SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ બીમારીને કારણે યાત્રાઓ - ૧૮૯ બે-ચાર બ્રાહ્મણો પૂજા કરાવતા તેઓ હવે મને વિશેષ જાણતા. કદાચ તેથી એમને પોતાના સંસ્કૃત ઉચ્ચાર ને જ્ઞાન વિષે કાંઈક સંકોચ પણ આવતો હશે. છતાં મેં તો એમનું કોઈ પણ જાતનું અજ્ઞાન ખુલ્લું ન પડે ને એમને શરમાવું ન પડે એની બધી કાળજી સેવેલી. છતાં મારી સાથે સહચારી તરીકે યુ.પી.નો કાન્યકુબ્જ બ્રાહ્મણ હતો તે લક્ષ્મીનારાયણે મને પાછળથી કહ્યું કે, પંડિતજી ! આ બધા નાનામોટા બ્રાહ્મણો આશીર્વાદ આપી દક્ષિણા તો લઈ ગયા, પણ એમાંથી કોઈ એક શબ્દ પણ શુદ્ધ બોલતું ન હતું. ડૉ. અમરશીગનો સંગ અને જાતિવાદનો ત્યાગ મેં એનું એક યા બીજી રીતે સમાધાન તો કર્યું, પણ મારું મન જાતિવાદ તેમજ આશાબદ્ધ થઈ આશીર્વાદ લેવા-દેવાની પ્રથા વિરુદ્ધ ઉગ્ર બંડ કરી રહ્યું હતું. મારા ભાઈઓ ને વડીલોએ જ્યારે મારા એ બંડ વિષે થોડુંક જાણ્યું ત્યારે તેઓ તો સાવ ડરી ગયા. મને કહેવા લાગ્યા કે તમે કહો છો તે વાત તો ઠીક છે, પણ તે વિષે કશું બોલતા નહિ. અમારું જેમ ચાલે છે તેમજ ચાલવા દો. ગોર મહારાજ કે બાવા અતીત કે સાધુ-સંન્યાસીને નારાજ કરીએ તો ક્યારેક એમનો શાપ લાગે. લગભગ ૨૦ વર્ષ પહેલાંની ને તે વખતની મારી મનોદશા વચ્ચે આકાશ-પાતાળ જેટલું અંતર મને સ્પષ્ટપણે ભાસતું, પણ થોડી વાર માટે કુટુંબ કે સમાજમાં આવીને બેસવું હોય ત્યારે એમના ખ્યાલોમાં પરિવર્તન કરાવી નાંખવાની આંધળી હિમ્મત મારામાં ન હતી. તેથી પર્વોનાં બધાં દૃશ્યોને તટસ્થભાવે જોઈ મન માત્ર તેની સમાલોચના કરી સંતુષ્ટ થતું. ઘરગથ્થુ કેટલાક ઉપચારોથી, હવાપાણીના પરિવર્તનથી ને વિશેષે કરી આરામથી કાંઈક તબિયતમાં સુધારો અનુભવતો હતો. દરમ્યાન એક ડૉક્ટર વહારે આવ્યા. વઢવાણવાળા ડૉ, અમરશી, જે તે વખતે નોકરીમાંથી નિવૃત્ત થઈ માત્ર ખાનગી દવાખાનું ચલાવતા તે લીમલી આવ્યા ને તેમણે મને પોતાને ત્યાં વઢવાણ આવી રહેવા ને પોતાનો ઇલાજ કરવા ભારપૂર્વક કહ્યું. મને પણ એ વાત ગમી. એમ તો એ ડૉક્ટર મારા મોટાભાઈના નાનપણથી પરિચિત ને મિત્ર જેવા હતા, પણ એમની સાથે મારો તો સંબંધ જુદી જ રીતે વિકસેલો. એક વાર હું પૂના હતો ત્યારે ડૉક્ટર અણધારી રીતે અમારા વાસસ્થાને આવી રહેલા. મેં એમની ઠીક ઠીક સરભરા કરેલી ને અમે કેટલાક મિત્રો સાથે કાર્લાની બુદ્ઘ-ગુફા જોવા સાથે ગયેલા. એટલું જ નહિ, પણ તળેગાંવમાં શ્રીયુત બિજાપુરકર દ્વારા ચાલતા નૂતન સમર્થ વિદ્યાલય તેમજ તિલક દ્વારા યોજાયેલ પૈસા ફંડ ઉપરથી ચાલતું કાચનું કારખાનું પણ જોવા ગયેલા. અમને વધારે નિકટ આણનાર વસ્તુ તો આ સાથ કરતાં કાંઈક બીજી જ હતી. એક દિવસે પૂના શહે૨માં જૈનોનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy