SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૧૧૧ તેમાં વાદી અને પ્રતિવાદીઓએ કેવી રીતે દાવપેચ ખેલવા અને જય પ્રાપ્ત કરવો એનું સ્પષ્ટ વર્ણન છે. (જુઓ : પરિચ્છેદ ૮, સૂ. ૨૨, રત્નાકરાવતારિકા ટીકા) વિભાગ ૨ ચર્ચામાં છળ અને જાતિનો પ્રયોગ કરવા વિશે મતભેદ વાદ અને જલ્પકથા વચ્ચેનું અંતર બતાવતા અક્ષપાદનો અનુગામી કોઈ કહે છે કે વાદમાં તો છલ અને જાતિ અસત્ય ઉત્તરરૂપ હોવાથી નથી યોજાતી, પણ જલ્પમાં તે યોજાય છે; કેમ કે દુઃશિક્ષિત, કુતર્કથી વાચાળ, અને વિતંડાકુશળ પંડિતો છલ આદિ સિવાય બીજી રીતે કેમ જીતી શકાય ? તેટલા માટે અને ગતાનુગતિક સાધારણ જનતા તેવા વિતંડાકુશળ પંડિતોથી ઠગાઈ કુમાર્ગે ન જાય એમ વિચારી કારુણિક મુનિએ છળ, જાતિ વગેરેનો ઉપદેશ કર્યો છે. આના ઉત્તરમાં હેમચંદ્ર કહે છે કે અસત્ય ઉત્તરથી પ્રતિવાદીનું ખંડન કરવું એ યોગ્ય નથી. કારણ કે મહાત્માઓ અન્યાય વડે જય કે યશ મેળવવા ઇચ્છતા નથી. માટે છલાદિનો પ્રયોગ કરવો અનુચિત હોવાથી જલ્પ એ વાદથી જુદી કથા સિદ્ધ થતી નથી. આ જ વાત તેણે છલ, જાતિ આદિના ઉપદેશક અક્ષપાદનો પરિહાસ કરતાં અન્ય વ્યવછેદશિામાં રૂપાંતરથી કહી છે : પ્રાકૃત લોકો સ્વભાવથી જ વિવાદઘેલા હોય છે તેમાં વળી તેઓને ક્લ, જાતિ અને નિગ્રહસ્થાન જેવાં માયિક તત્ત્વોનો ઉપદેશ કરવો અને તે વડે પ્રતિવાદીના મર્મોને ભેદવાનું સાધન પૂરું પાડવું એ અક્ષપાદમુનિની ખરેખર વિરક્તિ છે !' १. ननु छलजातिप्रयोगोऽसदुत्तरत्वाद्वादे न भवति जल्पे तु तस्यानुज्ञानादस्ति वादजल्पयोर्विशेषः यदाह. "दुःशिक्षितकुतकाशलेशवाचालिताननाः । शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपपण्डिताः ॥१॥ गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः । मा गादिति छलादीनि प्राह कारुणिको मुनिः ॥२॥ प्रमाणमीमांसा पल. ३८ द्वि० पं० २. २. नैवम्, असदुत्तरैः परप्रतिक्षेपस्य कर्तुमयुक्तत्वात् न ह्यन्यायेन जयं यशोधनं वा महात्मनः समीहन्तं । प्रमाणमीमांसा पल. ३८, द्वि० पं०५ 3. स्वयं विवादग्रहिले वितण्डापाण्डित्यकण्डूलमुखे जनेऽस्मिन् । मायोपदेशात्परमर्म भिन्दन्नहो विरक्तो मुनिरन्यदीयः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy