SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 68 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો તેની સાથે જેમ કદ નાનું થતું જાય તેમ પણ તેનું ગુરુત્વાકર્ષણ વધતું જાય છે. અહીં તો ગતિમાન અવકાશી પદાર્થોનું ઉપર બતાવેલ સમીકરણો પ્રમાણે દ્રવ્યમાન વધે છે અને કદ-લંબાઈ ઘટે છે. તેથી તેના ગુરુત્વાકર્ષણબળમાં બંને રીતે વધારો થાય છે અને તેથી તે પદાર્થોનો ગુરુત્વાકર્ષણમુક્તિવેગ ઘણો વધી જાય છે. અલબત, પદાર્થોના વેગના કારણે તેના દ્રવ્યમાનમાં થતો વધારો અને કદ લંબાઈમાં થતો ઘટાડો આભાસી (apparent) જ હોય છે, વાસ્તવિક હોતો નથી અને પરિણામે તેને લીધે થતો ગુરુત્વાકર્ષણનો વધારો પણ આભાસી (apparent) જ હોય છે. હવે જો તે અવકાશી પદાર્થોનો વેગ પ્રકાશના વેગ જેટલો જ અથવા તેનાથી વધુ થઈ જાય તો, આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત (Special Theory of Relativity) પ્રમાણે તે પદાર્થનું આભાસી દ્રવ્યમાન અનંત થઈ જાય છે અને લંબાઈ કદ શૂન્ય અથવા ગાણિતિક રીતે શૂન્ય કરતાં પણ ઓછું થઈ જાય છે. આ સંજોગોમાં બાભાસી ગુરુત્વાકર્ષણ બળ પણ અનંત-અનંતગણું થઈ જાય છે અર્થાત્ તે બ્લેક હોલ્સ/શ્યામગર્તમાં પરિણમે છે અને દેખાતા બંધ થઈ જાય છે. વસ્તુતઃ કોઈપણ પદાર્થનો વેગ, પ્રકાશના વેગ જેટલો કે તેથી વધુ થઈ જાય તો તે પદાર્થો દેખાતા બંધ થઈ જાય છે. તેના ઉપર પડતો પ્રકાશ, પરાવર્તિત તો થાય છે પરંતુ તે આપણા સુધી પહોંચતા સુધીમાં ખૂબ જ નબળો પડી જાય છે અર્થાત્ તેની તીવ્રતા ખૂબ જ ઓછી થઈ જાય છે અથવા આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં તરંગલંબાઈ ખૂબ વધી જવાથી અર્થાત્ કંપસંખ્યા ખૂબ ઘટી જવાથી, અધોરક્ત (infrared) કિરણો કરતાં પણ ઓછી કંપસંખ્યા થઈ જવાથી આપણી આંખો માટે તે અગ્રાહ્ય બને છે અને તેથી જ તે દિશામાં ટેલિસ્કોપ વગેરે સાધનોથી જોતાં માત્ર કાળાં બિંદુ અથવા વર્તુળાકાર અંધકાર જ દેખાય છે. આ દ્રવ્યમાનના વધારા તથા લંબાઈકદના ઘટાડાને આભાસી કહેવાનાં ઘણાં કારણો છે. 1. વિજ્ઞાનનો અને જૈન દાર્શનિક ગ્રંથોનો એક સનાતન નિયમ છે કે આખાય બ્રહ્માંડમાં દ્રવ્ય(પુદ્ગલ/mater)નો જથ્થો નિશ્ચિત જ છે અને તે હંમેશા અચળ જ રહે છે. 2. વળી બીજું કારણ એ છે કે જૈન ધર્મગ્રંથ શ્રી ભગવતી સૂત્ર અથવા શ્રીવ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર અથવા શ્રીવિવાહપન્નતિ નામના પાંચમા અંગમાં આજથી લગભગ 2550 વર્ષ પૂર્વે જૈનોના ચોવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ પોતાના પ્રથમ શિષ્ય ગણધર શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમને કહ્યું છેઃ 27 () (ઉમૂતિ ગૌતમ) : પરમ પોષાને [ અંતે! નોટ્સ પુરચ્છિમિત્તો चरिमंताओ पच्चच्छिमिल्लं चरिमंतं एगसमएणं गच्छति ? पच्चच्छिमिल्लाओ चरिमंताओ पुरच्छिमिल्लं चरिमंतं एगसमएणं गच्छति ? दाहिणिल्लाओ चरिमंताओ उत्तरिल्लं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy