SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વજ્ઞાન - ૫ તલમાંથી તેલની પેઠે પોતાના કારણમાંથી માત્ર આવિર્ભાવ પામે છે, પણ તદ્દન નવી ઉત્પન્ન નથી થતી; જ્યારે બાહ્ય વિશ્વમાં ઘણી વસ્તુઓ એવી પણ છે કે જે પોતાનાં જડ કારણોમાંથી ઉત્પન્ન થાય છે, પણ પોતાની ઉત્પત્તિમાં કોઈ પુરુષના પ્રયત્નની અપેક્ષા રાખે છે. જે વસ્તુઓ પુરુષના પ્રયત્નની મદદથી જન્મ લે છે તે વસ્તુઓ પોતાનાં જડ કારણોમાં તલમાં તેલની પેઠે પેલી નથી હોતી, પણ તે તો તદ્દન નવી જ ઉત્પન્ન થાય છે. જેમ કોઈ સુથાર જુદા જુદા લાકડાઓના કટકા એકઠા કરી તે ઉપરથી એક ઘોડો બનાવે ત્યારે તે ઘોડો લાકડાના કટકાઓમાં છૂપો નથી હોતો, જેમ કે તલમાં તેલ હોય છે, પણ ઘોડો બનાવનાર સુથારની બુદ્ધિમાં કલ્પનારૂપે હોય છે અને તે લાકડાના કટકા દ્વારા મૂર્તરૂપ ધારણ કરે છે. જો સુથાર ધારત તો એ જ લાકડાના કટકામાથી ઘોડો ન બનાવતાં ગાય, ગાડી કે બીજી તેવી વસ્તુ બનાવી શકત. તલમાંથી તેલ કાઢવાની બાબત આથી તદ્દન જુદી છે. કોઈ ગમે તેટલો વિચાર કરે કે ઇચ્છે છતાં તે તલમાંથી ઘી કે માખણ તો ન જ કાઢી શકે. આ રીતે પ્રસ્તુત ચોથો વિચારપ્રવાહ પરમાણુવાદી છતાં એક બાજુ પરિણામ અને આવિર્ભાવ માનવાની બાબતમાં પ્રકૃતિવાદી વિચારપ્રવાહની સાથે મળતો હતો, અને બીજી બાજુ કાર્ય તેમજ ઉત્પત્તિની બાબતમાં પરમાણુવાદી બીજા વિચારપ્રવાહને મળતો હતો. આ તો બાહ્ય વિશ્વની બાબતમાં ચોથા વિચારપ્રવાહની માન્યતા થઈ, પણ આત્મતત્ત્વની બાબતમાં તો એની માન્યતા ઉપરના ત્રણે વિચારપ્રવાહો કરતાં જુદી જ હતી. તે માનતો કે દેહભેદે આત્મા ભિન્ન છે, પરંતુ એ બધા જ આત્માઓ દેશદષ્ટિએ વ્યાપક નથી તેમજ માત્ર કુટસ્થ પણ નથી. એ એમ માનતો કે જેમ બાહ્ય વિશ્વ પરિવર્તનશીલ છે તેમ આત્માઓ પણ પરિણામી હોઈ સતત પરિવર્તનશીલ છે. આત્મતત્ત્વ સંકોચ-વિસ્તારશીલ પણ છે અને તેથી તે દેહપ્રમાણ છે. આ ચોથો વિચારપ્રવાહ તે જ જૈન તત્ત્વજ્ઞાનનું પ્રાચીન મૂળ છે. ભગવાન મહાવીરથી પહેલાં ઘણા સમય અગાઉથી એ વિચારપ્રવાહ ચાલ્યો આવતો અને તે પોતાની ઢબે વિકાસ સાધતો તેમજ સ્થિર થતો જતો હતો. આજે આ ચોથા વિચારપ્રવાહનું જે સ્પષ્ટ, વિકસિત અને સ્થિર રૂપ આપણને પ્રાચીન કે અર્વાચીન ઉપલબ્ધ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, તે મોટે ભાગે ભગવાન મહાવીરના ચિંતનને આભારી છે. જૈન મતની મુખ્ય શ્વેતામ્બર અને દિગમ્બર બે શાખાઓ છે. બન્નેનું સાહિત્ય જુદું જુદું છે, પરંતુ જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy