SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ લેખનકાર્યનો દઢ સંકલ્પ • ૧૨૯ તો કાશીમાં કરવી પછી જ્યાં અનુકૂળ સંજોગો હોય ત્યાં રહી આગળની પ્રવૃત્તિઓ ચલાવવી. કર્મગ્રન્થોનો અનુવાદ ડાલચંદજીની ઇચ્છા હતી કે, કેટલાક જૈન શાસ્ત્રીય ગ્રન્થો હિન્દીમાં ભાષાંતર સહિત પ્રસિદ્ધ કરવા ને હિન્દીમાં શાસ્ત્રીય શિક્ષણ આપવાનું સાધન તૈયાર કરવું. સૌથી પહેલાં છ કર્મગ્રન્થો પ્રસિદ્ધ થાય તો સારું કેમ કે તે જૈન સમાજની બધી ધાર્મિક સંસ્થાઓમાં શીખવવામાં આવે છે ને સંસ્થાઓ બહાર પણ એનો બહુ પ્રચાર અને એનું બહુ મહત્ત્વ છે. મારે તો કાંઈ નિમિત્ત જ જોઈતું હતું. કર્મગ્રન્થોના હિન્દીમાં અનુવાદ કરવાના વિચારથી હું કાશી ઊપડી ગયો. ત્યાં હજી પહેલાં સ્થાન અને પુસ્તકાદિ સામાન સુરક્ષિત જ હતાં. મિત્ર વ્રજલાલજીની માતા પણ ત્યાં જ હતાં. હા, એક નવો પાળેલ કૂતરો જરૂર ઉમેરાયો હતો. કાન્યકુબ્બ બ્રાહ્મણ લક્ષ્મીનારાયણ, જે મૂળે ફતેહપુર યુ.પી.)નો નિવાસી અને મારી સાથે પાટણ પણ રહેલો તે અત્યારે હું રહેવાનો હતો ત્યાં જ જૈન મંદિરમાં પૂજારી તરીકે હોવાથી મારી સગવડમાં ઉમેરો થયો. કાશીમાં સાદગીના પ્રયોગો કાશીમાં ગયો તો હતો લેખનપ્રવૃત્તિની સાધના કરવા, પણ સાથે સાથે ગાંધીજીના સહવાસથી સાદગી અને જાતમહેનતી જીવન જીવવાના સંસ્કારો પણ લઈ ગયો હતો. આ સંસ્કારોને અનુરૂપ જ બધું તંત્ર ગોઠવી લેખન વિષેનો અભ્યાસ સિદ્ધ કરવો હતો. વાસના અને સંસ્કારને બંધબેસતી એવી બીજી પણ અનુકૂળતા મળી ગઈ. મારો એક ભત્રીજો જે તે વખતે લગભગ ૧૪-૧૫ વર્ષનો હશે તે આ વખતે મારી સાથે આવેલો. એ અંગ્રેજી સ્કૂલમાં અમદાવાદ ભણતો. એને વારંવાર આવતી ઉધરસ ને આંખમાં થઈ આવતાં ખીલોને લીધે હું એના આરોગ્ય વિષે સંચિત હતો. વડોદરાવાળા વ્યાયામનિષ્ણાત માણેકરાવે એનું શરીર તપાસી કહ્યું કે, આનું બંધારણ જ નબળું છે એટલે એ પ્રથમ શરીર સુધારે તો સારું, ઇત્યાદિ, ઉધરસ અને ખીલ બંનેનું કારણ શરીર ને આંખની નબળાઈ છે તેમજ સ્કૂલનો અભ્યાસ અને પરીક્ષાની ચિંતા એ નબળાઈમાં ઉમેરો કરે છે એ મને આપમેળે જ સમજાઈ ગયું. મેં નક્કી કર્યું કે એ છોકરાને સ્કૂલના અભ્યાસથી મુક્ત કરવો ને પ્રથમ શરીર-સુધારણા તરફ ધ્યાન આપવું. આ દૃષ્ટિથી એને મેં સાથે લીધેલો. જે ગ્રન્થોના હું અનુવાદ કરવા ઇચ્છતો હતો તે ગ્રન્થો ને તેના વિષયનો એક અભ્યાસી વિદ્યાર્થી પણ મને મળી આવ્યો. એનું પૂરું નામ ભાઈ હરખચંદ શિવલાલ. એ મૂળે મારા મોસાળ કોંઢનો વતની, પણ એનો પરિચય મને મહેસાણામાં થયેલો. એ બહુ નમ્ર, સેવાભાવી ને જિજ્ઞાસુ પણ હતો. હરજીવન, હરખચંદ, પૂજારી લક્ષ્મીનારાયણ, એનો પાંચ વર્ષનો એક પુત્ર ને હું એમ પાંચ જણાના ખર્ચની જવાબદારી સાથે કાશીમાં રહેવાનું હતું. જે પુસ્તક પ્રચારક મંડળ માટે હું કામ કરી રહ્યો હતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy