SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકસૂત્રના કર્તા કોણ? • ૧૨૫ બરાબર સરખામણી કરી તેની સર્વોત્તમતા સાબિત ન કરી શકે તો તે કાર્ય કોઈ બીજો કરે, પરંતુ જ્યાં સુધી સરખામણીમાં કોઈ પણ વસ્તુને ઉતારવામાં ન આવે ત્યાં સુધી તેની સર્વોત્તમતા એ તો માત્ર પોતાની માની લીધેલી સર્વોત્તમતા જેવી જ માત્ર છે. અને વળી આપણી પ્રાચીન પ્રથામાં પણ સરખામણીને અવકાશ ક્યાં ઓછો છે ? જ્યારે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે ત્યારે જાયેઅજાણે પણ પોતાનાં ધર્મતત્ત્વોનું બીજાનાં ધર્મતત્ત્વો સાથે યથાશક્તિ તોલન કરે જ છે. અલબત્ત, એ ખરું છે કે પ્રાચીન પ્રથા અનુસારી તોલનનો ઉદ્દેશ ગમે તે રીતે પોતાની વસ્તુને શ્રેષ્ઠ અને બીજાની વસ્તુને કનિષ્ઠ બતાવવાનો હોય છે, ત્યારે આ આધુનિક પ્રથામાં એ એકાંગીપણું કાંઈક દૂર થયેલું જોવામાં આવે છે. આચાર્ય શ્રી હરિભદ્રજી અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની કૃતિઓમાંથી એવા સંખ્યાબંધ વિચારો તારવી શકાય એમ છે કે જે માત્ર તટસ્થ તુલનાત્મક દૃષ્ટિએ કરાયેલા છે. વળી, આપણે પ્રાચીન કાળમાં થયેલું એ જ બધું ક્યાં કરીએ છીએ ? ઘણુંયે જૂનું છોડીએ છીએ અને નવું સ્વીકારીએ છીએ. જો તુલનાત્મક પદ્ધતિ સર્વગાહ્ય થતી જતી હોય તો તે દષ્ટિએ આવશ્યકક્રિયાનું તોલન કરવામાં હું તેનું મહત્ત્વ જોઉં છું. સમભાવ એ મુખ્ય જૈનત્વ છે. તેનો આવિર્ભાવ માત્ર કુળ-જૈન કે રૂઢ-જૈનમાં જ હોય અને અન્યત્ર ન હોય એમ તો જૈન શાસ્ત્ર કહેતું જ નથી. જૈન શાસ્ત્ર ઉદાર અને સત્યાગ્રાહી છે, તેથી તે જાતિ, દેશ, કાળ કે રૂઢિનું બંધન ન ગણકારતાં જ્યાં જેવું તત્ત્વ સંભવે ત્યાં તેવું જ વર્ણવે છે. આ કારણથી જૈન આવશ્યકક્રિયાની જૈનેતર નિત્ય કર્મ કે સંધ્યા આદિ સાથે તુલના કરવામાં જે બીજાઓ દૂષણ માને છે તેને હું ભૂષણ માનું છું, અને આ વાતને વધારે તો સમય જ સિદ્ધ કરશે. પહેલા મતભેદનો વિષય કર્તાના સમયનો છે. ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકસૂત્ર ગણધરકૃત નહિ, પણ અન્ય કોઈ સ્થવિરકૃત છે એવા મારા વિચારનું તાત્પર્ય જો કોઈ ટીકાકાર એવું કાઢતા હોય કે આ વિચાર આવશ્યકની પ્રાચીનતા વિષયક લોકશ્રદ્ધાનો લોપ કરે છે અને તે દ્વારા આવશ્યકક્રિયાની મહત્તા ઘટાડી અંતે તેના હ્રાસમાં નિમિત્ત થાય છે, તો ખરેખર તે ટીકાકારો મારા કરતાં સત્યને જ વધારે અન્યાય કરશે. હું સંપૂર્ણ મૂળ આવશ્યકને ગણધરકૃત નથી માનતો, પણ તેના કર્તા વિરોને લગભગ ગણધર સમકાલીન અગર લગભગ તેટલા જ પ્રાચીન માનું છું, અને તેથી આવશ્યકસૂત્રની પ્રાચીનતા જરાયે લુપ્ત થતી નથી. કદાચ કોઈ અંશમાં પ્રાચીનતા વિશે જો લોકવિશ્વાસ ઓછો થાય તો તેથી ડરવાનું શું? જો વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy