SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ૦ મારું જીવનવૃત્ત બંગલે ગયો. હું પંડિત છું ને પંડિત તો ચોકાવૃત્તિનો જ હોય છે. પંડિત બ્રાહ્મણ સિવાય બીજાના હાથનું જમે પણ નહિ આવી ધારણાને લીધે શિવલાલભાઈએ મારા માટે જમવાનો પ્રબંધ રસોડામાં બ્રાહ્મણ રસોઈ કરતો ત્યાં કરેલો અને તેઓ બધા બીજા હોલમાં ટેબલખુરશી ઉપર જમવા બેઠેલા. રસોઇયો બહુ ચબરાક હતો. એણે પણ હું પંડિત છું માટે બ્રાહ્મણ જ હોઈશ ને ચોકાધર્મી હોઈશ એમ માની મને બહુ કાળજીથી, ચોખ્ખાઈથી ને આદરથી પીરસવા માંડ્યું. પીરસતો જાય ને સાહેબ વિષે ટીકા પણ કરતો જાય. એને લાગ્યું કે હું એને સમાનધર્મી મળી ગયો છું માટે સાહેબોની છૂટ વિષે બધો ઊભરો કાઢી શકીશ. એ કહે - જુઓને પંડિતજી ! આ અમારા સાહેબ ફરવા જાય ત્યારે બૈરીના હાથમાં હાથ મેળવી ચાલે. જુઓને, આ બધાં વિલાયત જઈ આવેલાં. એમને પીરસનાર જે આ બધું ખાવાનું લઈ જાય છે તે મુસલમાન છે ને જોડા પણ કાઢતો નથી, પણ હું તો પાકો છું. મારા ધર્મને જરાય આંચ આવવા દેતો નથી. બધાને ચોકા બહાર ઊભા રાખીને જ આપવું હોય તે આપું છું. બધું મૂંગે મોઢે સાંભળતો અને વચ્ચે વચ્ચે એ મહારાજની રામાયણ સાંભળવાનો આનંદ લૂંટવા એકાદ પ્રશ્ન એને પૂછી લેતો. ભોજનનો અંક તો પૂરો થયો. ત્રણ વાગ્યા ને ચાનો વખત થયો. ટેબલ સજાયું, ખુરશીઓ ગોઠવાઈ. સાહેબને શંકા એ હતી કે પંડિત છે માટે ચા તો પીતા જ નહિ હોય ! ને કાંઈક નાસ્તો કે ફળ લેશે તોય તેમને ખુરશી તો નહિ જ ‘કલપતી’ હોય. પંડિતને પાટલો જ ખપતો હશે. એમ ધારી તેમણે મને કહ્યું કે, તમારે માટે અંદર અને કહો તો અહીં પાટલો નંખાવું. તમે શું લેશો ? ઇત્યાદિ. મેં કહ્યું – જે લેવું હશે તે ખુરશી ઉપર બેસી આ ટેબલ ઉપરથી હું લઈ શકું છું. એમાં પાટલાની કે રસોડામાં જવાની શી જરૂર છે ? ખુરશી ને ટેબલ એ તો બેસવા અને જમવાના પાટલાનો આધુનિક વિકાસ માત્ર છે. જરાક ઊંચે બેસવાથી કાંઈક અધર્મ થોડો થાય છે અને નીચે બેસવાથી ધર્મ થાય છે ? ઇત્યાદિ. મારા આ કથને તેમનો પંડિતના ધર્મ વિષેનો ભ્રમ ભાંગ્યો. તેમણે કહ્યું, મેં તો તમને પંડિત ગણી સવારે રસોડામાં જુદી ગોઠવણ કરેલી. તમે તો પંડિત છતાં અપંડિત પણ છો. ચા-નાસ્તો ને હાસ્યવિનોદ ત્રણેની ગતિ સમાન હતી. ધર્મની વાત નીકળી. સાહેબે પોતાની માતાને નાની ઉંમરમાં સ્થાનકવાસી પરંપરાનું પ્રતિક્રમણ કરતાં જોયેલાં ને તેમને એ પ્રતિક્રમણના અમુક પાઠો યાદ રહેલા, એટલે તેમણે એ પાઠોના ઉચ્ચાર સાથે પ્રતિક્રમણનો અભિનય કરી ધર્મના રૂઢસ્વરૂપનો પરિચય આપ્યો. ને હસાહસ ચાલી. આ વખતે શિવલાલભાઈ સાથે જે પરિચય શરૂ થયો તે ધીરે ધીરે વધતો ચાલ્યો. મેં તેમના વાંચવાના ટેબલ ઉપર અનેક જૈન પુસ્તકો પડેલાં જોયેલાં. તે કહેતા કે હું હજી તો વાંચી રહ્યો છું. વખત પાસે કાંઈક લખીશ. ત્યાર બાદ અમે કાશી ને ભાવનગરમાં ઘણી વાર મળ્યા ને અરસપરસ ખૂબ ચર્ચાઓ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy