SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ 67 શ્યામ ગર્ત (Black Holes) : સ્વરૂપ... સમગ્ર બ્રહ્માંડના સર્વ દૃશ્યમાન પદાર્થો તથા તેના મૂળભૂત એકમ સ્વરૂપ બધા જ સૂક્ષ્મ પદાર્થો એ પુદ્દગલ દ્રવ્ય અથવા પુદ્ગલ દ્રવ્ય અને આત્મ દ્રવ્યના સંયોજન સ્વરૂપ જ છે. આ છ યે દ્રવ્યમાંથી આત્મદ્રવ્ય સિવાયનાં પાંચ દ્રવ્યો અંગે, દશપૂર્વઘર શ્રીઉમાસ્વાતિજી મહારાજે રચેલ શ્રી તત્ત્વાર્થાધિગમ નામના સૂત્રના પાંચમા અધ્યાયમાં વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. જેને આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં ભૌતિકશાસ્ત્ર તથા રસાયણશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો કહી શકાય. mo C આઇન્સ્ટાઇનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંત (STR) અનુસાર જેમ જેમ પદાર્થનો વેગ વધતો જાય તેમ તેમ તેનામાં મુખ્ય ત્રણ પ્રકારના ફેરફાર દૃશ્યમાન થાય છે. 1. પદાર્થનો વેગ વધે તેમ તેના દ્રવ્યમાનમાં વધારો થાય છે અને તે નીચેના સૂત્ર દ્વારા જાણી શકાય છે.m 1-v2/2 જ્યાં m, પદાર્થનું ગતિ અવસ્થામાં દ્રવ્યમાન બતાવે છે. m, જ્યારે તે પદાર્થનો વેગ શૂન્ય હતો અર્થાત્ તે સ્થિર હતો ત્યારનું દ્રવ્યમાન બતાવે છે. v અને ૮ અનુક્રમે પદાર્થનો વેગ તથા પ્રકાશનો વેગ દર્શાવે છે.32 2. પદાર્થનો વેગ વધે છે ત્યારે તેની લંબાઈમાં ઘટાડો થાય છે અને તે નીચેના સૂત્ર વડે જાણી શકાય છે. તેમાં L, =L1-v2/ c? તેમાં L,, પદાર્થની ગતિ અવસ્થાની લંબાઈ દર્શાવે છે. L, જ્યારે પદાર્થ સ્થિર હતો ત્યારની તેની લંબાઈ દર્શાવે છે અને V તથા c અનુક્રમે પદાર્થનો વેગ તથા પ્રકાશનો વેગ દર્શાવે છે.33 3. પદાર્થનો વેગ વધે તેમ તેના માટે સમય ધીમો થતો જાય છે અને તે નીચેના સૂત્ર દ્વારા જાણી શકાય છે. AT. = AT,、/1 – v / c? અહીં AT,, પદાર્થની ગતિ અવસ્થામાં નોંધાયેલ સમયગાળો છે અને AT૰ પદાર્થની સ્થિર અવસ્થાનો સમયગાળો છે. જ્યારે v અને c અનુક્રમે પદાર્થનો વેગ તથા પ્રકાશનો વેગ છે.34 ઉપરનાં સમીકરણો પ્રમાણે જો પદાર્થનો વેગ પ્રકાશના વેગ જેટલો થઈ જાય તો તે પદાર્થનું દ્રવ્યમાન (mass) અનંત થઈ જાય છે, તે પદાર્થનાં કદ- લંબાઈ શૂન્ય થઈ જાય – અને કાળ તે પદાર્થ માટે સ્થિર થઈ જાય છે. - અવકાશી પદાર્થો હંમેશા ગતિમાં જ હોય છે. અલબત્ત, બધા પદાર્થોમાં વેગ એકસરખો હોતો નથી. તે જ રીતે દરેક પદાર્થનું દ્રવ્યમાન (mass) પણ એકસરખું હોતું નથી. આમ છતાં તે અવકાશી પદાર્થોનો વેગ જેમ વધુ હોય તેમ આઇન્સ્ટાઇને ઉ૫૨ બતાવેલાં સમીકરણો પ્રમાણે તેના ગતિ અવસ્થાના દ્રવ્યમાનમાં વધારો થાય છે અને લંબાઈ અથવા કદમાં ઘટાડો જાય છે. તો બીજી બાજુ આઇન્સ્ટાઇને તેના સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત (GTR) અર્થાત્ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત પ્રમાણે કહ્યું છે કે જેમ જેમ પદાર્થનું દ્રવ્યમાન (mass) વધતું જાય તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ વધતું જાય છે, વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy