SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ૦ ૧૫૩ એ છે કે પ્રસ્તુત ટીકા જેમ પ્રમાણમાં અતિવિશાળ છે તેમ મૂળ ગ્રંથમાં સ્પષ્ટ રીતે નહિ આવતા એવા અનેક નાનામોટા દાર્શનિક વિષયોની વિસ્તૃત અને સૂક્ષ્મ ચર્ચાથી ભરેલી છે. તેથી એ ટીકા જ એક સ્વતંત્ર ગ્રંથ બની ગયેલ છે. એ ટીકા દ્વારા મૂળ ગ્રંથમાં પ્રવેશ થવાનો વાસ્તવિક સંભવ હોવાથી એ ટીકા મૂળ ગ્રંથનું દ્વાર છે; છતાં એ સ્વતંત્ર અધ્યયનની યોગ્યતા ધરાવતી હોવાથી મૂળ ગ્રંથની પેઠે એક સ્વતંત્ર જ કૃતિ છે, એમ કહેવું જરાયે અસ્થાને નથી. ૧૬૭ પઘો ઉપર પચીસ હજાર શ્લોકની પ્રસ્તુત ટીકામાં શ્રી અભયદેવસૂરિએ પોતાના સમય સુધીમાં પ્રસિદ્ધ એવા તમામ ભારતીય દાર્શનિક વિષયોનો સંગ્રહ બહુ ખૂબીથી કર્યો છે, અને દરેક વાદને અંતે મૂળ ગ્રંથના પ્રતિપાદ્ય વિષય અનેકાંતવાદનું સમર્થન કરી પોતાની ટીકાને મૂળ ગ્રંથના ધ્યેયની સાધક બનાવી છે. એક રીતે પ્રસ્તુત ટીકામાંની દાર્શનિક વિષયો ઉપરની લાંબી ચર્ચાઓ સાધારણ બુદ્ધિવાળા માટે અગમ્ય હોવાથી એ ટીકા કેટલાકને બહુ ઉપયોગી ન લાગે એવો પણ સંભવ છે, છતાં ખરી રીતે એથી એનું મહત્ત્વ ઘટતું નથી, ઊલટું તે વધારે સિદ્ધ થાય છે. જગતમાં કાંઈ દરેક વસ્તુ સર્વભોગ્ય જ નથી હોતી અથવા જે સર્વભોગ્ય ન હોય અગર તો અલ્પભોગ્ય હોય તેની કિંમત ઓછી એવો પણ નિયમ બાંધી ન શકાય. ખરી વસ્તુસ્થિતિ એવી છે કે પ્રત્યેક વસ્તુનું મહત્ત્વ તેની કક્ષાના પ્રયોજનની સિદ્ધિ ઉપરથી જ અંકાવું જોઈએ. આ દૃષ્ટિએ જોતાં શ્રી અભયદેવની ટીકાનું સ્થાન તેના ઉદ્દેશ પ્રમાણે બહુ ઊંચું છે. બૌદ્ધ દર્શન, ભિન્ન ભિન્ન વૈદિક દર્શનો અને દિગંબર સંપ્રદાયના નવમા સૈકા સુધીના જે મોટા મોટા આકર ગ્રંથો હતા બધાંના સંપૂર્ણ વિષયોનો સંગ્રહ કરી તેના ઉપર જૈન દૃષ્ટિએ ચર્ચા કરવી અને છેવટે અનેકાંતવાદનું સ્થાપન કરવું એ જ શ્રી અભયદેવસૂરિનો ઉદ્દેશ તે ટીકા રચવામાં હતો, અને પ્રો. લૉયમન પોતાનો અભિપ્રાય જણાવે છે તે પ્રમાણે તે ઉદ્દેશ ખરેખર અભયદેવસૂરિએ સિદ્ધ કર્યો છે. તેમના પોતાના સમય પહેલાં સંસ્કૃત દર્શનસાહિત્યમાં આકરગ્રંથોનું પ્રમાણ વધારેમાં વધારે ૧૮૦૦૦ શ્લોક જેટલું વધ્યું હતું. બૌદ્ધ દર્શનનો મહાન્ ગ્રંથ તત્ત્વસંગ્રહ લો કે વૈદિક દર્શનોનાં વાર્તિક આદિ કોઈ ગ્રંથો લો, દિગંબરાચાર્યના માર્તંડાદિ ગ્રંથો લો કે શ્વેતાંબરાચાર્યના નયચક્ર આદિ ગ્રંથો લો. એ બધા લગભગ અઢાર હજાર શ્લોકપ્રમાણ છે. તે બધાથી કદ મોટું કરી પૂર્વકાલીન સમગ્ર ચર્ચાઓનો સમાવેશ કરી અભયદેવસૂરિએ ૨૫૦૦૦ શ્લોકપ્રમાણ ટીકા રચી અને તેને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy