________________
પ્રકાશના વ્યતિકરણ સંબંધી નવી અવધારણા
અને કવોન્ટમ સિદ્ધાંત આધુનિક ભૌતિકશાસ્ત્રમાં, પ્રકાશના વ્યતિકરણ(interference)ની ઘટના ખૂબ જ અગત્ય ધરાવે છે અને અત્યારના વિજ્ઞાનીઓના અભિપ્રાય પ્રમાણે આ ઘટના પ્રકાશ ફક્ત તરંગોનો બનેલો છે” એવી માન્યતા સ્વીકાર્યા સિવાય સમજાવી શકાતી નથી.
જ્યારે બીજી બાજુ “ફોટોઇલેક્ટ્રિક અસર”ની ઘટના પ્રકાશ કણોનો બનેલો છે' એવી માન્યતા સ્વીકાર્યા સિવાય સમજાવી શકાતી નથી. એ સાથે સાથે આધુનિક ભૌતિકશાસ્ત્રનો “ક્વૉન્ટમ સિદ્ધાંત' પણ પ્રકાશ કણોનો જ બનેલો છે એવું સ્વીકારવા ફરજ પાડે છે. અને એટલે જ અત્યારના બધા જ વિજ્ઞાનીઓ પ્રકાશના તરંગ સ્વરૂપ (wave theory) અને કણસ્વરૂપ (particle theory), બંનેનો સ્વીકાર કરે છે. સાથે સાથે તેઓ એમ પણ સ્વીકારે છે કે ઇલેક્ટ્રૉન, પ્રોટ્રૉન, ન્યૂટ્રૉન જેવા સૂક્ષ્મ કણો પણ પ્રકાશની માફક દ્વિસ્વભાવ ધરાવે છે.
જ્યારે બીજી તરફ લગભગ 2500 વર્ષ પહેલાં ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૂપેલા જૈન ધર્મના સિદ્ધાંતો અર્થાત્ જૈન ધર્મગ્રંથોમાં તેઓએ સ્પષ્ટરૂપે જણાવ્યું છે કે પ્રકાશ ખરેખર સૂક્ષ્મ કણોનો જ બનેલો છે અને મારી માન્યતા પ્રમાણે આ વાત સંપૂર્ણ સત્ય જ છે કારણ કે ભગવાન મહાવીરસ્વામી સંપૂર્ણ જ્ઞાની હતા અને તેઓએ જ્ઞાનરૂપી ચક્ષુઓથી જે જોયું છે તે જ આપણને કહ્યું છે. એટલે તે અસત્ય હોવાનો સંભવ જ નથી. આથી આપણે આ લેખમાં વ્યતિકરણની ઘટનાની સમજ ફક્ત કણવાદ દ્વારા કઈ રીતે આપી શકાય તે જોઈશું. અલબત્ત, જ્યારે પ્રકાશ કે બીજા વીજચુંબકીય તરંગો અને સૂક્ષ્મ કણો બ્રહ્માંડમાં અવકાશમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે તેનો માર્ગ સર્પાકાર અર્થાત્ તરંગ સ્વરૂપ હોય છે. આ રીતે પ્રકાશ, ધ્વનિ અને અન્ય વીજચુંબકીય તરંગો માટે તરંગવાદનો ત્યાગ કરી સંપૂર્ણ રીતે કણવાદનો સ્વીકાર કરવામાં કોઈ મુશ્કેલી જણાતી નથી.
આધુનિક ભૌતિકશાસ્ત્રના તરંગવાદ અનુસાર, જ્યારે એક સરખા પ્રકાશના બે સ્ત્રોતોમાંથી નીકળતા તરંગો એકબીજાને છેદે છે ત્યારે વ્યતિકરણની ઘટના પેદા થાય છે. આ ઘટનામાં જો તે બે તરંગો વચ્ચેનું અંતર 0,2,2,3...................nછે, હોય તો એક તરંગનો શૃંગ, બીજા તરંગના શૃંગ ઉપર અને એક તરંગનો ગર્ત બીજા તરંગના ગર્ત ઉપર પડે છે, પરિણામે તેનાથી સંરચનાત્મક વ્યતિકરણની ઘટના ઉત્પન્ન થાય છે અને જો તે બે તરંગો વચ્ચેનું અંતર ..........(2n-) હોય તો એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org