SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સમેતશિખરની યાત્રા કરી કલકત્તામાં ૨૦૩ આપનાર યોગ્ય અને પ્રતિષ્ઠિત પંડિત ન મળે તો યતિજી અને તેમના સહાયકોની ઇચ્છા બર આવી શકે તેમ ન હતું, કારણ કે મોટે ભાગે યતિઓ ને સાધુઓ એવા કોઈ ઉચ્ચતર કામ માટે યોગ્ય નથી હોતા. તેમનું ગાડું ઘણું ખરું પંડિતો જ ચલાવે છે. હરગોવિંદદાસ તેમને મળી ગયા. તેમને નવું તો કાંઈ કરવાનું હતું જ નહિ. મારું છપાયેલ પ્રતિક્રમણ આખેઆખું પ્રેસમાં મને કે સિંઘીજીને પૂછ્યા વગર આપી દીધું ને તેમાં ફેરફાર એટલો કર્યો કે ખરતરગચ્છની વિધિ મુખ્ય સ્થાને રાખી પ્રસ્તાવના જેવી અગત્યની વસ્તુ નહિ રાખી હોય એમ લાગે છે, કારણ કે તેમણે પોતે કે પેલા જતિજીએ પોતાની આવૃત્તિ મને કદી મોકલી નથી. મારા તૈયાર પ્રતિક્રમણ ઉપરથી તદ્દન સરળતાપૂર્વક જતિજીને પ્રતિક્રમણ મળી ગયું ને હરગોવિંદદાસને પૂરતા પૈસા મળી ગયા. મને તો એમાં કશો જ અસંતોષ ન હતો, કે ન હતું નુકસાન. એક પંડિત કમાય ને બીજા ગચ્છને જોઈતી વસ્તુ મળી જાય ને તેમાં હું નિમિત્ત બનતો હોઉં તો ગુમાવવાનું શું? પણ ગમે તેટલી ગુપ્તતા રાખ્યા છતાં અકસ્માતુ તેમની આ બાજી ખુલ્લી થઈ ગઈ. પોતાના કામ પ્રસંગે સિંઘીજી પ્રેસમાં ગયેલા તો ત્યાં તેમણે મેજ ઉપર પોતાના તરફથી છપાયેલ પ્રતિક્રમણની બે તોડેલી નકલો જોઈ. તેમને પ્રથમ તો નવાઈ થઈ, પણ છેવટે તેમને માલુમ પડ્યું કે એ તોડેલી નકલો કંપોઝ કરવા માટે અમુક તરફથી આવેલી છે. સિંઘીજીને પણ એમાં અપ્રસન્ન થવા જેવું હતું જ નહિ. એમને કે મને વિચાર આવ્યો તે એટલો જ કે, આમાં ગુપ્તતા રાખવાની શી જરૂર હતી? અને પૂછવામાં અડચણ પણ શી હતી ? જેમ પેલા યતિજીને તેમ હરગોવિંદદાસને પણ આને લીધે સંકોચ થયો હોવો જોઈએ એમ મને તેમના વ્યવહાર ઉપરથી લાગ્યું. તેમણે બહુ પરિશ્રમે પાછું મહાવો તૈયાર કરેલ છે તે સમાલોચનાર્થે અમદાવાદ આવ્યો. પં. બેચરદાસને સમાલોચના લખવાની હતી. બેચરદાસ અને હરગોવિંદદાસ બંને મિત્રો અને ઘણી વખત સહકારી કાર્યકર્તાઓ પણ હતા. બેચરદાસે સમાલોચના લખી મને સંભળાવી. બેચરદાસ પ્રકૃતિએ નરમ છતાં ક્યારેક ક્યારેક લખવામાં બહુ ઉગ્ર પણ બની જાય છે. એમણે સમાલોચનામાં અનેક ત્રુટિઓ બતાવેલી ને ભાષા પણ કાંઈક કટુક હતી. મેં તેમને કહ્યું, હરગોવિંદદાસ તમારા મિત્ર છે. ત્રુટિઓ ભલે બતાવો, પણ કાંઈક હળવી કરી મૃદુભાવે સૂચવો. નહિ તો તમારા વચ્ચેનો સંબંધ કલુષિત થશે. તેમની પ્રકૃતિ તમે જાણો જ છો ઈત્યાદિ. બેચરદાસે સુધારણા કરી સમાલોચના લખી મોકલી. આવી ત્રુટિ દર્શાવતી મૃદુ, પણ સમાલોચના હરગોવિંદદાસને ન ગમી ને પિત્તો ગયો. ને તેમણે બેચરદાસને ખૂબ આવેશથી જવાબ લખ્યો. બેચરદાસને જવાબ લખવામાં તેમણે પોતાની ત્રુટિઓનો બચાવ કરતાં મારા પ્રતિક્રમણની સંસ્કૃત છાયાના દોષો પણ નિર્દેશયા, બેચરદાસ મારી પાસે સાથે રહે છે તો તેમણે મારા સૂચનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy