SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ • ૨૪૯ છે, તે સદ્ગુરુ જ નથી. આવા જ અસદ્ગુરુ કે કુગુરુને લક્ષમાં રાખી શ્રી કિશોરલાલભાઈની ટીકા છે." | મુમુક્ષુ અને મતાર્થી વચ્ચેનો ભેદ શ્રી રાજચંદ્ર દર્શાવ્યો છે તેનો સાર એ છે કે સવળી મતિ તે મુમુક્ષ અને અવળી મતિ તે મતાર્થી. આવા મતાર્થીનાં અનેક લક્ષણો તેમણે ફુટ અને જરા વિસ્તારથી દર્શાવ્યાં છે જે તદ્દન અનુભવસિદ્ધ છે અને ગમે તે પંથમાં મળી આવે છે. તેમની આ સ્થળે એકબે વિશેષતા તરફ ધ્યાન ખેંચવું ઇષ્ટ છે. પ્રસિદ્ધ આચાર્ય સમતભદ્ર આમીમાંસા'ની “દેવાગમ-નભોયાન' આદિ કારિકાઓમાં બાહ્ય વિભૂતિઓમાં વીતરાગપદ જોવાની સાવ ના પાડી છે. શ્રીમદ્દ પણ એ જ વસ્તુ સૂચવે છે. યોગશાસ્ત્રના વિભૂતિપાદમાં, બૌદ્ધ ગ્રંથોમાં અને જૈન પરંપરામાંય વિભૂતિ, અભિજ્ઞા–ચમત્કાર કે સિદ્ધિ અને લબ્ધિમાં ન ફસાવાની વાત કહી છે તે સહજપણે જ શ્રી રાજચંદ્રના ધ્યાનમાં છે. તેમણે એ જોયેલું કે જીવની ગતિ-આંગતિ, સુગતિ-મુગતિના પ્રકારો, કર્મભેદના ભાંગાઓ વગેરે શાસ્ત્રમાં વર્ણિત વિષયોમાં જ શાસ્ત્રરસિયાઓ રચ્યાપચ્યા રહે છે અને પોપટપાઠથી આગળ વધતા નથી. તેમને ઉદ્દેશી એમણે સૂચવ્યું છે કે શાસનાં એ વર્ણનો એનું અંતિમ તાત્પર્ય નથી અને અંતિમ તાત્પર્ય પામ્યા વિના એવાં શાસ્ત્રોનો પાઠ કેવળ મતાર્થિતા પોષે છે. શ્રીમદ્ રાજચંદ્રનું આ કથન જેટલું અનુભવમૂલક છે તેટલું જ બધી પરંપરાઓને એકસરખું લાગુ પડે છે. મતાર્થીના સ્વરૂપકથન બાદ આત્માર્થીનું ટૂંકું છતાં માર્મિક સ્વરૂપ આલેખાયેલું છે. મતિ સવળી થતાં જ આત્માર્થ દશા પ્રારંભાય છે અને સુવિચારણા જન્મે છે. એને જ લીધે નિશ્ચય અને વ્યવહારનું અંતર તેમ જ સંબંધ યથાર્થપણે સમજાય છે, તેમ જ કયો સવ્યવહાર અને કયો નહિ તે પણ સમજાય છે. આવી સુવિચારણાના ફળરૂપે કે તેની પુષ્ટિ અર્થે શ્રી રાજચંદ્ર આત્માને લગતાં છ પદો વિશે અનુભવસિદ્ધ વાણીમાં શાસ્ત્રીય વર્ણન કર્યું છે, જે સિદ્ધસેને “સન્મતિતર્કમાં અને હરિભદ્ર “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' આદિમાં પણ કર્યું છે. ૧. આત્માનું અસ્તિત્વ દર્શાવતાં શ્રી રાજચંદ્ર જે દેહાત્મવાદીની પ્રચલિત અને બાલસુલભ દલીલોનું નિરસન કર્યું છે તે એક બાજુ ચાર્વાક માન્યતાનો નકશો રજૂ કરે છે ને બીજી બાજુ આત્મવાદની ભૂમિકા રજૂ કરે ૧. “સમૂળી ક્રાંતિ–પાંચમું પ્રતિપાદન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy