SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૮૩ કોઈ આરોપેલ અનિષ્ટ પ્રસંગને જે દષ્ટાંત દ્વારા દૂર કરી ઈષ્ટ તત્ત્વનું સ્થાપન કરવામાં આવે તે દાંત સ્થાપનકર્મ. પ્રત્યુત્પન્નવિનાશી એટલે તત્કાળ જ પ્રાપ્ત થયેલ અનિષ્ટ સ્થિતિનો નાશ જે દષ્ટાંત દ્વારા કરવામાં આવે તે. આ બંનેનાં ઉદાહરણ નીચે પ્રમાણે : (૧) સ્થાપનાકર્મ :- શબ્દને કૃતકત્વ હેતુથી અનિત્ય સિદ્ધ કરતા વાદીને કોઈ પ્રતિવાદી કહે કે વર્ણાત્મક શબ્દ તો નિત્ય છે, તેમાં કૃતકત્વ નથી. એ રીતે હેતુમાં વ્યભિચારનો અનિષ્ટ પ્રસંગ આવતાં જ તુરત વાદી ફરી હેતુનું સમર્થન કરી લે કે વર્ણાત્મક શબ્દ અનિત્ય છે; શાથી જે તે કારણની ભિન્નતાથી ભિન્ન દેખાય છે–ઘટની જેમ. આ રીતે કૃતકત્વરૂપ હેતુ ઉપર આવી પડેલ વ્યભિચારનો અનિષ્ટપ્રસંગ દૂર કરવા ફરી તે હેતુનું સમર્થન (સ્થાપન) ઘટ દૃષ્ટાંતથી થતું હોવાને લીધે તે સ્થાપનાકર્મ દષ્ટાંત કહેવાય. (૨) પ્રત્યુત્પન્નવિનાશી :- કોઈ કહે જે અમૂર્ત હોવાથી આકાશની જેમ આત્મા અકર્તા જ છે. આ જૈનવાદીને અનિષ્ટ છે. તેવું તત્કાળ પ્રાપ્ત થયેલું અનિષ્ટ દૂર કરવા તે કહે–આત્મા મૂર્તિ હોવાથી દેવદત્તની પેઠે કથંચિતુ કર્તા છે. તો આ દેવદત્તનું દૃષ્ટાંત ઉક્તનું અનિષ્ટ નિવારક હોવાથી પ્રત્યુપન્ન વિનાશી દષ્ટાંત કહેવાય. હેતુના ચાર પ્રકાર ત્રણ રીતે બતાવવામાં આવ્યા છે. (૧) યાપક, સ્થાપક, વ્યસક અને લૂષક. (૨) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. (૩) બસ્તિ તત્ સ્તિ સ: I પ્તિ તત્ નાસ્તિ સા | नास्ति तत् अस्ति सः । नास्ति तत् नास्ति सः । બીજી રીત પ્રમાણે પ્રત્યક્ષાદિ ચાર હેતુઓ એટલે ચાર પ્રમાણો પ્રસિદ્ધ છે. તેથી તેમનું વર્ણન અનાવશ્યક છે. બાકીનાનું નીચે પ્રમાણે – (૧) યાપક : પુષ્કળ વિશેષણોને લીધે જે હેતુ સમજતાં પ્રતિવાદીને ૧. જુઓ સ્થાનાંગટીકા પૃ. ૨૫૬. ૨. હે વā i નાવ, થાવરે, વંસ, નૂ, અથવા ફેઝ વ્યિ પં. નં. पच्चक्खे, अणुमाणे, ओवम्मे, आगमे, अहवा हेऊ चउव्विहे पं० तं० अत्थित्तं अत्थि सो हेऊ, अत्थित्तं णत्थि सो हेऊ, णत्थित्तं अत्थि सो हेऊ, णत्थितं णत्थि सो हेऊ । स्था० सू० ३१८ पल्. २५४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy