SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ६२ ભારતીય તત્વજ્ઞાન ધર્મમેઘસમાધિ પ્રાપ્ત થતાં જ બધાં ક્લેશો અને કર્મો સંપૂર્ણ નાશ પામે છે, અને ક્લેશો અને કર્મોનો નાશ થતાં જ જ્ઞાન અનન્ત બને છે કારણ કે બધાં આવરણો અને મળોનો નાશ થઈ ચૂક્યો છે. ક્લેશો અને કર્મો જ આવરણો અને મળો છે. જે સાધકે આ અનન્તજ્ઞાન પ્રાપ્ત ક્યું છે તે બધું જાણવાની શક્તિ પામે છે પરંતુ આ શક્તિ તો જ વ્યાપાર કરે છે જો તે સાધક એક ખાસ પ્રકારનો સંયમ કરે. આ સમગ્ર ચર્ચા સૂચવે છે કે જે વિવેકીને ધર્મમેઘસમાધિનો લાભ થયો છે તે ઈશ્વર છે; અને તેને જ પ્રસ્તુત સૂત્રમાં વર્ણવવામાં આવ્યો છે. આમ ઈશ્વર અનિવાર્યપણે સર્વજ્ઞા નથી. તે ત્યારે જ સર્વજ્ઞ બને છે જ્યારે તે પેલો સંયમ કરે છે. બીજા શબ્દોમાં, તેને સર્વ જાણવાની શક્તિ (લબ્ધિ) હોય છે, પરંતુ તે શક્તિ અમુક શરતોનું પાલન કરવામાં આવે તો જ કાર્ય કરે છે. સર્વને જાણવાની શક્તિ એ સિદ્ધિ છે જે અનન્તજ્ઞાનની પ્રાપ્તિનું પરિણામ છે. આમ તે નિયતપણે અનન્તજ્ઞાન ધરાવે છે પણ નિયતપણે સર્વજ્ઞાન ધરાવતો નથી. (અહીં એ નોંધીએ કે સૂત્રકાર અને ભાગકાર કેવલ્ય પૂર્વે સર્વજ્ઞત્વની પ્રાપ્તિને અનિવાર્ય ગણતા નથી. ભાષ્યકાર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે વિવેકી વિવેકજ તારકજ્ઞાન (સર્વજ્ઞત્વ) પ્રાપ્ત કરે કે ન કરે તો પણ તે કેવલ્ય પામે જ છે.) (૩) પછીનું સૂત્ર છે – पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात् । १.२६ તે (= ઈશ્વર) પોતાનાથી ઉંમરમાં મોટી વ્યક્તિઓનો પણ ગુરુ છે કારણ કે તે કાળથી મર્યાદીકૃત નથી, કાળના બંધનથી મુક્ત થઈ ગયો છે, કાળથી પર થઈ ગયો છે. (ગ) ગુરુપદથી અહીં ઈશ્વરનું ઉપદેષ્ટા તરીકેનું મહત્ત્વનું કાર્ય સૂચવાયું છે (4) “પૂર્વેષામપિ ગુ: એ પદાવલિ આપણને શંકરાચાર્યકૃત ગણાતા દક્ષિણામૂર્તિસ્તોત્રના પેલા શ્લોકની યાદ દેવડાવે છે. વિત્ર વતર્મુને વૃદ્ધ શિષ્યો ગુર્જુવા’ ઇત્યાદિ. આ વિચાર વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરામાં સર્વસાધારણ છે. (૪) એ ક્યા ગુણો છે જે એને વૃદ્ધોના આધ્યાત્મિક ગુરુ બનવા લાયક બનાવે છે? આનો ઉત્તર બાકીના સૂત્રખંડમાંથી મળી રહે છે. તે સૂત્રખંડ છે- વાસ્નેનાનવજીવાતું. “વાજોનાનવજેતાતુ” દ્વારા સૂચવવામાં આવેલ વિચારને બીજા સૂત્રની સહાયથી સમજવા યત્ન કરીએ. પતંજલિ જણાવે છે કે ધર્મમેઘસમાધિ પ્રાપ્ત થતાં જ જે સાધકના લેશો અને કર્મો નાશ પામ્યાં છે અને પરિણામે જે જ્ઞાનનું આનત્ય પામ્યો છે તેની બાબતમાં ગુણોના પરિણામક્રમની સમાપ્તિ થઈ જાય છે (gunas come to an end of sequence of change). અર્થાત્, સત્ત્વ આદિ ગુણો ચિત્ત, ઇન્દ્રિયો, શરીર, વગેરે રૂપે પરિણમવાનું બંધ કરી દે છે. તેનું પુનર્જન્મનું ચક્ર બંધ થઈ જાય છે. તેનું સંસારચક્ર સમાપ્ત થઈ ગયું છે. તેનો ભવાન્ત થયો છે. તે કાળથી પર થઈ ગયો છે. હવે તે કાળથી મર્યાદી કૃત નથી, બદ્ધ નથી. તે કાલાનવચ્છિન્ન બની ગયો છે. આમ આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy