SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. જૈન ન્યાયનો ક્રમિક વિકાસ ન્યાય અને ન્યાયશાસ્ત્ર : જે અનુમાનપ્રણાલિકાથી સંદિગ્ધ વસ્તુનો નિર્ણય કરી શકાય છે તે અનુમાનપદ્ધતિને “ન્યાય' કહેવામાં આવે છે. જે શાસ્ત્રમાં આવી અનુમાનપદ્ધતિનો વિચાર મુખ્યપણે હોય છે, તે શાસ્ત્ર ન્યાયસાહિત્યમાં સ્થાન લે છે. ન્યાયશાસ્ત્રમાં માત્ર ન્યાયની અનુમાનપદ્ધતિની જ ચર્ચા હોય તેમ કાંઈ નથી હોતું, તેમાં સમગ્ર પ્રમાણોનું નિરૂપણ હોય છે; એટલું જ નહીં, પણ તેમાં પ્રમેયોનું નિરૂપણ સુધ્ધાં હોય છે. છતાં એટલું ખરું કે તેવી જાતના સાહિત્યમાં પ્રમાણના નિરૂપણે અને તેમાંયે અનુમાનપદ્ધતિના નિરૂપણે મોટો ભાગ રોકેલો હોય છે. તેથી જ તેવી જાતનું સાહિત્ય પ્રધાન ચપલેશ મન્તિ’ એ ન્યાયને અનુસરી ન્યાય-સાહિત્ય કહેવાય છે. ચેતન સૃષ્ટિમાં મનુષ્યજાતિનું મહત્ત્વ તેની બુદ્ધિને લીધે છે. તેની બુદ્ધિની મહત્તા વિચાર-સ્વતંત્રતાને લીધે છે. વિચાર-સ્વાતંત્ર્ય એ તર્ક અને જિજ્ઞાસાશક્તિનું પરિણામ છે. તેથી જ્યારે કોઈ બહારનું કે અંદરનું દબાણ ન હોય ત્યારે હરકોઈ મનુષ્યની બુદ્ધિ આપોઆપ શંકા અને તર્ક કર્યા કરે છે, અને તેમાંથી જ કલ્પનાશક્તિ ખીલતાં ક્રમે અનુમાનપદ્ધતિ નિષ્પન્ન થાય છે. આ કારણથી ન્યાય એ કોઈ પણ દેશની કે કોઈ પણ મનુષ્યજાતિની વિકસિત કે વિકાસ પામતી બુદ્ધિનું એક દશ્ય સ્વરૂપ છે. થોડામાં કહીએ તો મનુષ્યજાતિની વિચારશક્તિ એ એકમાત્ર ન્યાયશાસ્ત્રનું ઉદ્ગમ સ્થાન છે. છતાં દેશભેદ કે સંપ્રદાયભેદથી ન્યાયશાસ્ત્રના વિભાગ પડી જાય છે; જેમ કે, પશ્ચિમીય ન્યાયશાસ્ત્ર, પૂર્વીય ન્યાયશાસ્ત્ર, પૂર્વના ન્યાયશાસ્ત્રમાં પણ વૈદિક, બૌદ્ધ અને જૈન એ મુખ્ય ભાગો છે. ત્રણ ભેદોનું પારસ્પરિક અંતર ઃ આવા ભાગો પડી જવાનું મુખ્ય કારણ સંપ્રદાયભેદ એ તો છે જ, પણ બીજાંયે ખાસ કારણો છે; જેમ કે ભાષાભેદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy