SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ ૦ ૨૪૭ બૌદ્ધ, વેદાંત કે વૈષ્ણવ આદિ બધાં જ દર્શનોમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ આદિ તાત્ત્વિક આચારમાં કશો જ ભેદ દેખાતો નથી. અલબત્ત, બાહ્ય અને સામાજિક આચાર-વ્યવહાર, જે મુખ્યપણે રૂઢિઓ અને દેશકાળને અનુસરી ઘડાય કે બદલાય છે તેમાં, પરંપરાભેદ છે જ અને તે માનવસ્વભાવ પ્રમાણે અનિવાર્ય છે. પણ જે આત્મસ્પર્શી મૂલગામી વર્તનના સિદ્ધાંતો છે, તેમાં કોઈનો મતભેદ નથી. દરેક દર્શન પોતાની માન્યતા પ્રમાણેના આત્મજ્ઞાન ઉપર ભાર આપી તે વિશેનું અજ્ઞાન કે અવિદ્યા નિવારવા કહે છે અને આત્મજ્ઞાન ઠીક ઠીક પ્રકટ્યા વિના કે પચ્યા વિના વિષમતામૂલક વર્તન બંધ પડવાનું નથી અને એવું વર્તન બંધ પડ્યા વિના પુનર્જન્મનું ચક્ર પણ બંધ પડવાનું નથી, એમ કહે છે. તેથી જ આપણે ગમે તે પરંપરાના સાચા સંત અને સાધકની વિચારણા કે વાણી તપાસીશું અગર તેમનો જીવન-વ્યવહાર તપાસીશું તો બાહ્ય રીતિ-નીતિમાં ભેદ હોવા છતાં તેની પ્રેરક આંતર ભાવનામાં કશો જ ભેદભાવ જોઈ નહિ શકીએ. હવે આપણે ટૂંકમાં ‘આત્મસિદ્ધિ’ના વિષયોનો પરિચય કરીએ : પ્રથમ દોહામાં શ્રી રાજચંદ્રે સૂચવ્યું છે કે આત્મતત્ત્વનું અજ્ઞાન એ જ સાંસારિક દુઃખનું કારણ છે અને એનું જ્ઞાન એ દુઃખનિવૃત્તિનો ઉપાય છે. તેમનું આ વિધાન જૈન પરંપરાને તો અનુસરે છે જ, પણ એ બીજી બધી જ આત્મવાદી પરંપરાઓને પણ માન્ય છે. ઉપનિષદોની પેઠે સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક અને બૌદ્ધ દૃષ્ટિ પણ દેહ, ઇન્દ્રિય, પ્રાણ આદિથી આત્મતત્ત્વને પોતપોતાની રીતે જુદું સ્થાપી તેના જ્ઞાનને કહો કે ભેદજ્ઞાનને યા વિવેકખ્યાતિને સમ્યક્ જ્ઞાન માને છે અને તેને જ આધારે પુનર્જન્મના ચક્રને મિટાવવા ભિન્ન ભિન્ન પ્રણાલીઓ યોજે છે. શ્રીમદ્ રાજચંદ્રે બીજા દોહામાં મોક્ષનો માર્ગ આત્માર્થી મુમુક્ષુ માટે સ્પષ્ટ નિરૂપવાની પ્રતિજ્ઞા કરી છે. માણસ સ્થૂલ વસ્તુ પકડી બેસે છે ને ઊંડો ઊતરતો નથી; એટલું જ · નહિ, પણ ઊંડાણમાં રહેલ સૂક્ષ્મ અને ખરા તત્ત્વને સ્થૂલમાં જ માની બેસે છે. આ દોષ બધા જ પંથોમાં સામાન્ય રીતે દેખાય છે. તેથી જ લૌકિક અને અલૌકિક અગર સંવૃતિ-માયિક અને પરમાર્થ એવી બે માનસિક ભૂમિકાઓ સર્વત્ર નિરૂપાઈ છે. આમાંથી લૌકિક કે અપારમાર્થિક ભૂમિકાવાળા કેટલાક એવા હોય છે કે તેઓ ક્રિયાજડ બની બેસે છે અને કેટલાક શુષ્કજ્ઞાની થઈ જાય છે. એ બન્ને પોતાને મોક્ષનો ઉપાય લાધ્યો હોય તેવી રીતે વર્તે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy