SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ · ભારતીય દર્શનોમાં ઈશ્વર ૯૩ ઊડતા પંખીનો પ્રયત્ન તેના શરીરને નીચે પડતાં રોકે છે. ઉડતા પંખીએ ચાંચમાં પડેલી જડ વસ્તુ તે પંખીના પ્રયત્નથી નીચે પડતી નથી કારણ કે પ્રયત્નવાળા પંખીએ તેને ધારણ કરેલી છે. ગુરુત્વવાળી જડ વસ્તુને કોઈ પ્રયત્નવાળી ચેતન વ્યક્તિએ ધારણ કરેલી હોય તો તે નીચે પડતી નથી. ગ્રહ, ઉપગ્રહ, વગેરે અચેતન છે તેમ છતાં તે નીચે પડતાં નથીપોતાની કક્ષામાંથી વ્યુત થતાં નથી. એટલે માનવું પડે છે કે કોઈ પ્રયત્નવાળી ચેતન વ્યક્તિએ તેમને ધારણ કરી રાખ્યા હોવા જોઈએ. આ વ્યક્તિ તે જ ઈશ્વર છે. આમ ઈશ્વર સમગ્ર બ્રહ્માંડનો ધારક છે.૧૪ ૩ (૧) ‘મૃત્યારે૪-શબ્દમાં ‘આદિ’ પદ છે. તે ‘આદિ’ પદથી નારા અભિપ્રેત છે. તર્ક આ પ્રમાણે છે : જેમ કાર્યની ઉત્પત્તિ માટે નિમિત્તકારણ (=ઉત્પાદકર્તા) જરૂરી છે તેમ કાર્યના નાશ માટે પણ નિમિત્તકારણ (=નાશર્તા) જરૂરી છે.૪૫ ન્યાયવેરોષિક મતે વસ્તુસ્વભાવથી જ નારા પામતી નથી. વસ્તુનો વિનારા નિર્દેતુક નથી. જો વસ્તુનો વિનાશ નિર્દેતુક માનવામાં આવે તો વસ્તુ ક્ષણિક બની જાય અને સ્થાયી દ્રવ્ય જેવી કોઈ વસ્તુ રહે નહિ. તેથી ન્યાયવેરોષિકો વસ્તુના નાશને સહેતુક માને છે. ઘડાને લાકડીથી ફટકો મારવામાં આવે છે ત્યારે જ ઘડો આઘાતથી ફૂટે છે. અહીં ફટકો મારનાર-આધાત કરનાર ઘટનાશò છે. તેવી જ રીતે, જગતનાં જે કાર્યોનો નાશકર્તા જણાતો ન હોય તેનો પણ નાશર્તો હોવો તો જોઈએ જ; તે છે ઈશ્વર. વળી, સમગ્ર વિશ્વના નાશર્તા તરીકે ઈશ્વરને માનવો જોઈએ. ઈશ્વરની ઇચ્છાથી સર્ગાન્તે વિશ્વને જબ્બર આધાત લાગે છે અને બધાં કાર્યો પરમાણુઓમાં વિઘટન પામી જાય છે. આ આઘાત પરમાણુઓમાં અનારંભક ગતિ અને વેગ પેદા કરે છે. આઘાતથી જન્મેલો વેગ અનારંભક કર્મને પ્રલયાન્ત સુધી ચાલુ રાખે છે.” વિશ્વના નાશકર્તા તરીકે ચેતન વ્યક્તિને માન્યા વિના છૂટકો નથી. તે ચેતન વ્યક્તિ એ જ ઈશ્વર છે. (૪) વાત્`૪”-(અ) અમુક અર્થ(=વસ્તુ) માટે અમુક પદ વપરાય છે. ‘અમુક શબ્દનો અમુક અર્થ છે’ એવો શબ્દ-અર્થનો સંકેત છે. આ સંતનું જ્ઞાન આપણને વડીલો આપે છે. પરંતુ ‘અમુક વસ્તુ અમુક શબ્દવાચ્ય છે’ એવો સંકેત સૌપ્રથમ ર્યો કોણે ? આવા સંકેતનો પ્રવર્તક જે છે તે ઈશ્વર છે. પ્રલયકાળે વિશ્વના નારા સાથે બધા સંકેતો નારા પામે છે અને સૃષ્ટિની ઉત્પત્તિ સાથે ઈશ્વર નવા સંકેતો ઉત્પન્ન કરે છે-તે માટે તે કોઈ પૂર્વસંકેતો ઉપર આધાર રાખતો નથી. ૪ (વ) સૃષ્ટિની ઉત્પત્તિ સાથે તે નવા સંકેતો આપે છે એટલું જ નહિ પણ ક્લાઓને પણ તે જ શરૂ કરે છે. પાત્રો બનાવવાની કલા, કપડું વણવાની કલા, લિપિકલા, લેખનકલા, વગેરે કલાઓને સૃષ્ટિના આરંભે સૌપ્રથમ તે જ જીવોને શિખવાડે છે. ગુરુશિષ્ય પરંપરા દ્વારા લાઓ આપણા સમય સુધી ઊતરી આવી છે. આ પરંપરા કચાંથી શરૂ થઈ હોવી જોઈએ. અર્થાત્, કલાઓનો આદ્ય પ્રવર્તક-આવિષ્કારક-આદિ ગુરુ-કોઈ હોવો જ જોઈએ. તે જ ઈશ્વર છે. ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001201
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year1998
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy