________________
૧© • મારું જીવનવૃત્ત સંઘભોજન હતું. બધા વિદ્યાર્થીઓ સાથે હું ત્યાં જવાનો હતો. મેં ડૉક્ટરને સાથે આવવા કહ્યું તો તેમણે જવાબમાં જણાવ્યું કે એક તો હું જેન નથી ને બીજું હું જાતે દરજી છું. મેં કહ્યું. તેથી શું થયું ? તમે મારા કહેવાથી ચાલો. છેવટે તેઓ મારા આગ્રહને વશ થઈ કાંઈક સાથે આવ્યા, પણ જ્યારે ભોજન વખતે તેમણે કશો જ આંતરો ન જોયો ને મને પોતાની સાથે બેઠેલો જોયો ત્યારે તેમનો માત્ર સંકોચ જ ન સરી ગયો, પણ તેમને આશ્ચર્ય સુધ્ધાં થયું. સામાન્ય ધારણા એવી હોય છે કે પંડિતો, ખાસ કરી કાશીમાં ભણેલા પંડિતો વધારે જાતિવાદી અને કટ્ટર હોય છે તેથી ડૉક્ટરને મારો વ્યવહાર જોઈ નવાઈ લાગે તો એમાં કાંઈ નવાઈ જેવું ન હતું.
આ વખતે લીમલીમાં આવ્યા ત્યારે પણ એક રમૂજી પ્રસંગ બન્યો. જમવાનો વખત થયો. પાટલા નંખાયા, મેં કહ્યું. હું અને ડોક્ટર પાસે પાસે બેસીશું. ઘરવાળા બધા વિસ્મય પામ્યા. એમને થયું કે, ડૉક્ટર તો દરજી છે. કાંઈક તો છેટે બેસવું જોઈએ. ડૉક્ટરને પોતાને પણ એમ જ બેસવાનું પસંદ હતું. ઘરવાળા કોઈને મારા જાતિવિષયક
ખ્યાલો કે ખાનપાનના વ્યવહારો વિષે વિશેષ જાણવાની તક ક્યારેય મળી જ ન હતી, પણ જ્યારે હું અને ડોક્ટર સાવ પાસે પાસે બેઠા ત્યારે તે દિવસે અમારા ઘરમાં ઊંચ-નીચનો ભાવ કે નજીક દૂર બેસી જમવા – જમાડવાનો ભાવ સાવ લોપ પામી ગયો. હું ધારું છું, આટલી બધી છૂટ મારા ઘરમાં પહેલી જ વાર અનુભવમાં આવી. હશે, પણ સૌ એથી રાજી થયા. મેં પહેલેથી જ કહેલું કે, તમે બધા સામે બેસો ને હું તેમજ ડૉક્ટર બંને બીજી બાજુ સાથે બેસીશું. મને જુદો બેસવામાં વધારે આનંદ અને મોટાઈ લાગે છે, પણ ભાઈઓ વગેરે કોઈ ન હતા દુરાગ્રહી કે ન હતા અવિવેકી. જાતિભેદનો તેમનો ખોટો ખ્યાલ આ વખતે નબળો પડ્યો. મુનિ જિનવિજયજીની રેલયાત્રા અને પં. બેચરદાસની મુલાકાત
હું સવારે મારી દુકાનના ઓટલે ચાકળા ઉપર બેઠો હતો ત્યાં અણધારી રીતે એક વ્યક્તિ આવી ચડી. મને પૂછ્યું કેમ છે પંડિતજી! મેં ઠીક છે એમ જવાબ તો આપ્યો, પણ સ્વર ઉપરથી તેને ઓળખી શક્યો નહિ. અને એ તો કલ્પનામાં ક્યાંથી હોય કે, કુશળ પૂછનાર વ્યક્તિ શ્રી જિનવિજયજી હશે? તેઓ પૂનામાં હતા ને રેલવેવિહાર કરતા નહિ. તેમજ જૈન સાધુની મર્યાદામાં રહેતા એટલે આ ચોમાસાના કાળ દરમ્યાન પૂનાથી તે અહીં આવી પહોંચે એ તો મારી કલ્પનામાં આવે તેમ ન હતું. મને આભો થયેલો જોઈ સાથે આવેલ બીજી વ્યક્તિએ પૂછ્યું કે, તમે એમને ન ઓળખ્યા કે શું? હું ગોટા વાળું તે પહેલાં તે બીજી વ્યક્તિએ સ્ફોટ કર્યો કે એ તો મહારાજ જિનવિજયજી છે ને હું છું બેચરદાસ. આ બંને જણ પૂનાથી અમદાવાદ ગાંધીજીના આશ્રમમાં આવેલા ને મારી માંદગીના સમાચાર જાણ્યા હોવાથી ત્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org