SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 58 જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો 20 કિ.મી.ના વ્યાસના જ હોય છે. ન્યૂટ્રોન સ્ટારના દ્રવ્યમાન સંબંધ ભિન્ન ભિન્ન માન્યતાઓ જોવા મળે છે. કેટલાકના મતે તે વધુમાં વધુ 0.7 M જેટલું દ્રવ્યમાન ધરાવે છે, તો કેટલાકના મતે વધુમાં વધુ 2.2 M4 જેટલું દ્રવ્યમાન ન્યૂટ્રોન સ્ટારમાં હોય છે. જ્યારે શીપમેનની માન્યતા પ્રમાણે તે વધુમાં વધુ 3.0 M જેટલું દ્રવ્યમાન ધરાવે છે. 17 કેટલાકના મતે 10% સુધીના દ્રવ્યમાનવાળા પદાર્થો સુપરનોવા થઈ સંકોચાઈ જાય છે અને છેવટે શ્યામગર્ત(Black holes)માં પરિણામે છે, તો કેટલાક મતે 10M, વાળા તારાઓ ન્યૂટ્રોન સ્ટારમાં પરિણામે છે. બ્લેક હોલ બનતાં પહેલાં તે તારાનું દ્રવામાન 3M કરતાં વધુ હોય છે અને તેનું અંતિમ કદ ન્યૂટ્રોન સ્ટાર જેટલું હોય છે.18 પ્રાચીન કાળના ઇતિહાસમાં પણ સુપરનોવાના પ્રસંગો નોંધાયેલા છે. આમ છતાં અત્યારના કાળમાં ઈ.સ. 1987ના 23-24 ફેબ્રુઆરીની રાતના, લાસ કંપનાસ (Las Compnas)ની વેધશાળામાં અવકાશનું નિરીક્ષણ કરી રહેલ ખગોળ વિજ્ઞાની ઇયાન શેલ્ટન (Jan Shelton)એ, તેના સનસીબે તે જે દિશામાં જોતો હતો તે દિશામાં જ સુપરનોવા” થતા એક તારાને તેણે જોયો હતો. આ “સુપરનોવા” મેગેલેનીક ક્લાઉડ (Magellanic cloud) નામે ઓળખાતા તારા વિશ્વ(Galaxy)માં થયો હતો. તેણે તુરત જ ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનને તાત્કાલિક તાર કરી આ બનાવની જાણ કરી હતી. ખુલ્લી આંખે જોવામાં આવેલ “સુપરનોવાનો આ સૌપ્રથમ પ્રસંગ નોંધાયેલ છે. આ રીતે “સુપરનોવા થયેલ તારો જ વખત જતાં સંકોચાઈ જઈ શ્યામ ગર્ત (Black hole) બની જાય છે. આમ, કાલ્પનિક રીતે નિર્માણ પામેલ શ્યામગ(Black hole)ના સ્વરૂપ અંગે વિજ્ઞાનીઓમાં વિવિધ પ્રકારના મત પ્રવર્તે છે. નીચે બતાવેલી ચાર જુદી જુદી આકૃતિઓ પ્રમાણેનું બ્લેક હોલનું સ્વરૂપ માનવામાં આવે છે. ખ-ભૌતિકવિજ્ઞાનીઓ શ્યામગર્ત વિશે આટલું ઊંડાણથી સંશોધન શા માટે કરે છે? કારણ કે આવા સેંકડો શ્યામગર્ત આપણી ગ્રહમાળા અને તારા વિશ્વની બહારના ભાગમાં સેંકડો પ્રકાશવર્ષ દૂર આવેલા છે. તેમાંથી આપણને કશું પ્રાપ્ત થવાનું નથી. આમ છતાં આ વિજ્ઞાનીઓને ઊંડે ઊંડે આશા છે કે આ શ્યામગર્ત ઊર્જાનો અખૂટ ભંડાર હોવાથી ભવિષ્યમાં પૃથ્વી માટે એ ઊર્જા કામ લાગી શકે. અલબત્ત, આ માત્ર કલ્પના જ છે, પરંતુ ક્યારેક આ કલ્પના પણ વાસ્તવિકતામાં પરિણમશે તેવી વિજ્ઞાનીઓને આશા છે. આની પાછળ ભૌતિકશાસ્ત્રનો સિદ્ધાંત કામ કરે છે. તે એ આ સમગ્ર બ્રહ્માંડમાં પુદ્ગલ (matter) અને શક્તિનો ચોક્કસ જથ્થો છે, જે ક્યારેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy