબુ ધનપતસિંહજીની ધર્મશાળામાં ચાલતી. કાશીમાં જઈ પાઠશાળા સ્થાપવી, અને જે વિદ્યાધામમાં રહી ઉપાધ્યાય યશોવિજયજીએ ન્યાય તેમજ દર્શનોનો અસાધારણ અભ્યાસ કર્યો હતો અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ન્યાયવિશારદ પદ પ્રાપ્ત કર્યું હતું તે જ વિદ્યાધામમાં સાધુઓ અને ગૃહસ્થ વિદ્યાર્થીઓને પૂરતી સગવડ આપી ભણાવી નવયુગના યશોવિજયજીઓ તૈયાર કરવા – એ વિચાર ધર્મવિજયસૂરીશ્વરજીને ગુજરાતમાં ઉદ્દભવેલો. ધર્મવિજયજી મહારાજ મૂળે કાઠિયાવાડ મહુવાના વૈશ્ય અને સટ્ટો પણ ખેલેલા. તેઓ ભારે બાહોશ, ઉત્સાહી અને વિદ્યાપ્રિય હતા. ભાવનગર જૈન ધર્મ પ્રસારક સભાની પ્રતિષ્ઠાના પ્રાણપ્રદ વૃદ્ધિચંદજી મહારાજના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy