SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ૦ અનેકાન્ત ચિંતન (૪) ચર્ચાનો ક્રમ કેવો હોવો જોઈએ. કથાધિકારી(વાદી પ્રતિવાદી)નું સ્વરૂપ : તત્ત્વનિર્ણય અગર વિજય એ બેમાંથી કોઈ પણ એકની ઇચ્છા રાખનાર, સર્વજન સિદ્ઘ અનુભવની અવગણના ન કરનાર, સાંભળવા વગેરે કામમાં પટુ; તકરાર નહિ કરનાર અને ચર્ચામાં ઉપયોગી થાય તેવું પ્રવર્તન કરવામાં સમર્થ વાદીપ્રતિવાદી હોવા જોઈએ. વાદાધિકારી ઃ તત્ત્વજ્ઞાનને ઇચ્છનાર, પ્રસ્તુત વિષય સાથે સંબદ્ધ જ બોલનાર, નહિ ઠગનાર, યથાસમયસ્ફૂર્તિવાળા, અપેક્ષા (લાભેચ્છા) વિનાના, અને યુક્તિયુક્ત વાતનો સ્વીકાર કરનાર-વાદકથાના અધિકારી હોય. સભ્ય સ્થેયાન્ (મધ્યસ્થ) એવા અનુવિધેય (રાજાદિ સભાપતિ) તથા સભ્યથી યુક્ત સભા હોય પણ વીતરાગકથા(વાદ)માં તે આવશ્યક નથી. તે માત્ર વાદી અને પ્રતિવાદીથી પણ ચાલી શકે છે. ક્રમ :- વાદી સ્વપક્ષનો સાધકહેતુ મૂકી, આ મારો હેતુ હેત્વાભાસ નથી એમ સામાન્ય રીતે અને આ અસિદ્ધ વગેરે હેત્વાભાસ નથી એમ વિશેષ રીતે દૂષણનો ઉદ્ધાર કરે એટલે પ્રતિવાદી વાદીના કથનનો અનુવાદ કરી યથાસંભવ હેત્વાભાસ વડે વાદીના કથનને દૂષિત કરી સ્વપક્ષનો ઉપન્યાસ કરે; ત્યાર પછી ત્રીજી કક્ષામાં વાદી, પ્રતિવાદીના કથનનો અનુવાદ કરી પ્રતિવાદીએ આપેલ દૂષણ ઉદ્ધૃરી યથાસંભવ હેત્વાભાસ દ્વારા પ્રતિવાદીનો પક્ષ દૂષિત કરે. આ સાધન અને દૂષણનો જે ક્રમ આપ્યો છે તે પ્રમાણે ચર્ચાની વ્યવસ્થા ફક્ત ત્યારે જ રહી શકે છે, જ્યારે વાદી અગર પ્રતિવાદીને કોઈ નિગ્રહસ્થાન ન મળે અને તે દ્વારા વિપક્ષને પરાભવ આપવાની તક ન મળે. જો વાદી અગર પ્રતિવાદીને એવું નિગ્રહસ્થાન મળી આવે કે જેના દ્વારા વિપક્ષને પરાજિત કરી શકાય તો તે પોતાના પક્ષનું સાધન અને સામાના પક્ષનું દૂષણ અગર સામા પક્ષકારે આપેલ દૂષણ ઉદ્ધરવાની બીજી કોઈ ભાંજગડમાં ન પડતાં તે નિગ્રહસ્થાન દ્વારા જ સામાને પરાજિત કરી દે છે. આ સ્થિતિ જલ્પ અગર વિતંડાની હોય છે—નહિ કે વાદની. (ન્યા. સૂ. ૧. ૨. ૧. બીજી વિગતો માટે જુઓ પરિશિષ્ટ ૬) આ પ્રમાણેનો ક્રમ વૃત્તિમાં આપેલો છે. પણ ક્રમનું વિશેષ સ્વરૂપ વાદી દેવસૂરિએ પોતાના ગ્રંથમાં વર્ણવ્યું છે તે પણ જિજ્ઞાસુએ જોવા જેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy