SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો જન્મ • ૪૧ મૂક્વાની કળા સરસ. આ બધું સળંગ રીતે જોવાનો જીવનમાં પ્રથમ જ પ્રસંગ હતો. એને લીધે મારી જિજ્ઞાસા વધારે ઉત્તેજિત થઈ અને સંપ્રદાયનું ધાર્મિક લેખાતું ધાર્મિક જ્ઞાન મેળવવા વિશેષ ઉત્કંઠા જાગી. મુનિમંડળ તો ગયું; પણ શ્રાવકોની ઈચ્છાથી પૂજ્યજીએ લીમલીમાં તે સાલ ચોમાસું કરવા સાધ્વીઓને મોકલ્યાં. લીમલીમાં સાધુઓનું આ ચોમાસું પહેલું જ હતું. વાણિયાઓએ ચોમાસું ઊજવવામાં મણા રાખી નહિ, પણ ત્રણમાંથી વડા ઝકલબાઈ લાંબી બીમારી પછી સ્વર્ગવાસી થયાં. એમની પાલખી કાઢવાની હતી ત્યારે પંદર ઘરના સંઘમાં પણ બે તડાં પડ્યાં. એક મોટા તડાનું મોવડી અમારું કુટુંબ અને બીજા તડામાં માત્ર ચાર ઘર. વાદાવાદી અને ચડસાચડસી એવી ચાલે કે લહાણી, પ્રભાવના, જમણવારો અને સાધર્મિક મહેમાનોનું સ્વાગત એ જ મોટી પાર્ટીનો નાની પાર્ટીને નીચું દેખાડવાનો મુખ્ય ધર્મ બની ગયો. આ બધું ચાલતું હતું તેમાં સાધ્વીએ અલિપ્ત દેખાતી; પણ જ્યારે હું આજે વિચાર કરું છું ત્યારે એ અલિપ્તતા નિર્બળતાજન્ય હોઈ કેવળ નામની હતી. આ વખતે પણ આખા ચોમાસા દરમિયાન મારો વ્યવસાય તો સાધ્વીઓ પાસેથી કાંઈ ને કાંઈ નવું શીખી લેવાનો જ હતો. હું તેમને મોઢેથી કેટલાક છંદો અને સઝાયો શીખેલો એમ યાદ છે. ચોમાસું પૂરું કરી જ્યારે તેમણે વિહાર કર્યો ત્યારે હું દૂર સુધી વળોટાવવા ગયેલો અને સ્નેહાણુ સારીને પાછો ફરેલો. શ્રી દીપચંદજી મહારાજ વિ. સં. ૧૯૫૫માં કોઈ ચોમાસું કરવા તો ન આવ્યું, પણ શિયાળા-ઉનાળામાં અનેક સાધુ-સાધ્વીઓ આવ્યાં અને થોડું થોડું રહ્યા. મેં એમાંના કેટલાક પાસેથી શીખવાનો પ્રયત્ન કર્યો અને સ્વતંત્રપણે ચોપડીઓના આધારે કેટલુંક નવું મેળવ્યું. અત્યાર લગીમાં હું જે કાંઈ શીખ્યો હતો તે જૂની કે નવી ગુજરાતી ભાષામાં જ રચાયેલું હતું. ત્યાર સુધીમાં તે વખતે પ્રસિદ્ધ સજ્ઝાયમાળાના બે ભાગોમાં એવું ભાગ્યે જ કાંઈ હશે જે મને કંઠસ્થ ન હોય, પણ શીખવાનો ખરો અવસર તો ૧૯૫૬ના ભયાનક દુષ્કાળમાં જ આવ્યો. તે સાલમાં શ્રી દીપચંદજી મહારાજ જે એકલવિહારી હતા તે ચોમાસું કરવા આવ્યા. ચોમાસા પહેલાં પણ તેઓ ગામમાં રહી ગયેલા. મુખ્યપણે તેમની મદદથી અને કેટલેક અંશે નાના ભાઈ તેમ જ બે મિત્રોની મદદથી છપાયેલ બધા જ થોકડા યાદ કરી ગયો. આ થોકડાઓમાં મુખ્યપણે જૈનપરંપરાના દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગના શાસ્ત્રીય વિષયો સરળતાથી ગુજરાતી ભાષામાં ચર્ચેલા છે. છપાયેલ ઉપરાંત બીજા પણ લિખિત સંખ્યાબંધ જે થોકડાઓ મળ્યા તે તેમની પાસેથી યાદ કરી લીધાં. મને હવે જણાયું હતું કે હું જે કાંઈ શીખું છું તે બધું આગમોમાં છે અને પ્રાકૃત ભાષાનું વ્યાકરણ કે કોષ કશું જ જાણ્યા સિવાય મેં એ દીપચંદજી મહારાજની મુખ્ય મદદથી કેટલાંક આગમો આખેઆખાં યાદ કર્યા. જેમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy