SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ૨ ભારતીય તત્વજ્ઞાન અનુવાદઃ ના, (ઈશ્વર ફળનું કારણ નથી, કારણ કે પુરુષ કર્મન કરે તો ફળ મળતું નથી. સમજૂતી : ઉપર નિરૂપવામાં આવેલો સિદ્ધાન્ત ખોટો છે, કારણ કે ખરેખર ફળનું કારણ કર્મનહિ પણ ઈશ્વર હોય તો કર્મન કરવા છતાં આપણને ઇચ્છિત ફળ મળવું જોઈએ, પરંતુ ક્યાંય કર્મ કર્યા વિના ફળ મળતું નથી. ચાલ્યા વિના ઇચ્છિત સ્થાને પહોંચાતું નથી, ભિક્ષાટન વિના ભિક્ષા મળતી નથી, દવા લીધા વિના રોગ મટતો નથી. જો ફળ કર્મ ઉપર આધાર ન રાખતું હોય તો કર્મ ર્યા વિના જ ફળ મળવું જોઈએ. પરંતુ તેમ થતું નથી. એટલે ફળ ઈશ્વર ઉપર નહિ પણ કર્મ ઉપર જ આધાર રાખે છે. ઈશ્વરની કોઈ જરૂર નથી. કર્મ કર્યું એટલે એનું ફળ થવાનું જ. વટબીજ પૃથ્વી આદિના સંસર્ગમાં આવ્યું તો વટવૃક્ષ થવાનું, એમાં કોઈ માધ્યમની જરૂર નથી. કાર્યકારણનો નિયમ જ એવો છે. કારણ હોતાં કાર્ય થાય જ. ઝેર લો એટલે મરો જ, પછી ઝેરને પોતાનું કાર્ય કરવા કશા ઉપર આધાર રાખવો પડતો નથી. કર્મ કરો એટલે એનું ફળ મળે જ. આમાં ઈશ્વરની જરૂર જ ક્યાં છે? ___ तत्कारितत्वादहेतुः । ४.१.२१ અનુવાદ કર્મ તેમ જ ફળ ઈશ્વરકારિત હોવાથી (કમથી) ઉપરના બેય સિદ્ધાન્ત તર્કહીન છે, ખોટા છે. સમજૂતીઃ આ સૂત્રમાં ગૌતમ પોતાનો સિદ્ધાન્ત રજૂ કરે છે. તે નીચે પ્રમાણે છે. ઉપરના બંને સિદ્ધાન્તો ખોટા છે. એક કર્મફળના નિયત સંબંધને અવગણે છે, બીજો ઈશ્વરને અવગણે છે. ખરેખર તો કર્મ અને ફળ વચ્ચે નિયત સંબંધ છે જ. અમુક કર્મ કરો એટલે તે પોતાનું ફળ આપે છે. કૃત કર્મને ફળવા માટે ઈશ્વરની જરૂર નથી એ વાત સાચી, પરંતુ ઇચ્છિત ફળ મેળવવા ક્યું કર્મ કરવું એ જાણવું જોઈએ. આ કર્મનું આ ફળ છે એ જ્ઞાન તો તે ફળ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખનારને હોવું જ જોઈએ ને? ઝેર અવશ્ય મારી નાખે છે એ વાત સાચી પરંતુ મરવા ઇચ્છનારને એ જ્ઞાન હોવું જરૂરી છે કે અમુક પદાર્થ પ્રાણઘાતક છે. તે જ્ઞાન ન હોય તો તે જે પદાર્થ લે તે તેના પ્રાણનો ઘાત ન કરે. અમુક ઔષધ લો એટલે અમુક રોગ મટે છે. તે ઔષધને પોતાનું કામ કરવા પછી વૈદ્યની જરૂર નથી. વિઘની જરૂર તો રોગીના જ્ઞાન માટે છે કે તે રોગ માટે તેણે કઈ દવા લેવી. રોગી રોગ મટાડવા ઇચ્છે છે, પરંતુ તે માટે કયું કર્મ યોગ્ય છે તેનું તેને જ્ઞાન નથી. તે જ્ઞાન તેને વૈદ્ય આપે છે. પછી તે જ્ઞાનપૂર્વક જ્યારે તે કર્મ કરે છે ત્યારે તેને તેનું ઇચ્છિત ફળ મળે છે. એટલે ઇચ્છિત ફળ મેળવવા માટે તે ફળને અનુરૂપકર્મ ક્યું છે તેનું જ્ઞાન કર્મ કરનારને હોવું જરૂરી છે. આ જ્ઞાન લૌકિક બાબતોમાં તો તે તે વિષયના જાણકાર નિષ્ણાત આપે છે પરંતુ રાગ આદિ દોષોથી મુક્ત થવા કઈ કક્ષાએ કર્યું કર્મ કરવું, શી સાધના કરવી તેનું જ્ઞાન તો સાધના કરી રાગાદિ દોષોથી મુક્ત થયેલ ઈશ્વર જ કરાવી શકે. આમ કર્મ અને તેના ફળ વચ્ચે નિયત સંબંધ છે, પરંતુ તે નિયત સંબંધને જાણવા ઈશ્વરની આપણને જરૂર છે એવો મત ફલિત થાય છે. ઈશ્વર કેવળ ઉપદેખા છે, માર્ગદર્શક છે, કર્મ-ફળના નિયત સંબંધનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy