SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ૭ મારું જીવનવૃત્ત ગોવર્ધન તરફ કરડી નજરે જુએ. એ પણ તેમને ન ગણકારે. આ ધૂંધવાતો અગ્નિ કેશરિયાજી બહુ દૂર ન હતું તે વખતે સંઘના એક પડાવમાં બહાર આવ્યો. કેટલાક હઠીલા પટણીઓએ નક્કી કર્યું કે ગોવર્ધનને અહીંથી જ પાટણ પાછો કાઢવો. ગોવર્ધને નક્કી કરેલું કે, સંઘ છોડીને પણ તે એકલો કેશરિયાજી તો જશે જ. આ રસાકસીની વાણિયાશાહી વાટાઘાટ વખતે શ્રી જિનવિજ્યજીની ક્ષત્રિય પ્રકૃતિ બહાર આવી. તેમણે વાણિયાઓને ખૂબ ધમકાવી કહ્યું કે તમે શું સમજો છો ? ગોવર્ધન વિષે તમે આટલું ગંદું વાતાવરણ ફેલાવ્યું છે તેનો કાંઈ પુરાવો છે ? અસહાય બે બહેનોને સૌથી પહેલાં સાચવી લેવાની સંઘપતિની જ ફરજ છે. ગોવર્ધન મદદ આપે છે, એમાં શું ખોટું છે ? એમની રુઆબી ધમકી સાંભળતાં જ બધા વાણિયા ઠંડાગાર. હું બહારથી ફરીને આવ્યો ને આ બનાવ વિષે સાંભળ્યું ત્યારે મને બહેનોની લાચારી ને પુરુષોની ઉદ્ધતાઈ વિષે અનેક વિચારો આવ્યા કેમ કે એ બંને બહેનોને હું જાણતો ને મારા કહેવાથી જ મારા તંબુમાં તેમને આશ્રય મળતો. ગોવર્ધનનું અભિમાન ઉતારવાના પ્રયત્નોમાં બહેનો કેવી વગોવાય છે, તેમની મનોવ્યથા શી છે ? એનો સમાજમાં આગેવાન ગણાતા પુરુષોને સુધ્ધાં વિચાર ન આવતો એ હું ત્યાં જોઈ શકયો; ને ધર્મયાત્રા કરવા નીકળેલ સદ્ગૃહસ્થો પણ સામાજિક વ્યવહારમાં કેટલા પછાત ને ક્ષુદ્ર છે એનું મને ત્યાં સ્પષ્ટ ભાન થયું. બળદના દુ:ખે દુ:ખી પહાડની સાંકડી ને કે પથરીલી ઘાટીમાંથી ગાડાંઓ પસાર થતાં હતાં. હું ગાડી ઉપર બેઠેલો. ત્યાં અચાનક કડડડભૂસનો અવાજ થયો. ગાડીવાન જુએ છે. તો બળદનો એક પગ ભાંગી ગયો. અને બળદ સાથે ગાડી પણ નમી પડી છે. બળદો ભારે મજબૂત અને પુષ્ટ. જેનો પગ ભાંગ્યો હતો તે બળદ કેમેય ઊભો ન થાય. શું કરવું ? એ પ્રશ્ન ઉપસ્થિત થયો. પાછળની ગાડીઓ એ સાંકડા રસ્તામાંથી આગળ કેવી રીતે નીકળી. શકે ? ગાડી અને પગભાંગેલ બળદનું શું ? કેશરિયાજી ભેગું કેમ થવું ? બળદ કોઈપણ રીતે ત્યાં પહોંચે તોય આગળ તેનું શું ? એનો માલિક બિચારો ભાડે આવેલ તે આવા કીમતી બળદને ગુમાવે અને તેને પાલવે કેમ ? પગભાંગેલ બળદને રોતાં રોતાં કચાંય છોડી જાય તોય આગળ તેની ખેતીનું શું ? નવો બળદ લેવા મદદ કોણ આપે ? હજારો ખર્ચવા નીકળેલ સંઘપતિની એ ફરજ ખરી કે તેમણે પગભાંગેલ બળદ જીવે ત્યાં લગી તેને સાચવવાની વ્યવસ્થા કરવી ને ગાડીવાનને બીજો બળદ લેવામાં મદદ કરવી ? સંઘના યાત્રીઓની શી ફરજ ! ઇત્યાદિ અનેક પ્રશ્નો મારી પેઠે બીજાઓને પણ મૂંઝવવા લાગ્યા. છેવટે મેં કેટલાક દયાળુ ભાઈઓની મદદથી એટલું તો નક્કી કર્યું કે ગમે તે રીતે આ બળદને કેશરિયાજીના ધામ સુધી પહોંચતો કરવો ને તેનો પગ ન સુધરે તો જીવે ત્યાં લગી તેને સાચવવાની પૂરી ગોઠવણ કરવી. અમે દુ:ખિત દિલે કેશરિયાજી પહોંચ્યા. આખરે બળદ પણ ત્યાં પહોંચ્યો, પરંતુ મને યાદ છે કે હું કેટલાય મિત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy