SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્યામ ગર્ત (Black Holes) : સ્વરૂપ... મેળવેલ પરિણામોને ચકાસી જોયાં, પરંતુ તે જ વખતે પ્રથમ વિશ્વયુદ્ધ જાહેર થતાં, તે પછીનું સંશોધન કાર્ય રદ કરવું પડ્યું સદ્નસીબે આઇન્સ્ટાઇન માટે એ સારું જ થયું હતું કારણ કે આઇન્સ્ટાઇનની તે વખતની થિયરી પરિપક્વ નહોતી તેમજ તેની ગણતરીમાં પણ ભૂલો હતી. પરંતુ ઈ. સ. 1915ના નવેમ્બરની 4, 11, 18 અને 25મી તારીખે પ્રકાશિત થયેલ “Berliner Berichte સાપ્તાહિકમાં આઈન્સ્ટાઈને સંપૂર્ણ રીતે “જનરલ થિયરી ઑફ રિલેટિવિટી' સમજાવી.12 આ “જનરલ થિયરી ઓફ રિલેટિવિટી' પ્રમાણે સૂર્ય જેવા પ્રચંડ દ્રવ્ય ધરાવતા, અવકાશી પદાર્થોના ગુરુત્વાકર્ષણના કારણે તેમની આસપાસનું અવકાશ સંકોચાય છે અને વાંકુ વળે છે અને તે કારણે તેની પાસેથી પસાર થનાર પ્રકાશનું કિરણ તે પદાર્થ તરફ રહેજ વાકું વળે છે અર્થાત્ પોતાના મૂળ સીધા માર્ગથી સહેજ ફંટાય છે. આ ઘટનાને Solar deflection of star light કહેવામાં આવે છે. ટૂંકમાં, આડકતરી રીતે દૂરના તારાના પ્રકાશના કિરણ ઉપર સૂર્યના પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળની અસર થાય છે. તેવું આઈન્સ્ટાઈને જાહેર કર્યું અને ઈ.સ.1919માં 29મી મેના દિવસે થયેલ સંપૂર્ણ ખગ્રાસ સૂર્યગ્રહણ સમયે બ્રાઝિલમાં સોબ્રાલ (Sobral) નજીક સૂર્ય પાસેથી પસાર થતા પ્રકાશના કિરણનું સ્થાનાંતર માપવામાં આવ્યું, જે આઈન્સ્ટાઈને બતાવેલી ગણતરી પ્રમાણેનું જ હતું.13 આઈન્સ્ટાઈને ઈ. સ. 1915ના નવેમ્બરમાં પોતાનું સંશોધન જાહેર કર્યું, તે પછી ફક્ત એક જ મહિનામાં જર્મનીના ભૌતિક વિજ્ઞાની કાર્લ શ્વાર્ઝચીલ્ડ(Kad. Schwarzschild)એ શૂન્યાવકાશમાં રહેલ ગોળાના ગુરુત્વાકર્ષણક્ષેત્રનું ગણિત કરી બતાવ્યું અને તેના આધારે ઈ.સ. 1796માં માઈકલ અને લાપ્લાસે જણાવેલ અદશ્ય તારાઓના ખ્યાલે વિજ્ઞાનીઓમાં પુનઃ ચૈતન્ય લાવી દીધું. આપણા સૂર્ય કરતાં વધુ દ્રવ્યમાન (mass) ધરાવતા અવકાશી પદાર્થોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે. કેટલાક પદાર્થો સંકોચન પામી હાઇટ વાર્ફ (White | dwarf) બને છે, તો કેટલાક ન્યૂટ્રોન સ્ટાર (Neutron star) બને છે, તો કોઈક શ્યામગર્ત (Blackhole) બને છે. ભારતીય ખ-ભૌતિકશાસ્ત્રી (Astrophysicist) ડૉ. સુબ્રમણ્યમ ચંદ્રશેખરે ઈ.સ. 1931માં એક સંશોધન પત્ર રજૂ કરીને જણાવ્યું કે 1.4 M4 (1.4 Solar mass) કરતાં વધુ દ્રવ્ય ધરાવતા પદાર્થો, પોતાની અંદરના જ ગુરુત્વાકર્ષણને સહન ન કરી શકતા તે સંકોચાવા લાગે છે અને એક નાનકડા તેજસ્વી તારામાં પરિણમે છે તેને વ્હાઇટ વાર્ફ (White dwart) કહેવામાં આવે છે. અને વ્હાઈટ ક્વાર્ફ થયા પછી તેનું દ્રવ્યમાન 1.4 M થી વધુ હોતું નથી, તો કદમાં તેઓ લગભગ પૃથ્વી જેવડા જ હોય છે. જ્યારે ન્યૂટ્રોન સ્ટાર ખૂબ જ નાના હોય છે. ક્યારેક તો તે ફક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy