SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ A1 પ્રકાશ તરંગો કે કો? અંતરને આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં તરંગલંબાઈ (wavelength) કહે છે. જ્યારે પ્રકાશના કણો પોતાના મૂળમાર્ગમાંથી બંને તરફ જેટલા અંતર સુધી વિચલિત થાય છે. તે અંતરને કંપવિસ્તાર કહે છે અને પ્રકાશના કણો એક સેકંડમાં જેટલીવાર પોતાના માર્ગમાંથી વિચલિત થાય છે તેટલી સંખ્યાને કંપસંખ્યા અથવા આવૃત્તિ (frequency) કહે છે. જુદી જુદી જાતના પ્રકાશના કણો પણ જુદા જુદા હોય છે અને એ કણોમાં રહેલ સૂક્ષ્મતમ પરમાણુઓની ઓછી વધતી સંખ્યા પ્રમાણે તે તે પ્રકાશનાં કિરણોની તરંગલંબાઈ, કંપસંખ્યા તથા કંપવિસ્તાર પણ અલગ અલગ હોય છે. પ્રકાશના(દશ્ય-અદશ્ય) કણોનો સમાવેશ જૈનદાર્શનિક માન્યતાનુસાર તેજ વર્ગણામાં થાય છે. તેજ એટલે પ્રકાશ, અને વીજચુંબકીય તરંગો પણ વીજળી વિના ઉત્પન્ન થઈ શક્તા નથી. તથા જ્યાં જ્યાં વીજળી પ્રવાહ હોય છે ત્યાં ત્યાં ધન (+ ve) અને ઋણ (-ve) વિદ્યુતુ ભાર હોય છે તથા જે પોલાદમાંથી વિદ્યુત પસાર થતી હોય છે તેમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. ટૂંકમાં, વિદ્યુ...વાહ અને ચુંબકત્વ પરસ્પર એટલા બધા સંકળાયેલા છે કે તે બંનેને છૂટા પાડી શકાય તેમ નથી. આમ વીજચુંબકીય તરંગો પણ વીજળીમાંથી જ પેદા થાય છે, તેથી તેનો સમાવેશ પણ તૈજસ્ વર્ગણામાં થાય છે. જ્યારે ધ્વનિનો સમાવેશ ભાષા વર્ગણાના પરમાણુસમૂહ એકમોમાં થાય છે. આ બંને પ્રકારના તરંગોમાંથી ધ્વનિતરંગોને દીવાલ વગેરેનો અવરોધ નડતો નથી, તે ફક્ત સીધી લીટીમાં જ ગતિ કરતા નથી પણ બારીબારણાં આગળ, પ્રવેશતાં વાંકાં વળે છે. જ્યારે વીજચુંબકીય તરંગો અને પ્રકાશના તરંગો સુરેખ માર્ગે જ ગતિ કરે છે. આથી જ દૂરદર્શન(television)ના પ્રસારણ માટે અવકાશમાં 36000 કિમી ઊંચે, ભ્રમણકક્ષામાં મૂકેલા ઉપગ્રહોનો ઉપયોગ કરવામાં આવે છે અને રેડિઓ-તરંગો વાતાવરણના 150 કિમી ઊંચે રહેલ આયનોસ્ફીયરના પટને(આવરણને) અથડાઈ પાછાં પડે છે તેથી ઉપગ્રહની મદદ વિના પણ સમગ્ર વિશ્વના દરેક રેડિઓ સ્ટેશનોના કાર્યક્રમો સાંભળી શકાય છે. ધ્વનિ તરંગોની વક્રગતિમાં મુખ્ય કારણ તેમાં ઉપયોગમાં આવેલ કણોની ઝડપ છે. ધ્વનિની ઝડપ ફક્ત 330 મીટર/સેકંડ છે, જ્યારે પ્રકાશના કણો અને વીજચુંબકીય તરંગોમાં રહેલ કણોની ઝડપ 3 x 10 કિમી/સેકંડ હોવાથી, વાતાવરણ તથા બાહ્ય અવકાશના સૂક્ષ્મ અન્ય પરમાણુ-સમૂહના અવરોધોને બાજુ ઉપર ખસેડી પોતાનો માર્ગ કરી લે છે. અહીં સ્થૂલ દૃષ્ટિએ જોતાં પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરતો જણાય છે, પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં તે સર્પાકાર (તરંગ સ્વરૂપ) માર્ગે ગતિ કરે છે. જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001200
Book TitleJain Darshanna Vaigyanik Rahasyo
Original Sutra AuthorN/A
AuthorNandighoshvijay
PublisherBharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
Publication Year2000
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Science
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy