SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૦ અનેકાન્ત ચિંતન ત્રીજા ઉપાય તરીકે જે તદ્વિદ્યસંભાષાવિધિ ચરકમાં વર્ણવી છે તે જ મુખ્યપણે અહીં પ્રસ્તુત છે. તદ્વિદ્યસંભાષા એટલે સમાન વિદ્યાવાળાની અંદરોઅંદર વિદ્યાગોષ્ઠી અગર ચર્ચા. એ જ અર્થમાં ન્યાયસૂત્રકાર અક્ષપાદ ‘તતિવૈશ સહ સંવાઃ' એવું વચન ઉચ્ચારે છે (જુઓ, ન્યા. સૂ. અં. ૪, આ. ૨, સૂ. ૪૭). ચરકકાર તદ્વિદ્યસંભાષાને બે પ્રકારની વર્ણવે છે : (૧) સંધાયસંભાષા અને (૨) વિગૃહ્યસંભાષા. સંધાયસંભાષા એટલે મૈત્રીપૂર્વક ચર્ચા કરવી અને વિગૃહ્યસંભાષા એટલે વિરોધપૂર્વક ચર્ચા કરવી. અક્ષપાદ સંધાયસંભાષાને વાદ અને વિગૃહ્યસંભાષાને જલ્પ અને વિતંડાને નામે ઓળખાવે છે. અક્ષપાદ અને ચકકારનો કથાવિષયક વિભાગ કેટલેક સ્થાને માત્ર શબ્દથી જ જુદો પડે છે. અક્ષપાદનું ત્રિવિધ કથા વિશેનું વર્ણન અને ચરકકારનું દ્વિવિધ સંભાષા વિશેનું વર્ણન એ બંને એકબીજાની આવશ્યક પૂર્તિરૂપે હોઈ કથાપદ્ધતિના અભ્યાસીનું ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. અક્ષપાદ જેટલું છલ, જાતિ અને નિગ્રહસ્થાનનું વિસ્તૃત વર્ણન ચરકકારે નથી કર્યું; પણ કેવા કેવા પ્રતિવાદી સાથે સંધાયસંભાષા કે વિગૃહ્યસંભાષા કરવી, કયે પ્રકારે કરવી, પહેલાં કેવી તૈયારી કરવી, કઈ જાતની સભામાં કરવી વગેરે અનેક બાબતોનું જે મનોરંજક અને અનુભવસિદ્ધ વર્ણન ચરકકારે આપ્યું છે તે અક્ષપાદના સૂત્રમાં કે તેના ભાષ્યમાં નથી. બીજી ખાસ વિશેષતા એ છે કે અક્ષપાદનો અનુગામી વાત્સ્યાયન કોઈ પણ દાર્શનિક વિષય લઈ અનુમાનવાક્ય યોજે છે, જે ઘણાને નીરસ પણ લાગે, જેમ કે ‘આત્મા નિત્ય છે; કારણ કે તે જન્મ છેઃ' ત્યારે ચરકકાર વૈદ્યકના વિષયમાંથી અનુમાનવાચ ઘડે છે, જે ખાસ આકર્ષક લાગે છે. જેમ કે ‘અમુક વ્યક્તિમાં બળ છે, કારણ કે તે વ્યાયામ કરી શકે છે,' તેમ જ ‘અમુક વ્યક્તિમાં જઠરાગ્નિ પ્રદીપ્ત છે, કારણ કે તેને ખાધેલું જરે છે,’ ઇત્યાદિ. ચરકકારે જે દ્વિવિધ સંભાષાનું ચિત્ર આપ્યું છે, તેનો મુદ્દાવાર ટૂંકમાં સાર નીચે મુજબ ઃ—— સંભાષા(ચર્ચા)થી થતા ફાયદા ઃ— જ્ઞાનપ્રાપ્તિનો આનંદ અને પ્રતિવાદી ઉપર આક્રમણ કરવાનો આનંદ; પાંડિત્ય, વાક્પટુતા, યશોલાભ; પ્રાથમિક અભ્યાસ વખતે રહી ગયેલા સંદેહનું નિરાકરણ અને જો તે વખતે સંદેહ ન રહ્યો હોય તોપણ તે વિષયનું દઢીકરણ. પહેલાં કદી નહિ સાંભળેલી એવી વાતોનું શ્રવણ, વિજયેચ્છાના રસને લીધે પ્રતિવાદી તરફથી મુકાતી ગૂઢમાં ગૂઢ દલીલો, જે તેણે બહુ શ્રમે ગુરુપ્રસાદથી મેળવી હોય તેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy