SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૨૩ શ્રમથી અને કાં તો અશક્તિથી; નહિ કે તારા ગુણોની પરિમિતતાથી. - --રઘુ. ૧૦, ૩૨. આ સ્થળે બ્રાહ્મણ અને શ્રમણપરંપરાની મૌલિક માન્યતાના ભેદ વિશે એક બાબત તરફ ધ્યાન જાય છે. તે એક બ્રાહ્મણપરંપરા કોઈ પણ દેવમાં દુષ્ટ કે શત્રુના નાશને સાધુ-પરિત્રાણ જેવા જ ગુણ તરીકે સ્તવે છે, જ્યારે બૌદ્ધ ને જૈન પરંપરા મિત્ર કે શત્રુ, સાધુ કે દુષ્ટ બંને ઉપર સમાનભાવે કરુણા વર્ષાવવી એને જ પ્રકષ્ટ માનવીય ગુણ માને છે. આ માન્યતાભેદ ગમે તે બ્રાહ્મણ કવિની સ્તુતિ અને શ્રમણ કવિની સ્તુતિમાં નજરે પડવાનો જ. તેથી અહીં તેવાં ઉદાહરણો નથી તારવતો. માતૃચેટ બુદ્ધનાં વચનોને સર્વજ્ઞતાનો નિશ્ચય કરનાર તરીકે સ્તવે છે; જ્યારે સિદ્ધસેન પણ મહાવીરનાં વચનોને એ જ રીતે સ્તવે છે, અને વધારામાં શરીરના અતિશયને ઉમેરે છેઃ “હે નાથ ! કયા તારા પીને પણ એ પ્રકારનાં વચનો સાંભળી તારે વિશે સર્વશપણાનો નિશ્ચય ન થાય?” હે વીર ! તારું સ્વભાવથી શ્વેત રુધિરવાળું શરીર અને પરાનુકંપાથી સફળ ભાષણ આ બન્ને તારે વિશે સર્વશપણાનો નિશ્ચય જેને ન કરાવે એ માણસ નહિ પણ કોઈ બીજું જ પ્રાણી છે. કાગળના કુર્મિક્ષનો ભય ન હોત તો સંપૂર્ણ અર્ધશતક નહિ તો છેવટે તેનાં કેટલાંક પદ્યો ગુજરાતી અનુવાદ સાથે લેખને અંતે આપત, પણ એ લોભ આ સ્થળે જતો કરવો પડે છે. તેમ છતાં અધ્યદ્ધશતકમાં આવતા બે મુદ્દા પરત્વે અહીં વિચાર દર્શાવવો જરૂરી છે, કેમ કે તે તુલનાત્મક અને ઐતિહાસિક દષ્ટિએ સાહિત્ય તેમ જ સાંપ્રદાયિક અધ્યયન કરવામાં ખાસ ઉપયોગી છે. પહેલો મુદ્દો મનુષ્યજન્મની દુર્લભતા સમજાવતાં દષ્ટાંતો અને બીજો મુદ્દો બુદ્ધને સ્વયમ્ભ રૂપે નમસ્કાર કરવાને લગતો છે. માતચેટે પ્રારંભમાં જ મનુષ્યજન્મની દુર્લભતા સમજાવતાં કહ્યું છે કે – ૧. અધ્ય–સણ ચાલ્પકૃત્ર વાવ વિધારિ તે __त्वयि प्रतिहतस्यापि सर्वज्ञ इति निश्चयः ॥६८॥ २. वपुः स्वभावस्थमरक्तशोणितं परानुकम्पासफलं च भाषितम् ।। न यस्य सर्वज्ञविनिश्चयस्त्वयि द्वयं करोत्येतदसौ न मानुषः ॥ -द्वात्रिंशिका १-१४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy