SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ફરી પૂના તરફ • ૧૬૩ પણ એક રત્ન ગણાય છે. પાણીના પ્રવાહોથી આસપાસનાં ખેતરોમાંથી તણાઈ બાવળની શૂળો રસ્તા ઉપરના પાણીમાં એકઠી થયેલી તે ઉઘાડા પગને પાણીમાં જ ચૂમતી. એક શૂળ કાઢીએ ત્યાં બીજી ભોંકાય, બીજી કાઢીએ ત્યાં ત્રીજી પગમાં વીંધાઈ તૂટીને અંદર રહી જાય. ઉપરથી વરસાદ, નીચેથી ફૂલો, ને બાજુની દિશાઓમાંથી પવન એ બધાંનો સ્વાદ ચાખતાં માત્ર હું ને રમણીકલાલ બંને વાલી ગામ પહોંચ્યા. આ વખતે હું તે છેક થાકી ગયેલો, પણ થાક કરતાંય ભાંગેલી શૂળોની વેદના સખત હતી. હજામ આવ્યો. કેટલાય ભાંગેલા કાંટા પગને ખોદી ખોદી કાઢ્યા છતાં બેએક કેટકે તો પગ સાથે એવી પાકી દોસ્તી બાંધેલી કે તે નીકળ્યા જ નહિ. હું લંગડાતે અને પાકેલ પગે પાટો બાંધી બીજે દિવસ સાદડી પહોંચ્યો. ત્યાં મહારાજજીને મળ્યો. તેમણે તો અમારી સાહિત્યિક પ્રવૃત્તિને ખૂબ આશીર્વાદ આપ્યા ને પ્રોત્સાહન પણ આપ્યું. રાણકપુરની યાત્રા અમે બંને બળદગાડી કરી રાણકપુરના ચૌદસો થાંભલાવાળા સુપ્રસિદ્ધ જૈન મંદિર જોવા ને દર્શન કરવા ઊપડ્યા. એ ભવ્ય અને વિશાળ મંદિરમાં જતાં જ તેના બંધાવનારની ઉદારતા અને કલ્પનાશક્તિ વિષે અનેક વિચારો આવવા લાગ્યા. તે વખતના ત્યાંના જૈન લોકોના અભ્યદયનો, ધાર્મિક વૃત્તિનો તેમજ કલાપ્રિયતાનો આભાસ થયો. અનેક જૈન યાત્રીઓ ને કળાપ્રેમીઓ એ જૈનમંદિરની મુલાકાતે હમેશાં આવતા રહે છે. આજે તો એ જૈન વસ્તી વિનાના એક પર્વતીય પ્રદેશના ખૂણામાં ધ્યાની યોગીની પેઠે એકલુંઅટૂલું નિરાવલંબ આકાશને આલંબન આપતું હોય એમ ઊભું છે. ધરતીકંપના અનેક આંચકાઓ ને વિદ્યુતપાતના પ્રહારો વચ્ચે પણ તે ધરણવિહાર આણંદજી કિલ્યાણજીની પેઢીની કાળજીભરેલી દેખરેખ નીચે પોતાનું પ્રાચીન નૂર સાચવી રહેલ છે. તે બંધાવનાર ધરણા શાહના નામને સાર્થક કરતું હોય તેમ પોતાના અસ્તિત્વને ધારણ કરી રહ્યું છે. લીમલી થઈ અમદાવાદમાં ઝવેરી મંગળભાઈને ત્યાં સાદડીથી પાછા ફરી ફાલના સ્ટેશન ઉપર રહેલા બાકીના સાથીઓને સાથે લઈ અમે બધા વઢવાણ કેમ્પ થઈ મારા વતન લીમલીમાં પહોંચ્યા. ગામડાનો વૈદ્ય હજામ અને ડોસી. એ વાત આજે પણ ગામડામાં જનારને સાચી જ દેખાશે. તે વખતે લીમલીમાં એક ઘરડા ને ડાહ્યા હજામ રહેતા. તેમણે પગમાં રહી ગયેલ કાંટાને બહાર લાવવા માટે ડુંગળી બાંધવાનો નુસખો બતાવ્યો. મેં એને અજમાવ્યો. કાંટો નીકળ્યો ન હતો. ને ખોદેલ ભાગને રૂઝ પણ આવી ન હતી. પિતાજી અને બીજા વડીલોએ બધું ઠીક થઈ જાય ત્યાં લગી રોકાઈ જવા કહ્યું, પણ પૂના પહોંચવાની ધૂને મને જંપવા દીધો નહિ. અમે બધા અમદાવાદ આવ્યા. વિજયવલ્લભસૂરિએ પ્રથમથી જ સૂચવી દીધેલું એટલે ઝવેરી મંગળભાઈ તારાચંદે ત્યાં મારા વાસ્તે બધી રહેવા વગેરેની ગોઠવણ કરેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy