SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ૦ મારું જીવનવૃત્ત બની ગઈ હતી. પૈસાનો અભાવ ન હતો. બાબુ ડાલચંદજીના ઉત્સાહમાં પણ કમી ન હતી. તેમના ભાઈઓના ને બીજા આગ્રાવાસી મિત્રોની પણ મારા પ્રત્યે બહુ ચાહના હતી. છતાં મારી ઇચ્છા પ્રમાણે કામ કરનાર સુયોગ્ય સાથીની કમી મને જંપ વાળીને બેસવા દેતી નહિ. કોઈ એવા સાથીની, બીજા પરિચારકની શોધ ચાલુ જ હતી. ધર્મદષ્ટિએ આહારચર્ચા - ઉનાળા ને બીમારીઓના બેવડા ગરમ વાયરા મારી આસપાસ ફૂકાઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે મેં ખાનપાનમાં એક નવું જ પરિવર્તન કર્યું હતું. નાનો હતો ત્યારથી ડુંગળી, લસણ, બટાટાં વગેરે કંદમૂળનો ત્યાગ જ કરેલો. કાશીમાં અને પૂનામાં ઘણા મિત્રોએ બટાટાના ગુણો તેમ જ તેની સુલભતા વર્ણવી મને તે લેવા કહેલું, પણ અત્યાર લગીમાં હુ બટાટાં લેવા તરફ વળેલો નહિ. આગ્રાના આ બે માસ દરમ્યાન સ્થિતિ એવી આવી કે મારે તેના ઉપર વિચાર કરવો પડ્યો. દિવસે ને રાતે ઉજાગરા કરવા પડે. અનાજ ખાવું પાલવે નહિ. દૂધ ઘણું મળે, પણ દરેક વખતે તે લેવું ફાવે નહિ અને ભાવે પણ નહિ. બીમારી માટે પાણી તો ગરમ કરાવવું જ પડતું. વ્રજલાલજીની માતા પાણી ગરમ કરે ત્યારે બટાટા બાફી લેતાં ને તે ઉપર મોટે ભાગે નભતાં. તેમણે મને કહ્યું કે સુખલાલ, તમે અવારનવાર બાફેલ બટાટાં લ્યો તો કાંઈક ભૂખ પણ શમે, દૂધની રુચિ પણ થાય ને ઉજાગરામાં બાધા પણ ન આવે. મેં પહેલાં તો બહુ સંકોચ સાથે એક બાફેલું બટાટું ખાધું. ત્યાર બાદ તે ઉપર વિચાર કરતાં મને બટાટાં લેવાનો માર્ગ સરળ ને નિર્દોષ જણાયો. ત્યારથી જ મેં બટાટાં લેવા શરૂ કર્યા તે અદ્યાપિ ચાલુ છે. ડુંગળી ને લસણ વિષે મને ઘણા દેશી વૈદ્યમિત્રો કે કુટુંબો વચ્ચે પણ લાંબો વખત રહ્યો છું એટલે એ બંનેના વપરાશના ફાયદાઓ જાણું છું. એને ખાવામાં દઢ જૈનો માને છે એવું પાપ માનતો ક્યારનોય મટી ગયો છું. છતાં આજ લગી એને ખાવાની મારી રૂચિ સહજપણે જાગી જ નથી. હું પોતે ડુંગળી ને લસણ લેતો નથી, પણ તે જે લેતા હોય તેને આડે કદી નથી આવતો, એટલું જ નહિ, પણ જરૂર પડતાં તેને તે વસ્તુઓ લાવી આપવામાં મદદ કરું છું અને રુચિ ધરાવતા હોય તેને એ વસ્તુઓ ખાવાનું ઉત્તેજન આપતાં સંકોચતો પણ નથી. વો, દેવીભક્તો અને તાંત્રિકોમાં માંસમદ્યના સેવનનો પ્રતિબંધ નથી, જ્યારે બધા જ વૈષ્ણવોમાં જેનોની પેઠે માંસ-મદ્યના સેવન ઉપર સખત પ્રતિબંધ હોય છે. ડુંગળીલસણની બાબતમાં વૈષ્ણવો જેનો જેટલા જ કદર હોય છે, પણ ડુંગળી-લસણની વર્ધતા પાછળ વૈષ્ણવોનું દૃષ્ટિબિંદુ જૈનોના દૃષ્ટિબિંદુથી સાવ નિરાળું છે. અનન્તકાય હોવાને કારણે અહિંસાની દૃષ્ટિથી જૈનો ડુંગળી-લસણને એકાન્ત વજ્ય માને છે, જ્યારે વૈષ્ણવો અને શૈવો માત્ર શાસ્ત્રનિષિદ્ધ હોવાને કારણે જ તેને વર્ષ માને છે. ડુંગળી કે લસણમાં અનન્ત જીવરાશિ છે ને તેથી તે અખાદ્ય છે એવું જૈન દૃષ્ટિબિન્દુ ન સ્વીકારવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy