SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પર છે મારું જીવનવૃત્ત પોતાને ગુરુ તરીકે પૂજાવે છે. છે તો ચોથે ગુણસ્થાને અને ડોળ કરે છે છઠ્ઠા ગુણસ્થાનનો તેમજ પચ્ચીસમા તીર્થંકર હોવાનો. આવી વાતોથી ભડકી સરળ અને શક્ય હોવા છતાં પણ તેમને સાક્ષાત્ મળી શક્યો નહિ. સંપ્રદાયવિચ્છેદ તરફ વિ. સં. ૧૯૫૯ના ચોમાસામાં વઢવાણ કેમ્પમાં હતો ત્યારે જિજ્ઞાસા મને સ્થાનક્વાસી ઉપાશ્રય બહાર જવા પણ પ્રેરતી. ત્યાં જૈન મંદિર પાસે ચાલતી જૈન પાઠશાળામાં ઉજમશી માસ્તર ભણાવતા. તે બહુ જક્કી અને દલીલબાજ. તે મને અવારનવાર મંદિર અને પાઠશાળામાં મીટિંગ વખતે ચર્ચા થાય ત્યારે લઈ જાય. મૂર્તિની માન્યતા વિષે પણ અમે બંને અંદરોઅંદર ચર્ચા કરીએ. આ ચર્ચા દરમિયાન હું કેટલુંક વધારે વિચારતો થયો. જોકે મને કોઈ ઉજમશી માસ્તર સાથે જતાં રોકતું નહિ. છતાં ક્યારેક ક્યારેક મને ભણાવનાર વિદ્વાનું ઉત્તમચંદજી મહારાજ મૂર્તિની માન્યતા વિરુદ્ધ શાસ્ત્રોમાંથી પુરાવાઓ સંભળાવતા. સંભવ છે કે બીજા કેટલાકને એવો ડર પેઠો હોય કે શાસ્ત્રજ્ઞ મનાતો મારા જેવો મંદિરમાં જતો આવતો થાય તો તેમના સંપ્રદાયને ધક્કો પહોંચે. છતાં મારે કહેવું જોઈએ કે કોઈએ પણ મારા મોઢે એવી સંકીર્ણતા દર્શાવેલી નહિ. બીજી બાજુ મૂર્તિમાં માનનાર લોકોમાં એવા ડોળી અને અભિમાની લોકોને હું જોઈ શકતો કે, અવારનવાર મંદિરે જતા-આવતા મને જોઈ એવો પ્રચાર કરતા કદી ચૂકતા નહિ કે, જુઓને સુખલાલ જેવો શાસ્ત્રજ્ઞ માણસ પણ મંદિરે આવે છે તો શાસ્ત્રોમાં મૂર્તિની માન્યતા જરૂર હોવી જોઈએ. આ બધું મારી જાણ બહાર ન હતું, પણ હું તો હવે માત્ર જિજ્ઞાસાથી જ નવું નવું જોવા-જાણવા ને વિચારવા પ્રેરાયો હતો. અત્યાર સુધીના મારા મન ઉપર મૂર્તિમાતાની સમર્થક કોઈ પ્રબળ છાપ પડી ન હતી. તેમજ મૂર્તિવિરોધના સંસ્કારો પણ હવે એટલા પ્રબળ રહ્યા ન હતા. સંસ્કૃતાભ્યાસ માટે કાશી પ્રયાણનો પ્રયત્ન વિ. સં. ૧૯૫૯ અને ૬૦ દરમિયાન કોઈ વખતે જૈન ધર્મપ્રકાશ' નામના માસિક દ્વારા જાણવા પામ્યો કે એક સંવેગી સાધુ કાશીમાં સંસ્કૃત અધ્યયન કરવા-કરાવવા કેટલાક સાધુઓ અને ગૃહસ્થ વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા છે. તે અર્થે માંડલના શ્રીમાનોએ સારી ઉદારતા પણ બતાવી છે ઈત્યાદિ. ઊંડું અને વિશાળ સંસ્કૃત અધ્યયન કરવાની રુચિનો દઢ પાયો તો નંખાઈ ગયો હતો, પણ મારી પરાધીન સ્થિતિ કાશીમાં જવાની મને કલ્પના સુધ્ધાં કરાવી શકે તેમ ન હતું અને વધારામાં પિતાજી તેમજ બધા વડીલોનો ભય પણ હતો કે આવી વાત કાઢું તો તે મને મૂખ જ ગણે અને ઠપકો પણ આપે. અધ્યયનની તીવ્ર રુચિ અને તેને દબાવતી પરિસ્થિતિની કલ્પના વચ્ચે રાતદિવસ મન ઝોલાં ખાતું. મને બરાબર યાદ છે કે એ દિવસોમાં અનેક વાર આકાશમાં ઊડ્યાનાં સ્વપ્નો આવેલાં. હવે મને લાગે છે કે એવાં સ્વપ્નોનું કારણ ચિંતાજન્ય વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy