SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૨જ છે મારું જીવનવૃત્ત જ સમાલોચનામાં ત્રુટિઓ બતાવી હશે એમ માની લઈ હરગોવિંદદાસે બેચરદાસને જવાબ વાળતાં મારા પ્રતિક્રમણની સંસ્કૃત છાયાનો ઉપયોગ કર્યો. આ જોઈ મને નવાઈ લાગી. મેં તો બેચરદાસની સમાલોચનાને તદ્દન હળવી કરાવી હતી અને બેચરદાસને કહેલું કે જો આવી તીખી તમતમતી સમાલોચના પ્રસિદ્ધ કરશો તો એ કોશના વેચાણ ઉપર અસર થશે. જોકે મારું આ વલણ હરગોવિંદદાસ જાણતા ન હતા ને તેથી જ તેમના મનમાં એક જાતનો પૂર્વગ્રહ વધારે પોષાયો હશે એમ મને લાગ્યું. મેં તેમને લખ્યું કે તમારા કોશની બેચરદાસે કરેલ [સમાલોચના મેં મૃદુ કરાવી છે.]. | મારું જીવનવૃત્તનું લખાણ અહીં અટકી જાય છે. પંડિતજીની ઇચ્છા હતી કે સમગ્ર લખાણ નવેસરથી લખાવવું, તેથી જીવનભર આ લખાણ પ્રગટ કરવાની સંમતિ આપી. ન હતી પરંતુ છેલ્લે જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે હવે પુનઃ સમગ્ર જીવનવૃત્ત લખાવવું સંભવિત નથી ત્યારે જ તેમણે લખાણ છપાવવાની સંમતિ આપી પણ દુર્ભાગ્યે આ લખાણ ગ્રંથ રૂપે પ્રગટ થયું ત્યારે પંડિતજી હયાત ન હતા. આત્મકથા સ્વરૂપ તેમનું જેટલું અને જેવું જીવન આપણે પામી શક્યા છીએ તે પણ ૨૦મી સદીની આશ્ચર્યકારક ઘટના સ્વરૂપ છે. વાચક અને જિજ્ઞાસુઓને પ્રેરણા આપે તેવું અદ્ભુત છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy