SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આબુની યાત્રા અને પાટણમાં પ્રવેશ • ૧૧૧ મળી તો આવો, ઈત્યાદિ. હું પાટણ ગયો અને પ્રવર્તકજીને મળ્યો. તેમની અને તેમના શિષ્ય મુનિ ચતુરવિજયજીની તદ્દન નિખાલસ વાત સાંભળીને મેં અત્યાર લગીમાં સાધુઓ વિષે બંધાયેલ પૂર્વગ્રહને બાજુએ મૂકી પાટણ રહેવા નક્કી કર્યું. મારા વિચારની આ ત્રીજી ભૂમિકા હતી. એટલી ભૂમિકામાં પોતાને જ સ્થાને આવનાર સાધુઓને ભણાવવાનો નિર્ધાર હતો. બીજી ભૂમિકામાં મહેસાણાની જૈન પાઠશાળાને ઉદાર ને ઉચ્ચ ધોરણ ઉપર લઈ જઈ તે દ્વારા ગુજરાતમાં જ શાસ્ત્રીય શિક્ષણ પ્રચારવાનો ઉદ્દેશ હતો. આ ત્રીજી ભૂમિકામાં તો પ્રવર્તકજીના શિષ્ય-પ્રશિષ્યને ભણાવવાનો ઉદ્દેશ હતો. સંકીર્ણ મનોવૃત્તિના સાધુસમાજનો ઠીક ઠીક પરિચય થયા છતાં મેં પ્રવર્તકજી પાસે રહેવાનું નક્કી કર્યું. તેનાં સબળ કારણો આ હતાં - ૧. હું કાશીમાં ગયો ત્યારથી જ મેં મારા અધ્યાપક અંબાદત્ત શાસ્ત્રીના મોઢેથી પ્રવર્તકજી વિષે અનેકવાર સાંભળેલું હતું કે, મેં ગુજરાતમાં અને અહીં જેટલા સાધુઓ જોયા છે તેમાં કોઈ ઉદાર અને સજ્જન વધારે હોય તો તે કાન્તિવિજયજી છે. એ જ પ્રમાણે મુંબઈથી વિદાય થતી વખતે હર્મન યાકોબીએ એક મેળાવડામાં એમ કહેલું કે, મેં ઘણા સાધુઓનો પરિચય કર્યો, પણ તેમાં કાન્તિવિજયજીએ મારું ધ્યાન વધારે ખેચ્યું છે. ૨. પ્રવર્તકજીની આવી તટસ્થ પ્રશંસા સાંભળ્યા ઉપરાંત શ્રીમાન જિનવિજયજીનો પણ તેમના વિશે તેવો જ અભિપ્રાય હતો કે આ વખતે તેઓ પોતે પણ પ્રવર્તકજીની સાથે રહેવાના હતા. ૩ ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસનું તેમ જ જૈનપરંપરાની એક વખતની જાહોજલાલીનું કેન્દ્ર પાટણ એટલે ત્યાં રહી ત્યાંના વિશ્વવિખ્યાત જૈનભંડારો વિષે વધારે જાણવાની ને હેમચંદ્ર મૂકેલા અવશેષોનો પરિચય સાધવાની પ્રબળ વૃત્તિ પણ હતી. સંશોધનનો અનુભવ, આગમવાચના અને ગીતારહસ્ય પાટણ રહ્યો ને ત્યાં પાંચસાત વિદ્યાર્થીઓનું મંડળ પણ સાથે રહ્યું. ભણનાર તો મુખ્યપણે બે જ કહેવાય. મુનિશ્રી ચતુરવિજયજી અને તેમના શિષ્ય મુનિશ્રી પુણ્યવિજયજી, ભણાવવામાં ત્રણેક કલાક જતા, પણ આ વખતે એક નવીન જ દિશામાં મારું પ્રસ્થાન થયું. અત્યાર લગી ભણનાર ભણતા ખરા, પણ સાથે સાથે જૂની કાગળની કે તાડપત્રની પ્રતિઓ રાખી પાઠ્યપુસ્તકનું સંશોધન કોઈ ન કરતા. જ્યારે મુનિશ્રી ચતુરવિજયજી અને પુણ્યવિજયજી અનેક તાડપત્રની અને કાગળની પ્રતો રાખી પાઠ્યપુસ્તક ભણતા ને પ્રતિઓને તેમ જ મારી કલ્પનાઓને આધારે યથોચિત પાઠનું સંશોધન પણ કર્યે જતા. શરૂઆતમાં અધ્યયનની ગતિ મને મંદ લાગી, પણ અનુભવે એમ લાગ્યું કે પાઠ્યપુસ્તક જો શુદ્ધ ન હોય ને શુદ્ધ કરવું હોય તો માત્ર કલ્પનાને આધારે શુદ્ધ કરવાનો પંડિતા માર્ગ વૈજ્ઞાનિક નથી. લિખિત પ્રતિઓનો આશ્રય લેવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy