SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ અનેકાન્ત ચિંતન સ્વીકારે છે. બીજી માન્યતા પ્રમાણે કાળ એક તત્ત્વ છતાં મનુષ્યક્ષેત્રપ્રમાણ છે, અણુ માત્ર નહિ. ત્રીજી માન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક છે ખરું, પણ તે અણુમાત્ર નથી, મનુષ્યક્ષેત્રપ્રમાણ પણ નથી, કિન્તુ લોકવ્યાપી છે. ચોથી માન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક નહિ પણ અસંખ્ય છે, અને તે બધાયે પરમાણુમાત્ર છે. આ ચોથી માન્યતા એકલા દિગંબર સંપ્રદાયમાં સ્વીકત છે. બાકીની ત્રણ માન્યતા શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રચલિત છે. વૈદિક અસ્વતંત્ર કાળતત્ત્વપક્ષ મુખ્યતયા પ્રકૃતિપરિણામને અગર વેદાંતની દષ્ટિએ માયિક વિલાસને કે બ્રહ્મવિવર્તને કાળ કહે છે, ત્યારે જૈન અસ્વતંત્ર કાળતત્ત્વપક્ષ ચેતન-અચેતન એ બન્નેના પરિણમનને કાળ કહે છે. સાંખ્ય અને યોગ ચેતનતત્ત્વને કૂટસ્થનિત્ય માનતા હોવાથી તેમના મત પ્રમાણે પ્રકૃતિમાત્ર જ પરિણામી છે અને તેથી જ તેમના મત પ્રમાણે પ્રાકૃતિક પરિણામ જ કાળ છે. વેદાંત દૃષ્ટિ અનુસારે જગત માયિક અને બ્રહ્મનો વિવર્ત છે, તેથી તેની દષ્ટિએ કાળ એ એક માયાવિલાસ અગર તો બ્રહ્મવિવર્ત છે, પણ જૈન દર્શન ચેતન-અચેતન બન્નેને વાસ્તવિક અને પરિણામી માનતું હોવાથી તેના મત પ્રમાણે ચેતન-અચેતન બન્નેનો પર્યાયપ્રવાહ કાળ મનાય છે. ગ. બૌદ્ધ દર્શનનું સાહિત્ય વિશેષ જોવામાં આવ્યું નથી જે કાંઈ થોડું જોવામાં આવ્યું છે તે ઉપરથી અત્યારે એટલું જ કહી શકાય છે કે બૌદ્ધ મતથી કાળ સ્વતંત્ર તત્ત્વરૂપે મનાયેલ નથી. ઉપસંહાર આર્યસાહિત્યમાં ઉપલબ્ધ થતી કાળતત્વને લગતી માન્યતાઓનું ઉપર જે સંક્ષેપમાં વર્ણન આપવામાં આવ્યું છે, આશા છે કે તે વર્ણન આર્યસાહિત્યના અભ્યાસીઓને અલ્પાંશે પણ ઉપયોગી થશે. – પુરાતત્ત્વ પુસ્તક ૧માંથી ઉદ્ધત ૧. આ માન્યતા “યુક્તિપ્રબોધમાં હોવાનું સ્મરણ છે આ વિચાર લખતી વખતે તે પ્રથ પાસે ન હોવાથી ચોક્કસ પુરાવો આપી શકતો નથી. ૨. પુરાતત્ત્વ પુસ્તક ૧માંથી ઉદ્ભૂત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy