SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ૧૪૯ ચિનગારીને લીધે લોકો ભડક્યા હોય અને તેમના પ્રતિભાપૂર્ણ પાંડિત્યને લીધે મુગ્ધ થયા હોય. એથી તેઓએ દિવાકરશ્રી અને તેમની કૃતિને ભલે અભિનંદી હોય, પણ પેલી ભડકામણને લીધે તેઓ દિવાકરશ્રીની મહત્તાપૂર્ણ એ બત્રીસીઓને સ્પર્શ કરતાં અચકાયા હોય. વધુ સંભવ તો એ છે કે એ બત્રીસીઓને કોઈ વિરલ પુરુષે જ વાંચી હશે અને એથી જ આજે એ બધી અશુદ્ધ રીતે ઉપલબ્ધ છે કે જેમાં ૩૨-૩૨ શ્લોકની માત્ર એકવીસ બત્રીસીઓ છતાંય એના શુદ્ધ સંસ્કરણ માટે ખાસા બત્રીસ માસ તો સહેજે વીતી જાય અને બીજો આયાસ થાય તે તો વળી જુદો જ. હવે તો દેશમાં અજ્ઞાનતાના ધૂમસને દૂર કરવા, લોકોમાં ચૈતન્ય પ્રેરવા અને સામાજિક અંધ વાતાવરણની ઠંડીને ઉડાડવા એમની એ ચિનગારીઓને ચેતવવી આવશ્યક છે. બીજી કૃતિઓ સન્મતિ ઉપરાંત બીજી પણ કૃતિઓ દિવાકરશ્રીની છે. બીજી કુલ કેટલી કૃતિઓ રચેલી તે જાણવાનું અત્યારે કોઈ સાધન નથી; પણ એ બત્રીસ બત્રીસીઓમાં જો ન્યાયાવતાર ન આવતો હોય તો તે અને કલ્યાણ મંદિર સ્તોત્ર પણ તેઓની કૃતિઓમાં ગણવાં જોઈએ. તેઓને નામે ચડેલી કે મનાતી બીજી કેટલીક કૃતિઓ સંભળાય છે, પણ તેમાં વજૂદ જણાતું નથી. અત્યારે તેઓશ્રીની નિશ્ચિત કૃતિઓમાંથી ઉપલબ્ધ તો સન્મતિ ઉપરાંત ફક્ત એકવીસ બત્રીસીઓ, ન્યાયાવતાર અને કલ્યાણમંદિર છે. સન્મતિ અને બીજી કૃતિઓ વચ્ચે મુખ્ય તફાવત ભાષા અને વિષય બન્નેનો છે, કારણ કે બાકીની બધી કૃતિઓ સંસ્કૃતમાં જ છે. બત્રીસીઓ કોઈ એક ખાસ વિષય ઉપર નથી, પણ તે જુદા જુદા વિષય ઉપર લખાયેલી છે. શરૂઆતની કેટલીક બત્રીસીઓમાં ભગવાન મહાવીરની અનુપમ સ્તુતિ છે, ત્યાર પછી કેટલીકમાં જૈનેતર દર્શનોનું વર્ણન છે. એકમાં વાદકળાનું મર્મ અને વળી એકમાં વિવાદની દુર્દશાનું ચિત્ર છે. ન્યાયાવતારમાં જૈનન્યાયની સ્થાપના અને કલ્યાણ મંદિરમાં પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ છે. ભારતીય સમગ્ર દર્શનોનો અભ્યાસ કરવા માટે ગ્રંથરચનાની પ્રેરણા આચાર્ય હરિભદ્રને કે માધવાચાર્યને દિવાકરશ્રીની ભિન્ન ભિન્ન દર્શન ઉપરની પ્રૌઢ બત્રીસીઓમાંથી મળી હોય તેમ સ્પષ્ટ લાગે છે. સન્મતિનો શુદ્ધ વિષય જૈન તત્ત્વજ્ઞાનનો છે, જ્યારે બત્રીસીઓનો મુખ્ય વિષય ભારતીય સમગ્ર દર્શનોની મીમાંસા અને તેનું નિરૂપણ એ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy