SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ૦ ૧૬૫ પ્રથમ જ પોતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂક્યા સિવાય જે વાદી વાક્યેષ્ટા કરે છે તે પૌરુષવાનૢ છતાં પોતાનો અવસર ગુમાવેલો હોવાથી વિદ્વાનોની સભામાં ઊંચું મસ્તક કરી બોલી શકતો નથી. ૭. “તું શું બોલે છે, તે હું નથી સમજતો. આ તે કોનો સિદ્ધાંત છે ? સિદ્ધાંતયુક્ત બોલ. આ ક્યાં કહ્યું છે ? આ ગ્રંથ રહ્યો. અર્થ નક્કી કર. આ માર્ગ (રીત) નથી. આ પ્રેક્ષપ છે.” એ રીતે અસ્પષ્ટ-આગમવાળા પ્રતિવાદીનું મુખ઼ બંધ કરાય છે. ૮. કઠોર ઉત્તરો વડે જે પુરુષ આધાત પામી જાય છે તેની બુદ્ધિ જો આમ્નાય-માર્ગને અનુસરી સુકુમાર અભિયોગ કરનારી હોય છે તો તે વિલીન થઈ જાય છે. પણ જે પુરુષ એવા કઠોર ઉત્તરો વડે ઉત્તેજિત થઈ જાય છે તેના શત્રુઓ સભાભટોથી ભરેલ રણાંગણમાં ચોખ્ખો માર ખાઈ સૂઈ જાય છે. ૨૧. જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મર્મસ્થાન શું જોવાનું હોય ? અને જે મંદ છે તેને માટે તો પોતે મર્મ ઉપર કરેલો પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે, કારણ કે સહજ અને પ્રચંડ વીર્યવાળા દાંતો વડે ક્રીડા કરતો આશીવિષ સર્પ જ્યાં સ્પર્શ કરે તે જ મર્મ થઈ જાય છે. ૨૬. મંદ, અલ્પાભ્યાસી પણ જો શાંત ચિત્તવાળો હોય છે તો તેનું વચન અખંડનીય થાય છે. તેથી ઊલટું, બહુ અભ્યાસી પણ જો અશાંતચિત્ત હોય છે તો તે, પુરુષોમાં ઉપહાસપાત્ર બને છે. તેટલા માટે સભ્યોના મનમાં સ્થાન મેળવવા તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રશમના વિષયમાં જ સોગણો પ્રયત્ન કરવો જોઈએ. ૨૭. જે પોતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ઠુર નેત્રવાળો થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી બનેલો પોતાના શત્રુઓને શોક અને જાગરણના દુઃખથી દુર્બળ કરી મૂકે છે. ૨૮. સંમુખ થઈ બેઠેલા શત્રુઓમાં ગર્જન કરવાથી શું થવાનું છે ? તેમ જ નિર્દય ભાવે જેઓ પૌરુષ નિહાળી રહ્યા હોય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે ? કારણ કે, વાણીથી પ્રકટાવેલું તેજ માત્ર ઘાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ તો પરાક્રમથી જ પ્રકટી શકે છે. ૨૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy