SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો તરંગના શૃંગ ઉપર બીજા તરંગનો ગર્ત અને એક તરંગના ગર્ત ઉપર બીજા તરંગનો શંગ પડે છે, પરિણામે તેનાથી વિઘટનાત્મક વ્યતિકરણ પેદા થાય છે. જ્યાં સંરચનાત્મક વ્યતિકરણ (constructive interference) થાય છે, ત્યાં પ્રકાશની શલાકા મળે છે અને જ્યાં વિઘટનાત્મક વ્યતિકરણ (distructive interference) થાય છે ત્યાં અંધકારની શિલાકા મળે છે. આધુનિક ભૌતિકશાસ્ત્ર પ્રમાણે પ્રકાશની તીવ્રતાનો આધાર પ્રકાશના તરંગવિસ્તાર અર્થાત્ કંપવિસ્તાર (amplitude) ઉપર રહેલો હોય છે અને તે કંપવિસ્તારના વર્ગના પ્રમાણમાં બદલાય છે એટલે કે પ્રકાશના તરંગનો કંપવિસ્તાર અડધો થાય તો તેની તીવ્રતા ચોથા ભાગની થઈ જાય છે. વળી જો કંપવિસ્તાર બમણો થાય તો પ્રકાશની તીવ્રતા ચારગણી થઈ જાય છે. આ સિદ્ધાંત પ્રમાણે સંરચનાત્મક વ્યતિકરણ જે વિભાગમાં થાય છે ત્યાં પ્રકાશના તરંગનો કંપવિસ્તાર બમણો થઈ જતો હોવાથી તે વિભાગમાં પ્રકાશની તીવ્રતા ચારગણી થઈ જાય છે, પરિણામે ચારગણો પ્રકાશ જોવા મળે છે. જયારે વિઘટનાત્મક વ્યતિકરણ જે વિભાગમાં થાય છે ત્યાં પ્રકાશના તરંગનો કંપવિસ્તાર શૂન્ય થઈ જાય છે, પરિણામે ત્યાં પ્રકાશ બિલકુલ જોવામાં આવતો નથી અર્થાત્ તેટલા વિભાગમાં અંધકાર દેખાય છે. આ બાબતને ગાણિતિક સમીકરણમાં નીચે પ્રમાણે દર્શાવાય છે. Ia a’ (I denotes intensity, a denotes amplitude) : l'a (2a)” (I' denotes resultant intensity in constructive interference) - I'd 4 - ' a 41 આ વ્યતિકરણની ઘટના સમજાવવા માટે યંગ (Young) નામના વિજ્ઞાનીએ કરેલા પ્રયોગનું વર્ણન કરવામાં આવે છે. આ પ્રયોગમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે A પડદામાં રહેલા ઊભા છિદ્રમાંથી વર્તળાકાર તરંગો નીકળી B પડદા તરફ જાય છે. આ B પડદામાં, A પડદામાં આવેલ છિદ્રથી એકસરખા અંતરે આવેલાં બે ઊભાં છિદ્રો છે. A પડદાના છિદ્રમાંથી આવેલ પ્રકાશ, B પડદાના આ બે ઊભાં છિદ્રોમાંથી પસાર થાય છે. તેથી આ બે છિદ્રો એકસરખા પ્રકાશના સ્ત્રોતનું કામ કરે છે અર્થાત્ આ બંને છિદ્રમાંથી પસાર થતા પ્રકાશના તરંગોની કંપસંખ્યા, તરંગલંબાઈ અને કંપવિસ્તાર, ત્રણે સમાન હોય છે. અને તેથી જ આ બે છિદ્રોમાંથી પસાર થતાં કિરણો, જ્યારે એકબીજાને છેદે છે ત્યારે વ્યતિકરણની ઘટના બને છે. અહીં બતાવેલી આકૃતિમાં જે વર્તુળાકાર રેખાઓ સળંગ બતાવી છે, તે બંને છિદ્રમાંથી આવતા પ્રકાશના તરંગોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy