SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો શંગ બતાવે છે, જ્યારે ત્રુટક ત્રુટક રેખાઓ છે, તે બંને છિદ્રમાંથી આવતા પ્રકાશના તરંગોના ગર્ત બતાવે છે. આકૃતિમાં આપણે જોઈ શકીશું કે જે વિભાગમાં એક તરંગનો શૃંગ, બીજા તરંગના શૃંગને છેદે છે અથવા એક તરંગનો ગર્ત બીજા તરંગના ગર્તને છેદે છે, તેની સીધી પંક્તિમાં આપણને પ્રકાશિત શલાકા (bright finges) જોવા મળે છે મતલબ કે તે વિભાગમાં સંરચનાત્મક વ્યતિકરણ ઉત્પન્ન થાય છે. તેનાથી વિરુદ્ધ જે વિભાગમાં એક તરંગનો ગર્ત બીજા તરંગના શગને છેદે છે અથવા એક તરંગનો શંગ બીજા તરંગના ગર્તને છેદે છે તે વિભાગમાં - તેની સીધી પંકિતમાં આપણને અંધકાર (dark fringes) જોવા મળે છે અર્થાત્ તે વિભાગમાં વિઘટનાત્મક વ્યતિકરણ પેદા થાય છે. આ પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓ આપણે પડદા ઉપર પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. આ જ ઘટનાની, ભગવાન મહાવીરે 2500 વર્ષ પૂર્વે કહેલાં જૈન આગમો તથા ધર્મગ્રંથોમાં આવતા પુદ્ગલ દ્રવ્યના વર્ણન અનુસાર પ્રકાશ ફક્ત પરમાણુનો જ બનેલો છે, તેનો સ્વીકાર કરીને સમજ આપી શકાય છે. વ્યતિકરણની આ ઘટનામાં જ્યારે બંને છિદ્રો ખુલ્લાં રાખવામાં આવે છે ત્યારે બંને છિદ્રોમાંથી એક જ સમયે અસંખ્યાતા પ્રકાશના કણો પસાર થાય છે અને ઉપર બતાવ્યું તે પ્રમાણે જે વિભાગમાં એક કિરણના શિંગ ઉપર બીજા કિરણનો ઈંગ આવે કે એક કિરણના ગર્ત ઉપર બીજા કિરણનો ગર્ત આવે તો, તેની સીધી પંક્તિમાં પ્રકાશિત શલાકાઓ મળે છે અને જ્યાં એક કિરણનો ગર્ત, બીજા કિરણના શૃંગ, ઉપર આવે કે એક કિરણનો શૃંગ બીજા કિરણના ગર્ત ઉપર આવે, તેની સીધી પંક્તિમાં અંધકાર જોવા મળે છે. - હવે જ્યારે એક પ્રકાશના ફોટૉનનો શંગ બીજા પ્રકાશના ફોટોનના શગ સાથે છેદાય છે ત્યારે ખરેખર બંને ફોટૉન કણોનો માર્ગ એક સરખો-એક જ થઈ જવાના કારણે બંને ફોટોન કણો એકબીજા સાથે અથડાય છે કારણ કે બંને ફોટોન કણો બે જુદા જુદા છિદ્રમાંથી પસાર થઈને આવે છે અને બંને પ્રકાશનાં કિરણોનો કંપવિસ્તાર, કંપ સંખ્યા, તરંગલંબાઈ અને વેગ સમાન હોય છે. પરિણામે બંને પ્રકાશનાં કિરણોમાં રહેલ ફોટોન કણો વચ્ચે અથડામણ થયા વિના રહેતી નથી અને તે બે પ્રકાશના ફોટોન કણો અથડાયા પછી તેઓની અસલ દિશામાં જવાના બદલે સમાંતર બાજુ ચતુષ્કોણના સિદ્ધાંત પ્રમાણે પરિણામી સદિશ(resultant vector)ની દિશામાં બંને ફોટોન ગતિ કરે છે, તેથી બંને છિદ્રોમાંથી આવતા પ્રકાશના કણો અથડાયા પછી તે દિશામાં જાય છે અને તે નીચે બતાવેલા ગાણિતિક સમીકરણ દ્વારા મેળવી શકાય છે. હ E sin (ot-Kr), જ્યાં K=21/A,તરંગ સદિશ (wave vector) છે. અલબત્ત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy