SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પo • મારું જીવનવૃત્ત ધાર્મિકોનો પરિચય કે હું જેનપરંપરાના અને વિશેષ કરીને સ્થાનકવાસી પરંપરાના સંસ્કારો ધરાવતો. વડીલો અને ગુરુઓએ કરેલી વ્યાખ્યા પ્રમાણે એમ પણ માનતો કે જૈનધર્મ એટલે ઝીણો ધર્મ અને ઝીણો ધર્મ તો બીજા બધા વૂલ ધર્મો કરતાં ઉત્તમ જ હોય. તેમ છતાં કરતાં હોઈએ તે કરીએ અને બીજા ધર્મ વિષે સાચું છે કે ખોટું છે એની માથાકૂટમાં પડ્યા સિવાય જે બનતું હોય તે જોયા કરીએ – એવી પરાપૂર્વથી રૂઢ થયેલી હિન્દુ-સમાજની સાંસ્કારિક લાક્ષણિકતાને પણ પોષ્ય જતો. દેખતો ત્યારે જ સાયલાની લાલા ભગતની પ્રસિદ્ધ જગ્યાના તે વખતના મહારાજ ભગવાનદાસની છાયા પડેલી. તે મારા ગામમાં આવે ત્યારે તેમની પધરામણી થતી. તેમના અનુયાયી ભગત બાવાઓ ઝાંજ પખાજ . સાથે લાલજી આવો તો વહેલા આવજો સાથે ત્રિકમ છોગાળાને લાવજો એવાં ભજનો ગાતાં ગાતાં મહારાજજીને લાવે. ઊંચા કદાવર ઘોડા ઉપર ડંકો અને નિશાન હોય, નેકી પોકારાતી હોય. આ જેટલે અંશે કૌતુક પ્રેરતું તેટલે અંશે શ્રદ્ધા ન પ્રેરતું તેમ છતાં ભગવાનદાસજીના ચમત્કારો વિષેની લોકોમાં ચાલતી વાતો વિષે જરાય અશ્રદ્ધા થયેલી નહિ. સાધુ બાવા ત્યાગી સંતસંન્યાસીને આદરથી જોવાના આ સંસ્કારે મને હવે જ્યાં ત્યાં જતો કર્યો. મિત્ર ગુલાબચંદ એક સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મચારી પાસેથી થોડા પૈસા આપી અભ્રકભસ્મ લઈ તેમના કહ્યા પ્રમાણે દૂધનો પ્રયોગ કરતો. એણે એ બ્રહ્મચારીના ગુણો વિષે અવારનવાર મને કહેલું, પણ એ તો રહેતા પાંચ ગાઉ દૂર આવેલા મૂળી શહેરના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરમાં. હું એમનાં દર્શનની તક શોધતો તે હવે મળી ગઈ અને તેમની પાસે ત્યાં ગયો. તેમની મીઠાશે અને મિતભાષિતાએ મને કાંઈક આકર્યો. એ સ્વામિનારાયણનું વિશાળ મંદિર તો દેખતો ત્યારે જ જોયેલું અને સાયલાની લાલા ભગતની વિશાળ જગ્યા તેમજ વિશાળ મૂર્તિઓ પહેલીવહેલી જોઇ નવાઈ પામેલો તેમ આ મંદિરની વિશાળતાથી પણ નવાઈ પામેલો, પણ મારું ખરું કૌતુક તે ત્યારે જાગ્યું કે જ્યારે મેં સાંજે સંખ્યાબંધ ગૃહસ્થ અનુયાયીઓ તેમજ સાધુ બ્રહ્મચારીઓને તાલબદ્ધ ટાપોટા સાથે “જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ' ઈત્યાદિ ગાતા પહેલવહેલા જોયા. વિ. સં. ૧૯૫૬ના દુષ્કાળ વખતે વાયરા ફૂંકાતા. વરસાદની આશા સૌને આકાશ તરફ જોવા પ્રેરતી. તેવામાં ગામ બહાર દૂર ખેતરમાં એક બાવો આવી રહ્યાના સમાચાર ગામમાં ફેલાયા. હું પણ લોકો સાથે તેમની પાસે ગયો. તેમના ચલમના ધુમાડા તો દેખી શકતો નહિ, પણ તેની ગંધ મારાથી છૂપી રહી શકતી નહિ. એક વૃદ્ધ નમ્રતાથી પૂછ્યું કે મહારાજ વરસાદનું શું? તેમણે જવાબ આપ્યો “બચ્ચા પંદર દિન ધીરજ રખો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy