SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ૦ અનેકાન્ત ચિંતન પ્રભાવક તરીકે ગ્રંથો જણાવતાં સતિને પહેલો મૂકે છે અને સાથે જ કહે છે કે એ દર્શનપ્રભાવક ગ્રંથોનું દરેક રીતે ભક્તિપૂર્વક બહુમાન કરવું. જીવકલ્પ નામના છેદસૂત્રની ચૂર્ણિની વ્યાખ્યામાં તેના કર્તા સન્મતિતર્કને એક મહાપ્રભાવક ગ્રંથ તરીકે વર્ણવે છે, અને તે એટલે સુધી કે તેનો અભ્યાસ કરતાં કોઈ અપવાદ સેવવો પડે તો તેને પ્રાયશ્ચિત્તયોગ્ય નથી માનતા. શ્રુતજ્ઞાનની જાગ્રમૂર્તિ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી તો એના ઉપર ફિદા ફિદા છે અને છેલ્લે શ્રીમદ્ રાજચંદ્ર તથા શ્રીમાન્ આત્મારામજીસૂરીશ્વર સુધ્ધાં એ ગ્રંથ ઉપર ભારે મમત્વ દર્શાવે છે. આ રીતે સન્મતિતર્કનો મહિમા જ્યાં ત્યાં ગાવામાં આવ્યો છે અને હજી ગવાય છે, ત્યારે એ જાણવું જરૂરનું છે કે સન્મતિતર્ક એ શું છે? તેનું મહત્ત્વ શા માટે છે? અને બીજાં શાસ્ત્રોની સરખામણીમાં એનું સ્થાન શું છે? વગેરે વગેરે. આ હેતુથી પ્રેરાઈ પ્રસ્તુત લેખ લખવા પ્રેરણા થઈ છે. નામવિધાન જૈન સાહિત્ય અને સમાજમાં “સંમતિતર્ક એ જ નામ બહુ જાણીતું છે, પણ છેલ્લી માહિતી પ્રમાણે તેનું ખરું નામ “સન્મતિતર્ક લાગે છે; ઘણી અને જૂની હસ્તલિખિત પ્રતિઓમાં “સન્મતિતર્ક એવો જ ઉલ્લેખ મળે છે. એ ઉલ્લેખ ઉપર વિચાર કરતાં જણાય છે કે “સંમતિ' નહિ પણ “સન્મતિ' નામ ખરું હોવું જોઈએ, કારણ કે ધનંજયનામમાળામાં ભગવાન મહાવીરનાં જે નામો ગણાવ્યાં છે તેમાં એક નામ સન્મતિ એવું છે. તેથી ચોખ્ખું લાગે છે કે આચાર્ય શ્રી સિદ્ધસેને પોતાના પ્રૌઢ ગ્રંથરત્નને ભગવાનના નામથી અંકિત કરી સન્મતિતર્ક એ જ નામ આપ્યું હશે અને તે દ્વારા સૂચિત કર્યું કે આ મારા રચેલા પ્રકરણનો વિષય કલ્પિત અગર તો સાધારણ નથી, પણ હું જે કહું છું તે તો ભગવાન મહાવીરનો તર્ક છે એટલે તેમનો સિદ્ધાંત છે અથવા ભગવાન મહાવીરનો મત છે. પ્રવચનસાર સાથે સરખામણી નામની બાબતમાં આટલું સ્પષ્ટીકરણ કરી હવે તે ગ્રંથ અને તેના વિષય તરફ વળીએ. એ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. એના ત્રણ ભાગો છે. દરેક ભાગ કાંડને નામે પ્રસિદ્ધ છે, એટલે એ ગ્રંથ ત્રિકાંડ છે. રચના ગદ્ય નહિ, પણ પદ્યમય છે. પદ્યો બધાં આર્યા છંદબદ્ધ છે. પહેલા કાંડમાં પ૪, બીજા કાંડમાં ૪૩ અને ત્રીજા કાંડમાં ૭૦ પદ્યો છે. કુલ પદ્યો ૧૬૭ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy