SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ૯ અનેકાન્ત ચિંતન યશોવિજયજી જેવાએ પોતપોતાના અધ્યાત્મવિષયક ગ્રંથોમાં જે વિચાર વધારે પુષ્ટ કર્યો છે, તે સમગ્ર વિચાર પ્રસ્તુત “આત્મસિદ્ધિમાં એવી રીતે સહજભાવે ગૂંથાઈ ગયો છે કે તે વાંચનારને પૂર્વાચાર્યોના ગ્રંથોનું પરિશીલન કરવામાં એક ચાવી મળી રહે છે. શંકરાચાર્યું કે તે પૂર્વના વાત્સ્યાયન, પ્રશસ્તપાદ, વ્યાસ આદિ ભાષ્યકારોએ આત્માના અસ્તિત્વની બાબતમાં જે મુખ્ય દલીલો આપી છે તે પ્રસ્તુત “આત્મસિદ્ધિમાં આવે છે, પણ વિચારતાં મને એમ લાગે છે કે શ્રી રાજચંદ્ર પ્રસ્તુત રચના માત્ર શાસ્ત્રો વાંચી નથી કરી, પણ એમણે સાચા અને ઉત્કટ મુમુક્ષુ તરીકે આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઊંડી પ્રતીતિ માટે જે મંથન કર્યું, જે સાધના કરી અને જે તપ આચર્યું તેને પરિણામે લાધેલા અનુભવપ્રતીતિ જ આમાં મુખ્યપણે નિરૂપાઈ છે. એક મુદ્દામાંથી બીજો, બીજામાંથી ત્રીજો એમ ઉત્તરોત્તર એવી સુસંગત સંકલના થઈ છે કે તેમાં કાંઈ નકામું નથી આવતું, કામનું રહી નથી જતું અને ક્યાંય પણ આડું ફંટાતું નથી. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રની “આત્મસિદ્ધિ એ એક સિદ્ધાંતશાસ્ત્ર બની રહે છે. ભારતીય તત્ત્વજ્ઞ અને સંતોની આત્માના સ્વરૂપ વિશેની દૃષ્ટિ મુખ્યપણે ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છેઃ (૧) દેહભેદે આત્મભેદ અને તે વાસ્તવિક જ; (૨) તાત્વિક રીતે આત્મતત્ત્વ એક જ અને તે અખંડ છતાં દેખીતો જીવભેદ એ માત્ર અજ્ઞાનમૂલક; (૩) જીવભેદ વાસ્તવિક પણ તે એક જ પરમાત્માના અંશો. આ રીતે દષ્ટિઓ ત્રણ પ્રકારની હોવા છતાં બધી દૃષ્ટિનો પારમાર્થિક આચાર એક જ છે. વાસ્તવિક જીવભેદ માનનાર દરેક દર્શન જીવનું તાત્ત્વિક સ્વરૂપ તો સમાન જ માને છે કે તે આધારે તેઓ બીજાં નાનાંમોટાં તમામ પ્રાણી પ્રત્યે આત્મૌપમ્યમૂલક આચાર યોજે છે અને પોતા પ્રત્યે બીજા તરફથી જે વર્તનની અપેક્ષા રખાય તેવું જ વર્તન બીજા પ્રત્યે રાખવા ઉપર ભાર આપી સમગ્ર આચાર-વ્યવહાર યોજે છે. જેઓ આત્માના વાસ્તવિક અભેદ કે બ્રહ્મક્યમાં માને છે તેઓ પણ બીજા જીવોમાં પોતાનું જ અસલી પોત માની અભેદમૂલક આચાર-વ્યવહાર યોજી કહે છે કે અન્ય જીવ પ્રત્યે વિચારમાં કે વર્તનમાં ભેદ રાખવો તે આત્મદ્રોહ છે, અને એમ કહી સમાન આચાર-વ્યવહારની જ હિમાયત કરે છે, ત્રીજી દષ્ટિવાળા પણ ઉપરની રીતે જ તાત્ત્વિક આચાર-વ્યવહારની હિમાયત કરે છે. આ રીતે જોઈએ તો આત્મવાદી ગમે તે દર્શન હોય તો પણ તેની પારમાર્થિક કે મૂલગામી આચાર-વ્યવહારની હિમાયત એક જ પ્રકારની છે. તેથી જ જૈન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy