SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૭૫ કોઈ ઘટાદિ કૃતક વસ્તુ અનિત્ય અને શબ્દાદિ કૃતક વસ્તુ નિત્ય એમ પણ હોય. આ રીતે વિકલ્પ દ્વારા દૂષણ આપવું તે વિકલ્પસમ. (૮) જેવો ઘટ તેવો શબ્દ છે એમ કહેતા હો તો જેવો શબ્દ તેવો ઘટ એમ પણ પ્રાપ્ત થાય. અને તેમ થાય તો શબ્દ સાધ્ય હોઈ ઘટ પણ સાધ્ય જ ગણાય. હવે સાધ્યનું દૃષ્ટાંત સાધ્ય હોઈ શકે નહિ. દષ્ટાંત તો સિદ્ધ જ હોવું જોઈએ. જો દષ્ટાંતને સિદ્ધ માનો તો શબ્દ અને ઘટ વચ્ચે અસમાનતા આવવાથી તે બિલકુલ જ દષ્ટાંત ન થઈ શકે. આ રીતે દષ્ટાંતમાં સાધના (પક્ષના) સામ્યનું આપાદન કરવું તે સાધ્યમ. (૯)-(૧૦) કૃતકત્વ હેતુ પોતાના સાધ્ય અનિત્યત્વને પ્રાપ્ત થઈને સિદ્ધ કરે છે કે અપ્રાપ્ત થઈને ? જો પ્રાપ્ત થઈને સિદ્ધ કરે છે એમ કહો તો બંને વિદ્યમાનની જ પ્રાપ્તિ ઘટતી હોવાથી કોણ સાધન અને કોણ સાધ્ય એ નક્કી નહિ કરી શકાય. જો અપ્રાપ્ત થઈને સાધ્ય સિદ્ધ કરે છે એમ કહો તો અપ્રાપ્ત હેતુ કદી જ સાધક ન હોઈ શકે. આ રીતે પ્રાપ્તિ અને અપ્રાપ્તિનો વિકલ્પ કરી દૂષણ આપવાં તે અનુક્રમે પ્રાપ્તિસમ અને અપ્રાપ્તિસમ. (૧૧) અનિત્યત્વ સિદ્ધ કરવા માટે કૃતકત્વને હેતું કરવામાં આવે તો કૃતકત્વને સિદ્ધ કરવામાં હેતુ કયો? અને વળી તે કૃતકત્વસાધક હેતુને સિદ્ધ કરનાર બીજો હેતુ કયો ? એ રીતે અનવસ્થાપ્રસંગનું આપાદન કરવું તે પ્રસંગસમ. (૧૨) જો પ્રયત્ન પછી જ ઉપલબ્ધ (પ્રયત્નાનન્તરીયક) હોવાને લીધે ઘટની જેમ શબ્દ અનિત્ય હોય તો કૂપખનન આદિ પ્રસંગે પ્રયત્ન પછી જ ઉપલભ્ય એવા આકાશની જેમ તે શબ્દ નિત્ય કેમ ન સિદ્ધ થાય ? આ રીતે પ્રતિદષ્ટાંતથી (વિરોધી દષ્ટાંતથી) દૂષણ આપવું તે પ્રતિદષ્ટાંતસમ. (૧૩) કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરો છો પણ તે હેતુ શબ્દ ઉત્પન્ન થયા પહેલાં ક્યાં રહે ? અને જો હેતુને રહેવાનો આશ્રય ન હોય તો હેતુના (કૃતકત્વના) અભાવને લીધે સાધ્ય જ સિદ્ધ ન થઈ શકે. એ રીતે અનુત્પત્તિ દ્વારા દૂષણ આપવું તે અનુત્પત્તિસમ. (૧૪) ઘટના સાધમ્ય કૃતકત્વથી શબ્દને અનિત્ય માનવો કે ઘટના વૈધર્મ પણ આકાશના સાધર્મે અમૂર્તત્વથી શબ્દને નિત્ય માનવો? આ રીતે સંશયનું આપાદન કરવું તે સંશયસમ. (૧૫) જો કૃતકત્વ હેતુથી ઘટની જેમ શબ્દને અનિત્ય સિદ્ધ કરો તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy