SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ લેખનકાર્યનો દઢ સંકલ્પ • ૧૩૩ પૂના જવાની તૈયારી મુંબઈથી શ્રીમાન જિનવિજયજીની સબળ ભલામણ સાથે ચુનીલાલ કાનૂનીનો પત્ર આવ્યો. તે પૂના જૈન છાત્રાવાસના મંત્રી હતા. તેમની ઈચ્છા હતી કે હું ત્યાં એ - છાત્રાવાસમાં રહેતા ને જુદી જુદી અનેકવિધ કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને એકાદ કલાક તત્ત્વજ્ઞાન આદિ વિષયોને લગતું રોજ કાંઈક શિક્ષણ આપું. ભાંડારકર, ગોખલે, તિલક ને કર્વેના પૂના વિષે મેં બહુ સાંભળેલું ને વાંચેલું. રાજકારણની દૃષ્ટિએ પૂના જ હિન્દુસ્તાનનું તીર્થધામ છે એવા મતલબની દેશબંધુ દસની ઉક્તિની મારા ઉપર છાપ પડેલી. નવીન કેળવણીની દૃષ્ટિએ પૂના કાશીથી પણ ચડી જાય છે એવી મારી ધારણા પણ બંધાયેલી. સંસ્કૃત તેમજ પ્રાચ્ય વિદ્યાઓની દષ્ટિએ કાશી પછી બીજું સ્થાન પૂનાનું જ છે એવી સાચી કે ખોટી માન્યતા પણ બંધાયેલી. આ કારણથી ક્યારેક પૂના રહેવાનું અને ત્યાં રહી મરાઠા તેમજ પેશ્વાના સમયના અવશેષોનું અધ્યયન કરવાનું મન કેટલાક વખત થયા કરતું હતું જ. તેથી મેં પૂના જવાનો મારો નિર્ધાર પત્રલેખકને જણાવી દીધો. ને કાશીની ઘરવખરી સમેટવા તેમ જ પૂના જવાની તૈયારી કરવા લાગ્યો. એસ. પી. શાહ, નરોત્તમ ભાણજી અને પરમાણંદભાઈનું કાશીમાં આગમન આ આઠ મહિનાના કાશીવાસ દરમિયાન ત્રણ એવી વ્યક્તિઓનો મને પરિચય થયો કે, જેમની છાપ મારા જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે તેથી એનો ઉલ્લેખ અત્રે આવશ્યક છેઃ આઈ. સી. એસ. શિવલાલ પાનાચંદ, કાપડિયા નરોત્તમ ભાણજી અને પરમાણંદ કુંવરજી આ ત્રણેય ઓચિંતા જ એક દિવસ હું હતો ત્યાં ગંગાતટ ઉપર જૈનમંદિરમાં આવી ચડ્યા. એસ. પી. શાહ મારા વતનની નજીક વઢવાણના ને મારી નાતના જ હતા. તેઓ I. C. Sની પરીક્ષામાં ઉચ્ચ ધોરણે પાસ થયેલા ત્યારે તેમનું ચિત્રમય જગતમાં આવેલું રેખાચિત્ર વાંચેલું. એથી વધારે તેમનો પરિચય ન હતો. નરોત્તમભાઈ પહેલાં બેએક વાર મળેલ, પણ તેમની ઇચ્છા છતાં મેં તેમનો વિશેષ પરિચય નહિ સાધેલો. પરમાણંદદાસે પોતાના કોલેજના અભ્યાસ દરમિયાન મૂર્તિપૂજા અને ઉત્તરરામચરિત્ર વિષે વિવચનાત્મક બે નિબંધો લખેલા તે એમના પિતાશ્રી કુંવરજીભાઈએ મને ભાવનગરમાં જોવા આપેલા. એ નિબંધો ઉપરથી મને તેમની પ્રતિભા અને નિર્ભયતાનું દર્શન તો થયેલું, પણ તેમનો કોઈ ખાસ પરિચય થયેલો નહિ. મંદિરના આંગણામાં ઊભા રહી ગંગાનું દશ્ય જોતાં જોતાં શ્રીયુત નરોત્તમભાઈએ બધા સાથે મારો પરિચય કરાવ્યો ને સાથે જ આમંત્રણ આપ્યું કે તમે સાહેબને બંગલે જમવા આવજો. આ વખતે શિવલાલભાઈ નવા જ વિલાયતથી આવેલા. કાશીમાં મોટા અમલદાર ને સાહેબ તરીકે જાણીતા. સાહેબના જ પોશાકમાં સજ્જ ને પોતાની પત્ની મણિબહેન સાથે સાહેબી-છૂટથી જ ચાલતા. તે કારણે પણ કદાચ મકરીમાં નરોત્તમભાઈએ શિવલાલભાઈને મારી સામે “સાહેબ” કહ્યા હોય. ગમે તેમ હોય. હું બીજે દિવસે તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy