SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ૯ અનેકાન્ત ચિંતન ચિદાનંદજી(૯)નાં કતિપય પઘો ઉપર તેમણે કરેલાં વિવેચનો મળે છે. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમંતભદ્રના માત્ર એક જ પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોકનું વિવેચન (૮૬૮) તેમણે કર્યું છે. આ વિવેચનો પ્રમાણની દષ્ટિએ નહિ, પણ ગુણની દૃષ્ટિએ એવાં મહત્ત્વનાં છે કે કોઈ પણ વિવેચકને તે માર્ગદર્શક થવાની યોગ્યતા ધરાવે છે. એ વિવેચનો પાંડિત્યમાંથી નહિ પણ સહજભાવે ઊગેલી આધ્યાત્મિકતામાંથી જન્મ્યાં હોય એવો ભાસ થાય છે. “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ ધ્રુવપદવાળું શ્રીમદ્દનું કાવ્ય (૪૫૬) આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું હોવાથી, માત્ર જૈન કે ગુજરાતી જનતામાં જ નહિ, પણ ગુજરાતી ભાષા થોડેઘણે અંશે સમજનાર વર્ગમાં પણ જાણીતું થયું છે અને થતું જાય છે. આ પદ્યનો વિષય જૈન પ્રક્રિયા પ્રમાણે ગુણશ્રેણી છે. એમાં પ્રક્રિયાનું જ્ઞાન અને ભાવતાદાભ્ય સ્પષ્ટ છે. તે એવા આત્મિક ઉલ્લાસમાંથી લખાયેલ છે કે વાંચનારને પણ તે શાંતિ આપે છે. જૈન પ્રક્રિયા હોવાથી ભાવની સર્વગમ્યતા આવવી શક્ય જ નથી. નરસિંહ મહેતા આદિનાં ભજનો લોકપ્રિય છે, કારણ તેની વેદાંતપરિભાષા પણ એટલી અગમ્ય નથી હોતી, જેટલી આ પદ્યમાં છે. આનું વિવેચન સાધારણ અને સર્વદર્શનપરિભાષામાં તુલનાદષ્ટિથી થાય, તો તે વધારે લાવો પામે. નરસિંહ મહેતાના “વૈષ્ણવજન તો તેને કહીએ” એ ભજનમાંનો વૈષ્ણવજન (બૌદ્ધ પરિભાષામાં બોધિસત્ત્વ) સાધનાના ક્રમમાં લોકસેવાના કાર્યની યોગ્યતા ધરાવે છે, જ્યારે “અપૂર્વ અવસર' એ ભજનમાંની ભાવનાવાળો આહત સાધક એકાંત આધ્યાત્મિક એકાંતની ઊંડી ગુહામાં સેવ્યસેવકનો ભાવ ભૂલી, સમાહિત થઈ જવાની તાલાવેલીવાળો દેખાય છે. “નીરખીને નવયૌવનાર ઈત્યાદિ બ્રહ્મચર્ય વિષયક દોહરા (“મોક્ષમાળા'-૩૪) કોઈ ઊંડા ઉદ્ગમમાંથી ઉદ્દભવ્યા છે. ખુદ ગાંધીજી પણ એનો પાઠ ક્યારેક કરતા એમ સાંભળ્યું છે. સત્તરમે વર્ષે રચાયેલું “બહુ પુણ્ય કેરા પુંજથી' ઇત્યાદિ હરિગીત કાવ્ય (“મોક્ષમાળા'-૬૭) શબ્દ અને અર્થથી બહુ ગંભીર છે—જાણે પાછલી ઉંમરમાં રચાયું ન હોય ! બ્રહ્મચર્યના દોહરા વિશે પણ એમ જ કહી શકાય. હે ! પ્રભુ હે ! પ્રભુ, શું કહું ?” એ કાવ્ય (૨૨૪) માત્ર આત્મ ૧. આ પુસ્તક(દર્શન અને ચિંતન)માં જુઓ પાન ૮૭. ૨. આ ગ્રંથ(દર્શન અને ચિંતન)માં જુઓ પાન ૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy