SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ • અનેકાન્ત ચિંતન પ્રતિપાદક શૈલીએ આવશ્યકનાં મૂલ તત્ત્વો સમજાવવાં અને ઐતિહાસિક દષ્ટિએ આવશ્યકસૂત્રોના સમયનો તેમ જ કર્તાનો વિચાર કરવો, તેમ જ વળી હમણાં હમણાં વિન્માન્ય થયેલી તુલનાત્મક પદ્ધતિએ આવશ્યકગત વિચારો અને તેનાં પ્રતિપાદક સૂત્રોનું જૈનેતર સંપ્રદાયોના નિત્યકર્મ સાથે તોલન કરવું એ હિંદી પ્રસ્તાવના લખતી વખતે મારી પ્રવૃત્તિનું ધ્યેય હતું. તે વખતે મેં તે માટે જ શ્રમ પણ પુષ્કળ કરેલો. તેમ છતાં પણ તેમાં આપવાના ઘણા મુદ્દાઓ અને બીજી ઘણી વિગતો મારી માંદગી અને બીજા કારણસર રહી જ ગઈ. તેને બીજી આવૃત્તિમાં દાખલ કરું અને પ્રથમની આવૃત્તિની ત્રુટિઓનું સંશોધન કર્યું તે પહેલાં જ હું એક બીજા જ, માથું ઊંચું ન કરી શકાય એવા, કાર્યભાર નીચે દબાયો. દરમિયાન હિંદી પ્રસ્તાવના વાંચનાર કેટલાક એ તરફ આકર્ષાયા અને કેટલાકનો તે પ્રસ્તાવના માંહેના અમુક મુદ્દાઓ સાથે વિરોધ પણ જણાવા લાગ્યો. જોકે મતભેદ નહિ ધરાવનાર અવિરોધીઓની સંખ્યા મોટી હતી અને હજી પણ છે, તોપણ મતભેદ ધરાવનાર ટીકાકારોની નાની સંખ્યા તરફ જ મારું ધ્યાન આદરપૂર્વક ગયેલું. મેં જે વિચાર્યું છે અને જે લખ્યું છે તે જ સત્ય છે, તેમાં કશું જ પરિવર્તન કરવા જેવું ન હોઈ શકે, એવો દાવો તો હું ત્યારે જ કરી શકું કે જો મને સાતિશય જ્ઞાન કે દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થયાનું અભિમાન હોય. એ પ્રસ્તાવના લખતી વખતના કેટલાક મુદ્દાઓ સંબંધમાં મારા જે વિચારો હતા તેમાં આજે થોડું પરિવર્તન પણ થયું છે અને તે જ બાબતો જો અત્યારે મારે લખવાની હોય તો તે હું બીજી જ રીતે લખું એમ મને લાગ્યા જ કરે છે; તેમ છતાં આવશ્યક સૂત્રના કર્તા વિશેનો મારો વિચાર હજી બદલાયો નથી, એ મારે સ્પષ્ટપણે જણાવી દેવું જોઈએ. આ પ્રસ્તાવનામાં કરાયેલા આવશ્યકક્રિયાના સમર્થન સામે તો કોઈ પણ રૂઢિગામી સાંપ્રદાયિક સાધુ કે ગૃહસ્થનો લેશ પણ વિરોધ કે મતભેદ ન હોય એ દેખીતું છે. એવા લોકો માટે તો મતભેદ કે વિરોધના વિષય માત્ર બે છે : (૧) આવશ્યકસૂત્રના કર્તા વિશેનો મારો મત, અને (૨) જૈન આવશ્યકક્રિયાની જૈનેતર નિત્યકર્મ સાથે સરખાવવાની મારી પદ્ધતિ. બીજા મુદ્દાના બચાવ ખાતર મારે ટીકાકારોને એટલું જ કહેવું જોઈએ કે આજે જે તુલનાત્મક પદ્ધતિએ અભ્યાસ શરૂ થયો છે અને લગભગ સાર્વત્રિક થતો જાય છે તેથી ડરવાને કશું જ કારણ નથી. જો આપણી વસ્તુ સર્વોત્તમ હોય તો તુલનામાં તે બતાવી શકાય, અને જો તેવી સર્વોત્તમ વસ્તુને એક અભ્યાસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy