SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ? - ૩૧ ૨. પ્રામાણ્ય આ સ્થળે પ્રામાણ્ય અને પ્રમાત્વ એ બંને શબ્દો એનાર્થક હોઈ પ્રામાણ્ય શબ્દનો અર્થ પણ જ્ઞાનનું ખરાપણું છે. ૩. સ્વતઃ જે બુદ્ધિમાં જ્ઞાનનું ભાન થાય તેમાં જ જ્ઞાનનું સત્યત્વ પણ ભાસિત થાય છે એમ માનવું તે સ્વતઃ ૪. પરતઃ જ્ઞાનનું સત્યત્વ એ જ્ઞાનને જાણનાર બુદ્ધિ કરતાં જુદી બુદ્ધિથી જણાય છે. એમ માનવું તે પરતઃ. ૫. અભ્યાસદશા વારંવાર પરિચયમાં આવવાની સ્થિતિ. ૬. અભ્યાસદશા આનાથી ઊલટું. ૭. વ્યવસાય કોઈ પણ વિષયનું નિશ્ચયાત્મક જ્ઞાન. ૮. અનુવ્યવસાય પ્રથમ નિશ્ચયને જાણનારું પાછળનું જ્ઞાન. ૯. અર્થક્રિયાજ્ઞાન જે વસ્તુથી જે પ્રયોજનો સાધી શકાતાં હોય, તે વસ્તુના જ્ઞાન પછી પ્રવૃત્તિ થયા બાદ તેવાં પ્રયોજનોનો અનુભવ થવો તે અર્થક્રિયાજ્ઞાન. ૧૦. સંવાદ પ્રથમ જ્ઞાનથી વિરુદ્ધ ન પડવું તે સંવાદ. ૧૧. વિસંવાદ આથી ઊલટું. ૧૨. પ્રવર્તકશાન જે જ્ઞાન પછી તે જ્ઞાનના વિષયને ગ્રહણ કરવા અથવા છોડવા પ્રવૃત્તિ થાય છે તે પ્રવર્તકશાન. સ્વતઃ કે પરત ની ચર્ચાનું ઐતિહાસિક મૂળ વેદના સંહિતા (મંત્ર) ભાગ ઉપર લોકોની શ્રદ્ધા દઢ જામી હતી અને તેથી જ અનુક્રમે ભાગનો ઉપયોગ કર્મકાંડમાં થવા લાગ્યો. જાણે કે અજાયે કર્મકાંડનાં વિધિવિધાનો, જેમ દરેક સંપ્રદાયમાં બને છે તેમ, જટિલ અને શુષ્ક થઈ ગયાં અને તેમાં વાસ્તવિક ધર્માનુભવનું તત્ત્વ ઘટી ગયું. હિંસા સામાન્યરૂપે અધર્મ ગણાતી; તે વેદવિહિત થતાં ધર્મનું કારણ મનાવા લાગી. આ રીતે કલ્યાણના જયોતિર્મય માર્ગમાં ધૂમનું આવરણ જોઈ કરુણામૂર્તિ પ્રતિભાશીલ અને સ્વાવલંબી ઘણા મહાત્માઓનું હૃદય કકળી ઊઠ્યું. તેઓએ તે કર્મકાંડની હિંસાને પણ અધર્મના કારણ તરીકે જણાવવા માંડી અને વચ્ચે વેદનો પ્રશ્ન આવતાં તેઓએ જણાવ્યું કે જો વેદ સુધ્ધાં હિંસાનું પ્રતિપાદન કરતા હોય તો તેને ખરા વેદ ન માનવા. આવી સ્થિતિમાં એક વર્ગ એવો ઊભો થયો કે જે હિંસામય યજ્ઞ અને તેને ટેકો આપતી શ્રુતિઓને અપ્રમાણ ઠરાવતો હતો, જ્યારે બીજો વર્ગ એવો થયો કે જે જરાયે ઢીલું મૂક્યા સિવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy