SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • પ૩ ૬. સમયવિભાગ :- અહીં જે થાપદ્ધતિનો ઇતિહાસ આલેખવા ધાર્યો છે, તેના બે અંશો છે : કથાના સ્વરૂપ(લક્ષણ)નો ઇતિહાસ અને તેના સાહિત્યનો ઇતિહાસ, આ બંને પ્રકારનો ઇતિહાસ જે સાહિત્યમાંથી તારવવાનો છે તે સાહિત્યના સમયને ત્રણ વિભાગમાં અહીં વહેંચી નાખીશું. આથી પ્રસ્તુત વિષયના ઇતિહાસમાં ઉત્તરોત્તર કેવાં કેવાં રૂપાંતરો થતાં આવ્યાં છે, વિદ્વાનોની બાહ્ય સૃષ્ટિ અને ગ્રંથલેખકોની માનસમૃષ્ટિ કેવી કેવી બદલાતી ગઈ છે તે જાણવું સુગમ થશે. તે ત્રણ વિભાગો આ પ્રમાણે છે : ( વિક્રમ સંવત્ પહેલાંનો સમય, (૩) વિક્રમની પ્રથમ સદીથી નવમી સદી સુધીનો સમય, (૫) નવમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધીનો સમય. આ ત્રણેને અનુક્રમે પૂર્વવર્તી સમય, મધ્યવર્તી સમય અને ઉત્તરવર્તી સમય એવાં નામોથી અહીં ઓળખીશું. આ ત્રણે વિભાગના સાહિત્યમાં વૈદિક, જૈન અને બૌદ્ધ સંપ્રદાયનું એટલે સમગ્ર ઉપલબ્ધ હિંદુ સાહિત્ય આવી જાય છે. ૭. મહર્ષિ ગૌતમનાં ન્યાયસૂત્રો – અત્યારે ભારતવર્ષનું વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ સંપ્રદાયોમાં વહેંચાયેલું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેમાં કથાપદ્ધતિના સ્વરૂપનું સ્પષ્ટ નિરૂપણ હોય એવો સૌથી પ્રાચીન ગ્રંથ મહર્ષિ અક્ષપાદ ગૌતમનો રચેલો છે. આ ગ્રંથ “ન્યાયસૂત્રને નામે પ્રસિદ્ધ છે. અત્યારે તે જ ન્યાયદર્શનનો આદિ ગ્રંથ લખાય છે, અને તે પાંચ અધ્યાયમાં વહેચાયેલો હોઈ “પંચાધ્યાયી” પણ કહેવાય છે. દરેક અધ્યાયનાં બે એટલે કુલ તેનાં દશ આહિનક છે. તેનાં સૂત્રો, પ્રકરણો, પદો અને અક્ષરોની સંખ્યા અનુક્રમે પ૨૮, ૮૪, ૧૯૬, ૮૩૮૫ છે. ૮. કથાપદ્ધતિની જ મુખ્યતા - કેટલાક વિચારકો આ ન્યાયસૂત્રોના સોળ પદાર્થોમાં પ્રમાણનું પ્રથમ સ્થાન જોઈ અને તેમાં પ્રમાણના નિરૂપણની અતિસ્પષ્ટતા જોઈ એ સૂત્રોનું પ્રમાણપદ્ધતિના ગ્રંથ તરીકે ઓળખે છે. પણ એ સૂત્રોનો ટીકાકાર વાત્સ્યાયન તેને ન્યાય નામ આપે છે, અને ન્યાયપદ્ધતિના ગ્રંથ તરીકે ઓળખવાની સૂચના કરે છે. બારીકીથી વિચારતાં એ સૂત્રોને કથા પદ્ધતિના ગ્રંથ તરીકે જ ઓળખવામાં વિશેષ ઔચિત્ય છે. પંચાવયવરૂપ ન્યાયની પ્રથમ યોજના અક્ષપાદે કરી છે. સોળ પદાર્થોમાંના ઘણાનો સંબંધ એ ન્યાય સાથે છે એવી ધારણાથી કે વાત્સાયને એને ન્યાય એ નામ આપ્યું હોય તો એ એક રીતે ઠીક છે. છતાં સોળે પદાર્થોના સંબંધ જેવી રીતે કથાપદ્ધતિ સાથે બંધ બેસે છે તેવો તો ન્યાય સાથે બંધ નથી જ બેસતો. તેથી સૂત્રકારની દૃષ્ટિમાં કથાપદ્ધતિની જ પ્રધાનતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy