SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ૦ અનેકાન્ત ચિંતન કરે ત્યારે એમ દૂષણ આપવું કે જો અનિત્ય ઘટના કૃતકત્વ સાધર્મ્સ(સમાનધર્મ)થી શબ્દને અનિત્ય સિદ્ધ કરવામાં આવે તો નિત્ય આકાશના અમૂર્તત્વ સાધમ્મથી શબ્દ નિત્ય પણ કેમ ન સિદ્ધ થાય? આ રીતે સાધમ્મ દ્વારા દૂષણ આપવું તે સાધમ્પસમ. (૨) કોઈ વાદી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરતાં આકાશને વૈધર્મેદષ્ટાંત તરીકે મૂકી કહે કે જે અનિત્ય ન હોય તે કૃતક પણ ન હોય; જેમ કે આકાશ. ત્યારે વૈધર્મ દ્વારા દૂષણ આપવું કે જો નિત્ય આકાશના કૃતકત્વ વૈધમ્મથી અનિયત્વ સિદ્ધ થાય તો અનિત્યઘટના અમૂર્તત્વ વૈધમ્મથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થાય એ દૂષણ વૈધર્મસમ. (૩) કોઈ વાદી ઘટને દૃષ્ટાંત કરી તેના કૃતકત્વ સાધમ્મથી શબ્દને અનિત્ય સિદ્ધ કરતો હોય ત્યારે કહેવું કે જો કૃતત્વ સાધર્મથી ઘટની જેમ શબ્દ અનિત્ય સિદ્ધ થતો હોય તો ઘટની પેઠે જ તે મૂર્ત પણ સિદ્ધ થાય અને જો શબ્દને મૂર્ત ન માનો તો અનિત્ય પણ ન માનો. આ રીતે ઉત્કર્ષ દ્વારા દૂષણ આપવું તે ઉત્કર્ષસમ. (૪) પૂર્વોક્ત જ પ્રયોગમાં કહેવું કે જો કૃતક સાધમ્પથી ઘટની જેમ શબ્દને અનિત્ય સિદ્ધ કરો તો તે જ સાધર્મથી શબ્દ ઘટની જેમ અશ્રાવણ (શ્રવહેંદ્રિયથી અગ્રાહ્ય) પણ સિદ્ધ થાય. અને જો શબ્દને અશ્રાવણ ન માનો તો પછી ઘટદૃષ્ટાંતથી તેને અનિત્ય પણ ન માનો; આ રીતે અપકર્ષ દ્વારા દૂષણ આપવું તે અપકર્ષસમ. - (પ-૬) વણ્ય એટલે વર્ણન કરવા યોગ્ય સાધ્ય ધર્મ અને અવર્ય એટલે વર્ણન કરવાને અયોગ્ય દૃષ્ટાંતધર્મ. આ બંને વર્ય અને અવર્ય એવા સાધ્ય તથા દૃષ્ટાંતધર્મોનો વિપર્યાસ કરવાથી જે દૂષણ પ્રાપ્ત થાય છે તે વર્યસમ અને અવર્યસમ જાતિ. આ બંનેનું ઉદાહરણ :–જેમકે કોઈ ઘટદેષ્ટાંતથી કૃતકત્વ હેતુ દ્વારા શબ્દને અનિત્ય સિદ્ધ કરતો હોય ત્યારે કહેવું કે શબ્દમાં જેવું કૃતકત્વ છે તેવું કૃતકત્વ ઘટમાં નથી. અને ઘટમાં જેવું છે તેવું શબ્દમાં નથી. પક્ષ અને દષ્ટાંતના ધર્મો તો સમાન જોઈએ. અહીં તો શબ્દ કરતાં ઘટનું કૃતકત્વ જુદું છે. કારણ કે ઘટ કુંભકાર વગેરે કારણોથી બને છે. અને શબ્દ કંઠ, તાળુ આદિના વ્યાપારથી બને છે. આ રીતે દૂષણ આપતાં વર્યસમ અને અવર્યસમ બંને જાતિ સાથે આવી જાય છે. (૭) કોઈ રૂ વગેરે કૃતક વસ્તુ મૃદુ હોય છે તો કોઈ પથ્થર વગેરે કતક વસ્તુ કઠિન હોય છે, આ રીતે જો કૃતક વસ્તુ બે પ્રકારની મળે છે તો પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy