________________
પ્રકાશના વ્યતિકરણ સંબંધી...
51
આ રીતે બદલાયેલી દિશાવાળા બંને ફોટૉન કણોમાં અથડામણ થયા પછી પણ એક સરખું જ દ્રવ્યમાન, ગતિ અને શક્તિ હોય છે. વળી તેઓ અથડાયા પછી એકબીજામાં ભળી ન જતાં, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે અને તેથી જ પ્રકાશની તીવ્રતામાં વધારો થાય છે. દ્રવ્યસંચય, શક્તિસંચય અને વેગમાન(momentum)ના બધા જ નિયમો આ ઘટનામાં લગાડી શકાય છે. અલબત્ત, અત્યારના વિજ્ઞાનીઓ પ્રકાશના ફોટૉન કણોમાં દ્રવ્યમાન હોવાનું સ્વીકારતા નથી પરંતુ શક્તિ હોવાનું સ્વીકારે છે પણ શક્તિ એ ગુણ (property) /(characteristic) છે અને ગુણ, દ્રવ્ય સિવાય ક્યાંય રહી શકતો નથી, તેથી જૈન દર્શનમાં જણાવ્યા પ્રમાણે આજે નહિ તો ભવિષ્યમાં પણ ફોટૉન કણોમાં દ્રવ્યમાનનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો નથી.
પરંતુ જ્યારે પ્રકાશના એક કિરણના શૃંગ ઉપર બીજા કિરણનો ગર્ત આવે છે અથવા એક કિરણના ગર્ત ઉપર બીજા કિરણનો શૃંગ આવે છે ત્યારે બંને કિરણમાં રહેલ ફોટૉન કણોના માર્ગ ઉપર નીચે થઈ જવાથી અથડાયા વગર આગળ વધી જાય છે પરંતુ આ જ ફોટૉન કણો આગળ જતાં તેમના માર્ગમાં આવતા બીજા ફોટૉન કણો સાથે અથડાઈ દિશા બદલી નાખે છે, પરિણામે – તેઓની જે અસલ દિશા હોય છે તે દિશામાં એક પણ ફોટૉન ગતિ કરતા નથી મતલબ કે તે દિશામાં ફોટૉન કણોની સંપૂર્ણ ગેરહાજરીના કારણે અંધકાર ઉત્પન્ન થાય છે.
-
પૂર્વે બતાવ્યું તે પ્રમાણે આધુનિક ભૌતિકશાસ્ત્રમાં પ્રકાશની તીવ્રતાનો આધાર પ્રકાશના તરંગના કંપવિસ્તાર ઉપર છે. સંરચનાત્મક વ્યતિકરણની ઘટનામાં બંને તરંગો ભેગા થયા પછી બનતા તરંગનો કંપવિસ્તાર બમણો થઈ જાય છે તેથી પ્રકાશની તીવ્રતા ચારગણી થઈ જાય છે. જ્યારે વિઘટનાત્મક વ્યતિકરણમાં બંને તરંગો ભેગા થયા પછી બનતા તરંગનો કંપવિસ્તાર શૂન્ય થઈ જાય છે તેથી તેની તીવ્રતા પણ શૂન્ય થઈ જાય છે. જ્યારે જૈન દર્શનના ગ્રંથોના આધારે મેં લખેલા બીજા લેખો (Intensity of Light) પ્રકાશની તીવ્રતા અને (New Concepts About Doppler's Effect) ડોપ્લર ઘટના અંગેના નવા ખ્યાલોમાં જણાવ્યા પ્રમાણે પ્રકાશની તીવ્રતાનો આધાર કેવળ કોઈપણ એકમ સમયમાં, એકમ વિસ્તાર ઉપર પડતા ફોટૉન કણોની સંખ્યા ઉપર જ હોય છે. અહીં સંરચનાત્મક વ્યતિકરણની ઘટનામાં પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે.
ɅD d
આધુનિક ભૌતિકશાસ્ત્ર પ્રમાણે આ ઘટનામાં પ્રકાશિત વિસ્તાર અને અપ્રકાશિત વિસ્તાર વચ્ચેનું અંતર એકસરખું હોય છે અને તે દ્વારા દર્શાવવામાં આવે છે. મતલબ કે સંપૂર્ણ વિસ્તારના અડધા-અડધા વિસ્તારમાં ફોટોન કણોની વહેંચણી થઈ જાય છે. આથી જયારે એક છિદ્ર ખુલ્લું હોય ત્યારે જેટલા વિસ્તારમાં પ્રકાશ ફેલાય છે, તેના કરતાં અડધા વિસ્તારમાં, બંને છિદ્રોમાંથી આવતા પ્રકાશના ફોટૉન કણો પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org